તા. ૧૦થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન નેત્રંગ,નાંદોદ, ડેડિયાપાડા અને વઘઇમાં સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ શરૂ થશેઅભિયાન અંતર્ગત ચાર તાલુકાની ૫ લાખ વસ્તીને આવરી લેવાશેકેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશભરમાંથી હાથીપગા એટલે કે,ફાઈલેરિયા રોગ નિર્મૂલનનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તા. ૧૦થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન નેત્રંગ,નાંદોદ,ડેડિયાપાડા અને વઘઇમાં સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો ત્રીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે.ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કુલ ૧૭ જિલ્લા હાથીપગા રોગ માટે સંવેદનશીલ ગણાય છે. આ અભિયાન અંતર્ગત હાથીપગા રોગ માટેના સંવેદનશીલ નથી તેવા જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં રાત્રી બ્લડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પરીક્ષણ બાદ ભરૂચ…
Author: gujarat
ગુજરાતમાં વાર્ષિક ૨૦ લાખ મેટ્રિક ટનથી વધુ કઠોળનું ઉત્પાદન-રાજ્યના તુવેર ઉત્પાદનમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ૪૫ ટકાની વૃદ્ધિ નોંધાઈ‘આત્મનિર્ભર ભારત’ તરફ ગુજરાતના કદમ:અમદાવાદ, ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે કઠોળના પાકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ મિશન હેઠળ ગુજરાત હવે દેશમાં કઠોળ ઉત્પાદનમાં અગ્રેસર રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે. ખાસ કરીને ચણા અને તુવેરના ઉત્પાદનમાં ગુજરાત રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતો સતત પ્રગતિ કરી રહ્યા છે.કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ સંદર્ભે આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ૬ વર્ષ દરમિયાન રાજ્યમાં કઠોળ પાકની…
*કલેક્ટરશ્રી આનંદ પટેલના વિઝન હેઠળ કચ્છના ૧૦ તાલુકાઓમાં કુલ ૯૧૦ તળાવની અંદાજે ૫૬૦૦ એકરથી વધુ જમીનને નીમ કરવાની કામગીરી પૂર્ણ કરાઈ**વૈજ્ઞાનિક ઢબે જમીન માપણી પ્રક્રિયા બાદ સત્તાવાર દરજ્જાના હુકમથી કચ્છના તળાવોને મહેસૂલી રેકર્ડમાં મળી નવી ઓળખ**સત્તાવાર દરજ્જો પ્રાપ્ત થવાથી ૯૦૦થી વધારે તળાવોના બ્યૂટિફિકેશન, સંરક્ષણ અને સંવર્ધનને લગતા યોજનાકીય કામો સુચારુરૂપે થઈ શકશે**માત્ર ત્રણ મહિના જેટલા ટૂંકા ગાળામાં વૈજ્ઞાનિક ઢબે માપણી, ફિલ્ડ વિઝિટ સહિતની રેવન્યૂ પ્રક્રિયાઓને પૂર્ણ કરીને તળાવોને અપાયો સત્તાવાર દરજ્જો*કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે અર્ધશુષ્ક ક્ષેત્રમાં આવતો હોવાથી પાણી એ સૌથી મોટી જરૂરિયાત બની જાય છે. આ પરિસ્થિતિમાં પીવાના પાણી,કૃષિ અને પશુપાલન માટે જળ સંસાધનો,તળાવો અને વોટરબોડીનું સંવર્ધન અને સંરક્ષણ…
ગાંધીનગર, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કવચ કેન્દ્ર પહેલ અંતર્ગત યુનિસેફના સંકલન સાથે રહીને ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં એક દિવસીય ‘વિદ્યાર્થી સાયબર સિક્યુરિટી’ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યભરની યુનિવર્સિટીઓમાંથી કુલ ૭૮૦ વિદ્યાર્થીઓએ સહભાગી બનીને વ્યવહારુ સાયબર સિક્યુરિટી જ્ઞાન,જવાબદાર ડિજિટલ હાઇજીન તથા ઉભરતા સાયબર ખતરાઓ સામે સંસ્થાગત તૈયારી મજબૂત બનાવવા અંગે માહિતી મેળવી હતી.આ પહેલ હેઠળ રાજ્યની સરકારી ઉચ્ચ તથા ટેકનિકલ શિક્ષણ કોલેજો,ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજો,ગ્રામ વિદ્યાપીઠો તથા યુનિવર્સિટીઓમાંથી પ્રતિ સંસ્થા બે વિદ્યાર્થીઓ જે કવચ કેન્દ્ર સાયબર ક્લબ વોલેન્ટરી તરીકે કામગીરી કરી રહ્યા છે,તેઓને તાલીમ આપવામાં આવી હતી.આ તાલીમ સત્રો વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં તા.૨૦ જાન્યુઆરીથી ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન અલગ અલગ દિવસે…
મહેસાણા એસઓજીએ ૨૮ હજારના ગાંજા સાથે એકને ઝડપ્યોએસએમસીની ટીમે ગાંજો અને ઇકો મળી કુલ ૧૭.૪૪ લાખના જથ્થા સાથે બે જણાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરીહિંમતનગર, ખેડબ્રહ્મા પોલીસ મથકમાં પેટ્રોલિંગ કરી રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મટોડા ગામના ઝાંઝવા પાણી રોડ નજીકથી પસાર થઈ રહેલી ગાડીને રોકાવી તેમાંથી ૧૧.૫૯ લાખની કિંમતનો ૨૩.૧૮૦ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એસએમસીની ટીમે ગાંજો અને ઇકો મળી કુલ ૧૭.૪૪ લાખના જથ્થા સાથે બે જણાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે એસએમસીના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પી.આઈ. પી.પી. બ્રહ્મભટ્ટ અને એમની ટીમ ખેડબ્રહ્મા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.તે…
પતિએ પત્ની પાસેથી રૂ. ૨૦૦ની માગણી કરીને ઝઘડો કર્યાે હતો૯ દિવસની સારવાર બાદ પરિણીતાનું મોત નિપજતા ચાંગોદર પોલીસે પતિ અને જેઠ સામે દુષ્પેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરીઅમદાવાદ, સાણંદના મોરૈયા ગામમાં રહેતી પરિણીતાને પતિ અને જેઠ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ગત તા.૨૫ જાન્યુઆરીએ તેના પતિએ રૂ. ૨૦૦ની માગણી કરીને ઝઘડો કર્યાે હતો. બાદમાં તેને ટર્પેન્ટાઇનનું ડબલું આપીને તે છાંટીને સળગી જવાનું કહેતા પરિણીતાને મનમાં લાગી આવ્યું હતું. પરિણીતાએ પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપી દેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડી હતી. ૯ દિવસની સારવાર બાદ પરિણીતાનું મોત નિપજતા ચાંગોદર પોલીસે પતિ અને જેઠ સામે દુષ્પેરણાનો ગુનો…
દાણીલીમડા પોલીસે પતિ સહિત ચાર લોકો સામે ગુનો નોંધ્યોઘટનાની જાણ થતાં તેના માતા-પિતા દોડી આવ્યા હતા અને બેહોશ હાલતમાં પડેલી દીકરીને હોસ્પિટલ લઈ ગયા હતાઅમદાવાદ, સાસરીમાં સાસુ સાથે થતા સતત ઝઘડાથી કંટાળીને એક પરણિત સગર્ભા યુવતી રિસાઈને પિતાના ઘરે દાણીલીમડા વિસ્તારમાં રહેવા આવી હતી. દરમિયાન, ગત બુધવારના રોજ જરૂરી કેટલીક દવાઓ લેવા માટે યુવતી તેની સાસરીમાં ગઈ હતી. આ સમયે પતિ સાથે વાતચીત દરમિયાન અલગ રહેવાની વાત ઊઠતા દંપતી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં પતિ અને સાસરિયાએ મળીને યુવતીને ધક્કો મારતાં તે બીજા માળેથી નીચે જમીન પર પટકાઈ હતી. આ અંગે પત્નીએ પતિ સહિત ચાર લોકો સામે દાણીલીમડા પોલીસ…
૧૨૦ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે આવ્યાંદેહવિક્રયનો ઓનલાઇન પ્રચાર-પ્રસાર કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેન્ડલર સામે ફરિયાદ બાદ નિવેદન લેવાની કાર્યવાહીઅમદાવાદ, અમદાવાદમાં વર્ષાેથી પહેલાં હાઇવેના છેડે, નજીકના ગામડાંમાં ત્યાર બાદ સ્પા અને મસાજ સેન્ટરના નામે ચાલતો દેહવિક્રયનો ધંધો હવે ઓનલાઇન ચાલી રહ્યો છે. તમામ રીતે ચાલતા આ દેહના વેપારને અટકાવવા માટે પોલીસ પગલાં લઈ રહી છે. જોકે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ધ્યાનમાં આવ્યું હતું કે શહેરમાં ઓનલાઇન એસ્કોર્ટ સેવા અને દેહવિક્રયના નામે લોકોને ઠગવામાં આવી રહ્યા છે. ઓન સ્ક્રીન સુંદર યુવતી બતાવી તેના સાથે માટે એડવાન્સ રૂપિયા લઈ ગ્રાહકોને ઠગવામાં આવી રહ્યા છે. આ બાબતને આધારે ક્રાઇમ બ્રાંચે આ ૧૨૦ સોશિયલ મીડિયા હેન્ડલર…
બગસરાના મોટા મુંજિયાસર ગામે સિમેન્ટનો ચૂલો ઝીંકી પિતાની હત્યાસમગ્ર મામલે મૃતકની પુત્રી અસ્મિતાબેને પોતાના જ સગા ભાઈ અને માતા વિરુદ્ધ બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અમરેલી, અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે પારિવારિક કલહમાં પુત્રએ પિતાની ક્‰રતાપૂર્વક હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ખેતમજૂરી કરતા પરિવારમાં ચા બનાવવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિવાદમાં પુત્રએ પોતાની માતાની ઉશ્કેરણીથી પિતા પર હુમલો કર્યાે હતો. ગંભીર ઈજાઓના કારણે પિતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે જ્યારે વચ્ચે પડનારી પુત્રીને પણ ઈજાઓ પહોંચી છે.મૂળ દાહોદ જિલ્લાના અને હાલ મુંજિયાસર ગામે ખેતમજૂરી કરતા રમણભાઇ કટારા તેમની…
