Author: gujarat

વિંછીયામાં પોલીસના દરોડા, જિલ્લા પંચાયતના સદસ્ય સવિતાબેન વસાણીની વાડીમાં ધમધમતી હતી મિનિ ફેક્ટરીરાજકોટ, રાજકોટના વિંછીયા તાલુકાના અમરાપુર ગામની સીમમાં આવેલી એક વાડીમાં રાજકોટ રૂરલ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે દરોડા પાડીને નકલી ઈંÂગ્લશ દારૂ બનાવતી એક મિનિ ફેક્ટરી નો પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે જે ખેતરમાં આ ગોરખધંધો ચાલતો હતો, તે રાજકોટ જિલ્લા પંચાયતના પીપરડી બેઠકના ભાજપના મહિલા સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ સવિતાબેન વસાણીનું છે, જેના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે.પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે અમરાપુર ગામની સીમમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે સવિતાબેન નાથાભાઈ વસાણીની વાડીમાં આવેલી ઓરડીમાં ઓચિંતા દરોડા…

Read More

અમદાવાદ, અમદાવાદનો નારોલ-વિશાલાને જોડતા શાસ્ત્રી બ્રિજ પર હવે ભારે વાહનો પસાર નહિ થઇ શકે, ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે. ૮ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ જાહેર કરાયો છે. બ્રિજના બેરિંગ અને પેડેસ્ટર જર્જરિત હોવાથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે.અમદાવાદમાં હાલ સુભાષ બ્રિજના સમારકામની કામગીરી ચાલુ છે. ત્યારે હવે શાસ્ત્રીબ્રિજથી પિરાણા સુધીનો રસ્તો આગામી ૧૧ મહિના માટે બંધ રહેશે. જેમા વિશાલા સર્કલથી પિરાણા ચાર રસ્તા સુધીનો ચાર કિલોમીટરના રસ્તો પર ભારે, મÎયમ અને પેસેન્જર વાહનોની અવરજવર માટે બંધ રહેશે.વિશાલા સર્કલથી પિરાણા સર્કલ સુધીનો ચાર કિલોમીટરનો રસ્તો ભારે, મÎયમ અને પેસેન્જર વાહનો માટે…

Read More

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક બજેટમાં મ્યુનિ. શાળાઓના બાળકોને બુટ-મોજા આપવા માટે રૂ.પ કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેનો હવે નીતિ નિયમ મુજબ અમલ કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીની સુચનાથી અમદાવાદ જિલ્લા હસ્તકની ૯ શાળાઓનો સમાવેશ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કરવામાં આવશે.મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ચેરમેન ડો.સુજય મહેતાના જણાવ્યા મુજબ શિક્ષણ સમિતિની ૪૫૩ મ્યુનિ. શાળાઓમાં ૧,૭૨,૫૭૬ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે પૈકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીના બજેટમાંથી રૂપિયા ૫ (પાંચ) કરોડની જોગવાઈ કરવામાં આવી હતી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નીતિ નિયમો મુજબની પ્રક્રિયા પૂર્ણ કરી ૧,૭૦,૦૦૦ વિદ્યાર્થીઓને બૂટ મોજા આપવામાં આવશે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા…

Read More

મહાનગરપાલિકાના પાંચ પ્લોટના ઓક્શનને મંજૂરી, રૂ.૫૨૮ કરોડની બેઝ વેલ્યૂ નક્કી કરાઈઅમદાવાદ (પ્રતિનિધિ)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિગ કમિટીમાં એસ.જી.હાઇવેના ડેવલપમેન્ટ અને પ્લોટ ના ઈ-ઓક્શનના કામોને મંજૂરી આપવામાં આવી હતી.મ્યુનિ.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે,આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ અમદાવાદ મહાનગરમાં યોજાવવા માટે જઈ રહી છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભારત સરકારના ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ હરણફાળ પ્રગતિ કરી છે અને વૈશ્વિક કક્ષાએ આ સિટીએ નામના મેળવી છે.અમદાવાદની ઓળખ સમાન એસ.જી હાઈવેને સનાથલ સર્કલથી શરૂ કરી ગાંધીનગરના જી-૭ સર્કલ સુધીનો આખો રોડ ડેવલોપ કરવા માટેનો લગભગ ૩૦ કિમીનો રોડ છે,…

Read More

(એજન્સી)અમદાવાદ, શહેરના વાસણા વિસ્તારમાં ચંદ્રનગર બીઆરટીએસ કોરીડોરમાં ગૌવંશ ભરેલી પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર બીઆરટીએસ ટ્રેકના દરવાજા, લાઈટના પોલ અને ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માત બાદ કાર ઊભી રહી ગઈ હતી અને એરબેગ ખુલી ગઈ હતી. જેમાં કારમાંથી ત્રણ શખસ ભાગી ગયા હતા જ્યારે એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્‌યો હતો. લોકોએ કારમાં જોતા ગૌવંશ હતું, જેથી તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવની વિગત એવી છે કે, શહેરમાં વાસણા વિસ્તારમાં આવેલા ચંદ્રનગર બીઆરટીએસ ટ્રેકમાં ગત મોડી રાતે જોરદાર અકસ્માત થયો…

Read More

(એજન્સી)અમદાવાદ, ગુજરાત સાયબર પોલીસે એક એવા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેણે આખા દેશમાં સનસનાટી મચાવી દીધી છે. ભારતભરના ૨૮ રાજ્યોમાં કુલ ૧૫૩૪ જેટલા સાયબર ગુના આચરનાર એક અત્યંત સંગઠિત ગેંગને પોલીસે દબોચી લીધી છે.આ ટોળકીએ અત્યાર સુધીમાં નિર્દોષ લોકો પાસેથી અંદાજે ૯૩૦ કરોડ રૂપિયા ખંખેરી લીધા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે આ મામલે ગીર સોમનાથના વેરાવળ સહિતના વિસ્તારોમાંથી કુલ ૫ ભેજાબાજ આરોપીઓની ધરપકડ કરી છે.તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકીએ છેતરપિંડીના કાળા નાણાંને સગેવગે કરવા માટે બેંકોમાં ૮૦ જેટલા બોગસ એકાઉન્ટ્‌સ ખોલાવ્યા હતા. આ એકાઉન્ટ્‌સ ભાડે અથવા અન્ય વ્યક્તિઓના નામે ખોલાવી તેમાં છેતરપિંડીની રકમ જમા કરાવવામાં આવતી હતી.…

Read More

બાળકની કસ્ટડી માટેની પિતાની હેબિયસ કોર્પસ અરજી રદ કરતો હાઇકોર્ટનો ચુકાદો(એજન્સી)અમદાવાદ, પતિ-પત્નીના વૈવાહિક જીવનને લગતાં વિવાદોમાં બાળકની પરિસ્થિતિ સૌથી દયનીય હોય છે. આવા કિસ્સામાં કસ્ટડીના કેસો સૌથી વધુ દુઃખ આપનારા બની જતા હોય છે.બાળકની કસ્ટડીના એક કાનૂની જંગમાં હાઇકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા પિતાની બાળકની કસ્ટડી માટેની અરજી ફગાવી કાઢતા એવું મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે કે જૈવિક માતા જોડે બાળકની કસ્ટડીને ગેરકાયદેસર કે જોખમી કહી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે બાળકની કસ્ટડી માટેના કાયદા હેઠળની અરજીના બદલે પિતા તરફ હેબિયસ કોર્પસ અરજી કરવામાં આવી હતી અને તેને હાઇકોર્ટે ગુણદોષ વિનાની ઠરાવી રદ કરી હતી.જોકે પિતાને એવી છૂટ પણ આપી હતી કે…

Read More

IPS Ajay Chaudhary: ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાની ચર્ચા સમગ્ર દેશમાં થાય છે. મહિલા સશક્તિકરણ અને સુરક્ષા બંને ગુજરાત મોડલના અત્યંત મહત્વના બિંદુઓ રહ્યા છે. ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે આજકાલ ગુજરાત પોલીસ દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે. જેમાં મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓમાં ઝડપી ચાર્જશીટ જેવા પગલાં સામેલ છે. ગુજરાત પોલીસમાં એડીજીપી વુમન સેલ તરીકે જવાબદારી સંભાળતા આઈપીએસ અજય ચૌધરીએ સીઆઈડી ક્રાઈમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સાથે મળીને એક મોટું અભિયાન ચલાવ્યું. આ અભિયાન હેઠળ વડોદરા, પાટણ સહિત રાજ્યમાં બાળ મજૂરીના છ કિસ્સાઓ પકડાયા હતા. ગુજરાત પોલીસના વુમન ક્રાઈમ સેલે અભિયાન દરમિયાન દરોડા પાડીને બાળકો અને મહિલાઓને મુક્ત કરાવ્યા…

Read More

ગાંધીનગર જીઆઈડીસીમાં ઉત્તરાખંડના મિલ માલિક અને મેનેજર સામે ફરિયાદગાંધીનગર, શુગર મિલમાં વધુ નફો થવાની લાલચમાં આવી ગયેલા ગાંધીનગર જિલ્લાના માણસા ખાતેના વેપારીએ રૂપિયા ૧ કરોડ ગુમાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.ઉત્તરાખંડ સ્થિત એક શુગર મિલના માલિક અને જનરલ મેનેજરે મોલાસીસનો જથ્થો પુરો પાડવાના બહાને માણસાના વેપારી પાસેથી કરોડ રૂપિયા મેળવી માલ કે નાણાં પરત નહી આપી હાથ અધ્ધર કરી લીધા હોવા અંગે ગાંધીનગર જીઆઈડીસીમાં નોંધાયેલી ફરિયાદના આધારે ઉત્તરાખંડના મિલ માલિક અને મેનેજર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.માણસા જીઆઈડીસીમાં ગુજરાત એગ્રીકો ટ્રેડિંગ પેઢી ચલાવતા અમરતભાઈ વેલજીભાઈ ચૌધરીએ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે. અમરતભાઈને તેમના મહેસાણા સ્થિત વેપારી મિત્ર કમલેશભાઈ ભાવસારે…

Read More

હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ઈન્સ્ટાગ્રામના માધ્યમથી થયેલા પ્રેમ સંબંધમાં અંધ બની, પોતાના બે બાળકો અને પરિવારને છોડીને હિંમતનગર દોડી આવેલી ર૦ વર્ષીય પરણિત મહિલાને સમજાવટ અને કાઉન્સેલિગ બાદ તેના પરિવાર સાથે સુરક્ષિત પુનઃ સ્થાપન કરવામાં આવ્યું હતું.રાધનપુર વિસ્તારની ર૦ વર્ષીય એક મહિલા હિંમતનગરના એક યુવક સાથે લગ્ન કરવાની જીદ સાથે રાત્રિના સમયે એકલી હિંમતનગર આવી પહોંચી હતી. આ બાબતની જાણ થતા મહિલા અને બાળ અધિકારીશ્રી તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટરના સામાજિક કાર્યકર દ્વારા મહિલાને આશ્રય આપી પુછપરછ શરૂ કરવામાં આવી હતી.શરૂઆતમાં…

Read More