૧૨૦ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે આવ્યાંદેહવિક્રયનો ઓનલાઇન પ્રચાર-પ્રસાર કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેન્ડલર સામે ફરિયાદ બાદ નિવેદન લેવાની કાર્યવાહીઅમદાવાદ, અમદાવાદમાં વર્ષાેથી પહેલાં હાઇવેના છેડે, નજીકના ગામડાંમાં ત્યાર બાદ સ્પા અને મસાજ સેન્ટરના નામે ચાલતો દેહવિક્રયનો ધંધો હવે ઓનલાઇન ચાલી રહ્યો છે. તમામ રીતે ચાલતા આ દેહના વેપારને અટકાવવા માટે પોલીસ પગલાં લઈ રહી છે. જોકે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ધ્યાનમાં આવ્યું હતું કે શહેરમાં ઓનલાઇન એસ્કોર્ટ સેવા અને દેહવિક્રયના નામે લોકોને ઠગવામાં આવી રહ્યા છે. ઓન સ્ક્રીન સુંદર યુવતી બતાવી તેના સાથે માટે એડવાન્સ રૂપિયા લઈ ગ્રાહકોને ઠગવામાં આવી રહ્યા છે. આ બાબતને આધારે ક્રાઇમ બ્રાંચે આ ૧૨૦ સોશિયલ મીડિયા હેન્ડલર…
Author: gujarat
બગસરાના મોટા મુંજિયાસર ગામે સિમેન્ટનો ચૂલો ઝીંકી પિતાની હત્યાસમગ્ર મામલે મૃતકની પુત્રી અસ્મિતાબેને પોતાના જ સગા ભાઈ અને માતા વિરુદ્ધ બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અમરેલી, અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે પારિવારિક કલહમાં પુત્રએ પિતાની ક્‰રતાપૂર્વક હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ખેતમજૂરી કરતા પરિવારમાં ચા બનાવવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિવાદમાં પુત્રએ પોતાની માતાની ઉશ્કેરણીથી પિતા પર હુમલો કર્યાે હતો. ગંભીર ઈજાઓના કારણે પિતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે જ્યારે વચ્ચે પડનારી પુત્રીને પણ ઈજાઓ પહોંચી છે.મૂળ દાહોદ જિલ્લાના અને હાલ મુંજિયાસર ગામે ખેતમજૂરી કરતા રમણભાઇ કટારા તેમની…
૨૦૦૪માં થયેલી અપીલમાં હાઇકોર્ટે કોન્સ્ટેબલને નિર્દાેષ જાહેર કર્યાે હતોપોલીસ કોન્સ્ટેબલ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતા ત્યારે તેમની વિરુદ્ધ ૧૯૯૬માં ફરિયાદ નોંધાઇ હતીઅમદાવાદ, ૩૦ વર્ષ જૂના લાંચ કેસમાં પોલીસ કોન્સ્ટેબલને હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યાે હતો અને એના બીજા દિવસે જ તેનું મૃત્યુ થઇ ગયું હતું. આ પોલીસ કોન્સ્ટેબલ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતા ત્યારે તેમની વિરુદ્ધ ૧૯૯૬માં ફરિયાદ નોંધાઇ હતી. તેમની સામે માત્ર ૨૦ રૂપિયાની લાંચ લેવાનો આક્ષેપ હતો. વર્ષ ૧૯૯૭માં તેમની સામે અમદાવાદની સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થઈ હતી.જ્યારે વર્ષ ૨૦૦૨માં તેમની સામે ચાર્જશીટ કરવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટે વર્ષ ૨૦૦૩માં સાક્ષીઓ તપાસવાનું શરૂ કર્યું હતું અને વર્ષ…
આરોગ્ય સુવિધા અને પોષણ પાછળ રાજ્યમાં દર હજાર બાળકોએ જન્મ થયા બાદ મૃત્યુ પામતા નવજાત બાળકોનો દર ૨૦ છેજ્યારે પાંચ વર્ષ સુધીના બાળકોનો મૃત્યુ દર ૨૩નો છેગાંધીનગર , ગુજરાતમાં આરોગ્ય સુવિધાઓ અને પોષણ પાછળ સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાય છે છતાં નવજાત શિશુ અને પાંચ વર્ષ સુધીના બાળકોના મૃત્યુનું પ્રમાણ હજુ ઊંચું છે. રાજ્યમાં દર હજાર બાળકોએ જન્મ થયા બાદ મૃત્યુ પામતા નવજાત બાળકોનો દર ૨૦ છે જ્યારે પાંચ વર્ષ સુધીના બાળકોનો મૃત્યુ દર ૨૩નો છે. ગુજરાત કરતા અનેક રાજ્ય એવા છે જ્યાં આ દર પ્રમાણમાં ઓછો છે. ગુજરાત વિવિધ સુવિધા અને સમૃદ્ધિમાં દેશના મોખરાના રાજ્યમાં ગણાય છે તેમ…
Gujarat Regular DGP Appointment: અમદાવાદ: સુપ્રીમ કોર્ટે તાજેતરમાં રેગ્યુલર DGP (પોલીસ મહાનિર્દેશક)ની નિમણૂક કરવાને બદલે ‘ઈન્ચાર્જ’ કે કાર્યવાહક અધિકારીઓ રાખવાની પ્રથા સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ પ્રથા રોકવા માટે સુપ્રીમ કોર્ટે UPSC ને સત્તા આપી છે કે તેઓ રાજ્યોને સમયસર DGP પસંદગીના પ્રસ્તાવ મોકલવા માટે લખે અને જો તેમ ન થાય તો સીધા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરે. કાર્યવાહક DGP અંગેની આ કડકાઈ બાદ ગુજરાતના અમલદારશાહી વર્તુળોમાં હલચલ મચી ગઈ છે.ચર્ચા થઈ રહી છે કે શું ગુજરાતમાં પણ સુપ્રીમ કોર્ટનો આ આદેશ લાગુ થશે? નોંધનીય છે કે ગુજરાત સરકારે વિકાસ સહાય નિવૃત્ત થયા બાદ ડો. કે.એલ.એન. રાવ (KLN Rao) ને…
વર્ષ ૨૦૧૯મા ત્રિપલ તલાક કાયદો આવ્યો હતોઃ હવે આ કાયદા હેઠળ વલસાડમાં ઐતિહાસિક કાર્યવાહીવલસાડ, વલસાડ જિલ્લામાં મહિલાઓના સન્માન અને અધિકારની રક્ષા માટે પોલીસે કાયદાનું એક એવું શસ્ત્ર ઉગામ્યું છે, જે અન્યાય કરનારાઓ માટે લાલબત્તી સમાન છે…વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલા ‘ત્રિપલ તલાક’ વિરોધી કાયદા હેઠળ વલસાડ જિલ્લામાં સૌપ્રથમવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.વલસાડ જિલ્લાના ઈતિહાસમાં પ્રથમવાર કાયદાનું એક એવું શસ્ત્ર ચલાવવામાં આવ્યું છે, જે મહિલાઓના અધિકારો માટે માઈલસ્ટોન સાબિત થશે,,જે પતિ એમ માનતા હતા કે તેઓ ત્રણ વાર તલાક બોલીને પત્નીને તરછોડી દેશે અને બચી જશે, તેમના માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે…વલસાડ પોલીસે ૨૦૧૯ના ટ્રિપલ તલાક વિરોધી…
ઊંઝાના ગોડાઉનમાંથી ૩ કરોડનું જીરું ગાયબ -પોલીસે એક વકિલ સહિત -૫ લોકોની ધરપકડ કરી(એજન્સી)મહેસાણા, ઉત્તર ગુજરાતના મસાલા સિટી ગણાતા ઊંઝામાં એક વેપારીઓના ગોડાઉનમાંથી લાખો નહીં પણ કરોડો રૂપિયાના જીરાની ચોરી થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જે મામલે પોલીસે હાલ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આખા પ્રકરણની તપાસમાં હાલ જે તથ્યો સામે આવી રહ્યા છે, તેને જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. કારણ કે આ ચોરીના કેસમાં આખી ગેંગ સામેલ હોવાની તથા તેમાં એક વકીલની સંડોવણી હોવાની પણ ચોંકાવનારી માહિતી હાલ સામે આવી છે.ઘટનાની વિગતે વાત કરીએ તો, મહેસાણા ઊંઝાના ઉનાવા પાસે આવેલી ડીસન્ટ હોટલની પાછળ…
Chhari Dhand Ramsar Site Gujarat: ગાંધીનગર: ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ છારી ઢાંડ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ (Chhari Dhand Wetland Conservation Reserve) ને સત્તાવાર રીતે રામસર સાઇટ જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ છારી ઢાંડ હવે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બની ગયું છે. 31 જાન્યુઆરી, 2026 ના રોજ કરવામાં આવેલી આ જાહેરાત ભારતની આદ્રભૂમિ (વેટલેન્ડ) સંરક્ષણની દિશામાં એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ રામસર પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું. આ સાથે જ છારી ઢાંડ ગુજરાતની પાંચમી અને કચ્છ પ્રદેશની પહેલી રામસર સાઇટ બની છે.છારી ઢાંડ વેટલેન્ડની ખાસિયતોવિસ્તાર: આ વેટલેન્ડ 22,700 હેક્ટરમાં…
પંચમહાલઃ પ્રસંગોને લઈને સામાજિક બંધારણ તૈયાર કરાયું-કુરિવાજો-ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની અનોખી પહેલ: અન્ય સમાજો માટે પ્રેરણા(એજન્સી) ગોધરા, પંચમહાલના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની નવી લહેર જોવા મળી છે. જેમાં સામાજિક પ્રસંગોમાં થતા ખોટા કુરિવાજો, ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની ભદ્રાલા ગામે યોજાયેલી બેઠકમાં બંધારણ ઘડવામાં આવ્યું છે.વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી સામે મધ્યમ અને ગરીબ વર્ગનો માણસ જ્યારે આર્થિક ભીંસ અનુભવી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની એક અનોખી પહેલ શરૂ થઈ છે. લગ્ન અને મરણ જેવા પ્રસંગોએ થતાં બિનજરૂરી ખર્ચ અને કુરિવાજો દૂર કરી શિક્ષિત બનો અને સંગઠિત બનોના સૂત્રને સાર્થક કરવા ક્ષત્રિય…
રાજકોટમાં હું નથુરામ ગોડસે નાટકનો જોરદાર વિરોધ થયો -રાજકોટના હેમુ ગઢવી હોલમાં હું નાથુરામ ગોડસે નાટક શરૂ થાય તે પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સેટ પર તોડફોડ કરી હતીરાજકોટ, રાજકોટ શહેરમાં આવેલા હેમુ ગઢવી હોલમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ધમાલ મચાવવામાં આવી છે. હેમ ગઢવી હોલમાં આજે હું નથુરામ નાટક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ નાટક શરૂ થાય તે પહેલા કોંગ્રેસના કાર્યકરો પહોંચી ગયા હતા, અને સેટમાં તોડફોડ કરી હતી. કોંગ્રેસ કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.રાજકોટના હેમુ ગઢવી હોલમાં હું નથુરામ ગોડસે નાટક શરૂ થાય તે પહેલા જોરદાર વિરોધ જોવા મળ્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસ અને દ્ગજીૈંંના…
