દેહવિક્રયનો ઓનલાઈન પ્રચાર-પ્રસાર કરતા દેહવિક્રયઃ લાખો ગુમાવનાર ‘ગ્રાહકો’એ હિંમત કરી ફરિયાદ કરી(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં વર્ષો પહેલાં હાઈવેના છેડે નજીકના ગામડામાં ત્યારબાદ સ્પા અને મસાજ સેન્ટરના નામે ચાલતો દેહવિક્રયનો ધંધો હવે ઓનલાઈન ચાલી રહ્યો છે. તમામ રીતે કચાલતા આ દેહના વેપારને અટકાવવા માટે પોલીસ પગલાં લઈ રહી છે.જો કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ધ્યાનમાં કઆવ્યું હતુંકે, શહેરમાં ઓનલાઈન એસ્કોર્ટ સેવા અને દેહવિક્રયના નામે લોકોને ઠગવામાં આવી રહ્યા છે. ઓન સ્ક્રીન સુંદર યુવતી બતાવી તેના માટે એડવાન્સ રૂપિયા લઈ ગ્રાહકોને ઠગવામાં આવી રહ્યા છે. આ બાબતને આધારે ક્રાઈમ બ્રાન્ચે આ ૧ર૦ સોશિયલ મીડિયા હેન્ડલર વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂકરી છે. હવે આ રેકેટમાં ભોગ…
Author: gujarat
ગુજરાત બાર કાઉન્સિલમાં અભૂતપૂર્વ કશ્મકશભર્યા ચૂંટણી જંગમાં વકીલ મતદારોની જાગૃત, સમજદારી અને કોઠાસૂઝ ગુજરાત બાર કાઉન્સિલની દિશા અને દશા નકકી કરશે ?!તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની છે ! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી જીતવા અનેક ઉમેદવારો મેદાનમાં છે ! દરેક વકીલ ઉમેદવાર ચૂંટણી જીતવા કમર કસી રહ્યો છે ! પોતે શું કરવા માંગે છે ! તેનો વાયુવેગે પ્રચાર કરી રહ્યા છે ! આ વખતે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલ ચૂંટણીમાં પ્રથમ વાર ઉભા છે ! પ્રથમ વાર મત માંગે છે !તેમણે કરેલા કાર્યાેથી વકીલ મતદારો પ્રભાવિત થયેલા છે ! કામ કર્યુ છે ! માટે જ શ્રી જે.…
હર્ષ સંઘવીએ રાજ્યની રક્ષા શક્તિને વધુ પ્રબળ બનાવતા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાવ્યુંસુરક્ષિત ગુજરાતની નેમ:ATSનું નવું બિલ્ડિંગ અને પોલીસ આવાસ યોજનાઓથી સુરક્ષાકર્મીઓની કાર્યક્ષમતામાં થશે વધારોગુજરાતમાં ગુંડાતત્વો કે નશાના સોદાગરો માટે કોઈ સ્થાન નથી;રાજ્ય સરકાર‘ઝીરો ટોલરન્સ‘ની નીતિ સાથે સુરક્ષિત અને શાંત ગુજરાત માટે કટિબદ્ધ :- રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે અમદાવાદમાં વિવિધ પોલીસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં અંદાજે ૨૦૨.૮૫ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા વિવિધ મહત્વના પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના છારોડી ખાતે ૪૭.૯૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિકATSબિલ્ડિંગ,બોડકદેવ ખાતે ૩૩.૪૯…
Rivaba Jadeja PM Modi Meeting: ગુજરાતમાં મંત્રી બન્યા બાદ મંગળવારે રિવાબા જાડેજા દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમની સાથે ક્રિકેટર પતિ રવિન્દ્ર જાડેજા પણ હાજર રહ્યા હતા. રિવાબા જાડેજા ગુલાબી સાડી પહેરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પીએમ મોદીને બુકે આપીને અભિવાદન કર્યું હતું. ગયા વર્ષે જ્યારે ભાજપે રાજ્યના મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો હતો, ત્યારે જામનગર નોર્થથી જીતેલા રિવાબા જાડેજાને મંત્રી બનાવવામાં આવ્યા હતા. નવી દિલ્હીમાં રવિન્દ્ર જાડેજાની હાજરીમાં રિવાબાની આ પહેલી મુલાકાત છે. રિવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજાએ પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો એક્સ (X) પર શેર કરી છે.Not just a…
Himmatnagar Kalyan Jewellers Case: હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલ પ્રતિષ્ઠિત કલ્યાણ જ્વેલર્સના કર્મચારીઓએ ગ્રાહકની પ્રાઈવસી સાથે ગંભીર ચેડાં કરી લવ જેહાદ અને ખંડણીનો કારસો રચ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. શો-રૂમમાં ખરીદી કરવા ગયેલા પરિવારની સગીરાનો ડેટા ચોરી કરી તેને બ્લેકમેલ કરવાનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે.વિશ્વાસઘાત અને ઓળખ છુપાવવાનું ષડયંત્રશો-રૂમના જ કર્મચારીઓએ વ્યવસાયિક નૈતિકતા નેવે મૂકી ગ્રાહકની અંગત માહિતીનો દુરુપયોગ કર્યો હતો:ડેટા ચોરી: શો-રૂમમાં નોકરી કરતા મનીષ ગઢવી અને મહંમદ શાકીરે ગ્રાહકો દ્વારા ભરાતા ફીડબેક ફોર્મમાંથી સગીરાનો મોબાઈલ નંબર મેળવ્યો હતો.ખોટી ઓળખ: મહંમદ શાકીરે પોતાની અસલી ઓળખ છુપાવી ‘અજય’ નામ ધારણ કરી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.દબાણ અને બ્લેકમેલ: ૧૮…
બજારમાં ઊંચી માંગ ધરાવતી વિદેશી શાકભાજી જેવી કે: પર્પલ કોબી (લાલ કોબીજ), કોહલરાબી (ગાંઠકોબી), બ્રોકોલી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડે છે,ભાવનગર: ખેતીમાં જ્યારે પરંપરાગત પદ્ધતિની સાથે આધુનિક અને પ્રાકૃતિક અભિગમ ભળે છે ત્યારે કેવું ઉત્તમ પરિણામ મળે છે તેનું જીવંત ઉદાહરણ ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂતે પૂરું પાડ્યું છે. વાવડી ગામના ખેડૂત જેન્તિભાઈ ચૌહાણે છેલ્લા આઠ વર્ષથી રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને આજે તેઓ વિદેશી શાકભાજીની સફળ ખેતી કરી રહ્યા છે.જેન્તિભાઈ પોતાના ખેતરમાં માત્ર સ્થાનિક પાકો જ નહીં, પરંતુ બજારમાં ઊંચી માંગ ધરાવતી વિદેશી શાકભાજી જેવી કે:આ તમામ શાકભાજીઓ તેઓ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી (Natural Farming) પદ્ધતિથી ઉગાડે…
28વિવિધ ઔષધીય વનસ્પતિ પ્રજાતિઓનીSEMછબીઓના પ્રતિનિધિ ડેટાસેટનો ઉપયોગ કરીને,ટીમે કૃષિ,એલર્જન સ્ત્રોતની ઓળખ,ઐતિહાસિક આબોહવા પરિવર્તન અને પુરાતત્વ જેવા ક્ષેત્રોમાં વ્યાપક ઉપયોગો સાથે પરાગના કાર્યક્ષમ વિશ્લેષણનું પ્રદર્શન કર્યું. તેમના તારણો તાજેતરમાંBotany Lettersમાં પ્રકાશિત થયા હતા.નરી આંખે અદ્રશ્ય એવી પરાગરજ વનસ્પતિના પ્રજનનને સરળ બનાવે છે. તેમનો આકાર,કદ અને સપાટીની વિશેષતાઓ વિવિધ પ્રજાતિઓને ઓળખવામાં અને વર્ગીકૃત કરવામાં મદદ કરી શકે છે,જે જટિલ જૈવિક માર્કર્સ તરીકે કામ કરે છે. આ મોર્ફોલોજિકલ લાક્ષણિકતાઓનેSEMનો ઉપયોગ કરીને અસરકારક રીતે કેપ્ચર કરી શકાય છે,જે સૂક્ષ્મ સપાટીના બંધારણોને વિગતવાર જોવા માટે ફોકસ કરેલા ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરે છે.“જોકે મજબૂત ઇમેજિંગ ટેકનીકો ઉપલબ્ધ છે,તેમ છતાં સ્વચાલિત પરાગ વિશ્લેષણને સરળ બનાવવા માટે પ્રમાણભૂત…
જૂનાગઢ, જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા ઓઘડ શિખર પર જૈન સંપ્રદાયનો ધ્વજ ફરકાવવા અને સૂત્રોચ્ચાર કરવા બદલ ભવનાથ પોલીસ મથકે બે અજાણ્યા શખસો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. નાથ સંપ્રદાયની પવિત્ર જગ્યા ગણાતી ઓઘડનાથ ટૂંક પર બનેલી આ ઘટનાને પગલે સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.શ્રીનાથજીના દલિચાના મહંત પીર યોગી સોમનાથજી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ અંદાજે ચાર દિવસ પહેલાં સફેદ કપડાં પહેરેલા બે શખસોએ અહીં જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યાે હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અને ફોટાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.આ વિવાદને પગલે જૂનાગઢના અગ્રણી સંત શેરનાથજી બાપુએ આકરી પ્રતિક્રિયા આપતા…
