બાળકની કસ્ટડી માટેની પિતાની હેબિયસ કોર્પસ અરજી રદ કરતો હાઇકોર્ટનો ચુકાદો(એજન્સી)અમદાવાદ, પતિ-પત્નીના વૈવાહિક જીવનને લગતાં વિવાદોમાં બાળકની પરિસ્થિતિ સૌથી દયનીય હોય છે. આવા કિસ્સામાં કસ્ટડીના કેસો સૌથી વધુ દુઃખ આપનારા બની જતા હોય છે.બાળકની કસ્ટડીના એક કાનૂની જંગમાં હાઇકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા પિતાની બાળકની કસ્ટડી માટેની અરજી ફગાવી કાઢતા એવું મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે કે જૈવિક માતા જોડે બાળકની કસ્ટડીને ગેરકાયદેસર કે જોખમી કહી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે બાળકની કસ્ટડી માટેના કાયદા હેઠળની અરજીના બદલે પિતા તરફ હેબિયસ કોર્પસ અરજી કરવામાં આવી હતી અને તેને હાઇકોર્ટે ગુણદોષ વિનાની ઠરાવી રદ કરી હતી.જોકે પિતાને એવી છૂટ પણ આપી હતી કે…
Author: gujarat
IPS Ajay Chaudhary: ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાની ચર્ચા સમગ્ર દેશમાં થાય છે. મહિલા સશક્તિકરણ અને સુરક્ષા બંને ગુજરાત મોડલના અત્યંત મહત્વના બિંદુઓ રહ્યા છે. ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે આજકાલ ગુજરાત પોલીસ દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે. જેમાં મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓમાં ઝડપી ચાર્જશીટ જેવા પગલાં સામેલ છે. ગુજરાત પોલીસમાં એડીજીપી વુમન સેલ તરીકે જવાબદારી સંભાળતા આઈપીએસ અજય ચૌધરીએ સીઆઈડી ક્રાઈમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સાથે મળીને એક મોટું અભિયાન ચલાવ્યું. આ અભિયાન હેઠળ વડોદરા, પાટણ સહિત રાજ્યમાં બાળ મજૂરીના છ કિસ્સાઓ પકડાયા હતા. ગુજરાત પોલીસના વુમન ક્રાઈમ સેલે અભિયાન દરમિયાન દરોડા પાડીને બાળકો અને મહિલાઓને મુક્ત કરાવ્યા…
ગાંધીનગર જીઆઈડીસીમાં ઉત્તરાખંડના મિલ માલિક અને મેનેજર સામે ફરિયાદગાંધીનગર, શુગર મિલમાં વધુ નફો થવાની લાલચમાં આવી ગયેલા ગાંધીનગર જિલ્લાના માણસા ખાતેના વેપારીએ રૂપિયા ૧ કરોડ ગુમાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.ઉત્તરાખંડ સ્થિત એક શુગર મિલના માલિક અને જનરલ મેનેજરે મોલાસીસનો જથ્થો પુરો પાડવાના બહાને માણસાના વેપારી પાસેથી કરોડ રૂપિયા મેળવી માલ કે નાણાં પરત નહી આપી હાથ અધ્ધર કરી લીધા હોવા અંગે ગાંધીનગર જીઆઈડીસીમાં નોંધાયેલી ફરિયાદના આધારે ઉત્તરાખંડના મિલ માલિક અને મેનેજર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.માણસા જીઆઈડીસીમાં ગુજરાત એગ્રીકો ટ્રેડિંગ પેઢી ચલાવતા અમરતભાઈ વેલજીભાઈ ચૌધરીએ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે. અમરતભાઈને તેમના મહેસાણા સ્થિત વેપારી મિત્ર કમલેશભાઈ ભાવસારે…
હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ઈન્સ્ટાગ્રામના માધ્યમથી થયેલા પ્રેમ સંબંધમાં અંધ બની, પોતાના બે બાળકો અને પરિવારને છોડીને હિંમતનગર દોડી આવેલી ર૦ વર્ષીય પરણિત મહિલાને સમજાવટ અને કાઉન્સેલિગ બાદ તેના પરિવાર સાથે સુરક્ષિત પુનઃ સ્થાપન કરવામાં આવ્યું હતું.રાધનપુર વિસ્તારની ર૦ વર્ષીય એક મહિલા હિંમતનગરના એક યુવક સાથે લગ્ન કરવાની જીદ સાથે રાત્રિના સમયે એકલી હિંમતનગર આવી પહોંચી હતી. આ બાબતની જાણ થતા મહિલા અને બાળ અધિકારીશ્રી તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટરના સામાજિક કાર્યકર દ્વારા મહિલાને આશ્રય આપી પુછપરછ શરૂ કરવામાં આવી હતી.શરૂઆતમાં…
વિકસિત વિસ્તાર સર્વેલન્સ અને પર્યાવરણ સેન્સરથી સજ્જ થશેગાંધીનગર, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના આધુનિકીકરણ અને નાગરિકોની સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદેશ્ય સાથે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અત્યાર સુધી માત્ર સેકટર વિસ્તારો પૂરતી સીમિત રહેલી સ્માર્ટ સિસ્ટમનો વ્યાપ વધારીને હવે શહેરના નવ વિકસિત વિસ્તારોમાં પણ અત્યાધુનિક ‘સ્માર્ટ પોલ’ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેકટ દ્વારા ગાંધીનગર ડેટા આધારિત અને નાગરિક કેન્દ્રિત સ્માર્ટ સિટી બનવાની દિશામાં વધુ એક ડગલું આગળ વધશે.આ નવનિર્મિત સ્માર્ટ પોલ મલ્ટિ- ફંકશનલ સુવિધાઓથી સજ્જ હશે, જેમાં મુખ્યત્વે પર્યાવરણ મોનિટરિંગ સેન્સરનો સમાવેશ થાય છે. આ સેન્સર દ્વારા શહેરના વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર, તાપમાન, ભેજ અને અવાજ પ્રદૂષણ…
Øબાળકો-માતાઓને પોષણક્ષમ આહારની સાથે આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના હેતુથી ‘WCDકવરેજ ડ્રાઈવ’ યોજાઈØ૨.૫૫ લાખથી વધુ આદિવાસી વિસ્તારના તથા ૨.૦૭ લાખથી વધુ ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓ ઉમેરાયારાજ્યનો કોઈ પણ બાળક કે માતા પોષણ અને આરોગ્યની સેવાથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મનીષા વકીલના નેતૃત્વમાં રાજ્યની સગર્ભા મહિલાઓ,ધાત્રી માતાઓ અને ૦ થી ૬ વર્ષના બાળકોને પોષણક્ષમ આહાર અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના ઉમદા હેતુથી એક વિશેષ ‘WCDકવરેજ ડ્રાઈવ’ ચલાવવામાં આવી છે. જે અંતર્ગત ૫.૧૪ લાખ નવા લાભાર્થીઓને આંગણવાડીની યોજનાઓ સાથે જોડવામાં આવ્યા છે.રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના મુખ્યમંત્રીશ્રીના વિઝનને સાકાર…
Gujarat student slapped teacher: ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ૧૨મા ધોરણની પ્રિલિમિનરી પરીક્ષામાં મોડા આવવા પર સામાન્ય ઠપકો આપવાથી એક વિદ્યાર્થી એટલો નારાજ થઈ ગયો કે તેણે કથિત રીતે મહિલા સુપરવાઈઝરને લાફો મારી દીધો, કારણ કે તેણે (શિક્ષિકાએ) તેના આ વર્તન પર સવાલ ઉઠાવવાની ‘હિંમત’ કરી હતી. પોલીસે જણાવ્યું કે બાદમાં તે વિદ્યાર્થી તેના પિતા અને કેટલાક અન્ય લોકો સાથે સ્કૂલે પાછો આવ્યો અને એકલા રહેતા અધ્યાપિકાને નુકસાન પહોંચાડવાની કથિત રીતે ધમકી આપી.એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ૨૪ જાન્યુઆરીએ બની હતી જેનું CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયું, જેના પરિણામે લોકોએ નારાજગી વ્યક્ત કરી અને પછી પોલીસે આરોપીઓને જાહેરમાં રજૂ…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફાગવેલની પવિત્ર ધરતી પરથી ખેડા જિલ્લાને રૂ. ૩૪૮ કરોડથી વધુના ૩૧ વિકાસકાર્યોની ભેટ ધરીફાગવેલના આંગણે આજે વિકાસનો નવો સૂરજ ઊગ્યો,વિકાસલક્ષી કામોની ભેટ મળતા આ વિસ્તારની કાયાપલટ થશે: કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીખેડા જિલ્લો ‘ગોલ્ડન લીફ’ થી હવે ‘ગોલ્ડન ડેવલપમેન્ટ’ તરફ અગ્રેસર: રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહીડામુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે વીર ભાથીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂ. ૩૪૮ કરોડથી વધુ રકમના ૩૧ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ પ્રસંગે તેમણે જાહેરાત કરી હતી કે,નવનિર્મિત ફાગવેલ તાલુકાના વહીવટને વેગ આપવા માટે અત્યાધુનિક તાલુકા સેવા સદનનું નિર્માણ એક જ…
Chhari Dhand Ramsar Site: ગુજરાતના કચ્છમાં સ્થિત છારી ઢાંઢ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ (Chhari Dhand Wetland Conservation Reserve) ને રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરાતથી હવે છારી વેટલેન્ડને આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ તરીકે માન્યતા મળી છે. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ કરવામાં આવેલી આ જાહેરાત ભારતના વેટલેન્ડ સંરક્ષણ પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે અને વૈશ્વિક જૈવવિવિધતા સંરક્ષણમાં ગુજરાતની વધતી ભૂમિકાને રેખાંકિત કરે છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રામસર પ્રમાણપત્ર અર્પણ કર્યું. આ સાથે જ, છારી ઢાંઢ ગુજરાતનું પાંચમું અને કચ્છ વિસ્તારનું પ્રથમ રામસર સ્થળ બની ગયું છે.ક્યાં છે છારી ઢાંઢ વેટલેન્ડછારી ઢાંઢ વેટલેન્ડ ૨૨૭૦૦ હેક્ટરમાં…
આ સેન્ટર આઈઆઈટી ગાંધીનગરના કલાઈમેટ ચેન્જ વિભાગના અધ્યાપકોની ટીમ તૈયાર કરાયેલા રિસર્ચ અને મળેલ પેન્ટના આધારે ઊભુ કરવામા આવ્યુહવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂર આવશે તે ખબર પડી જશેગાંધીનગર,IIT ગાંધીનગર દ્વારા કેમ્પસમાં આવેલા રિસર્ચ પાર્કમાં એઆઈ અને ફીઝિક્સ રીઅલ ટાઈમ ડેટા આધારિત કલાઈમેન્ટ સેન્ટર શરૂ કરાયું છે. જે હવે શહેરોમાં વરસાદની આગાહી-હવામાના વિભાગના ડેટા પરથી જ પૂરની આગોતરી માહિતી આપી દેશે. આ એઆઈ બેઝ કમાન્ડ સેન્ટર પૂરની રીયલ ટાઈમ જાણકારી શહેરોને આપશે અને જેનાથી આગોતરા પગલા પણ તંત્ર દ્વારા લઈ શકાશે.આજે ભારતના અનેક શહેરોમાં વધતા શહેરીકરણ સાથે પૂરનું જોખમ ખૂબ જ વધ્યું છે, ત્યારે પૂર સમયે કરોડો રૂપિયાના નુકશાન…
