આર્થિક તંગીથી કંટાળી અંતિમ પગલું ભર્યુંવેપારી પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં નાણાં ન ચૂકવનાર લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પુત્રએ ઉમેર્યું હતુંભાવનગર,ભાવનગર શહેરના શિશુવિહાર વિસ્તારમાં રહેતા અને અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં સ્ક્રેપનો વ્યવસાય કરતા ૫૦ વર્ષીય વેપારીએ જમનાકુંડ સ્થિત કેજીએન મસ્જિદમાં આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ધંધામાં લાંબા સમયથી ઉધાર આપેલા માલના નાણાં પરત ન મળતા આર્થિક સંકડામણને કારણે વેપારીએ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતા ગંગાજળિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.મૃતકના પુત્ર જુનેદભાઈના જણાવ્યા અનુસાર, તેમના પિતા મુસ્તુભાઈ આહમદભાઈ જાકા છેલ્લા ત્રણ વર્ષથી…
Author: gujarat
બંધ વીમા પોલિસીના પ્રિમીયમનો ચેક મોકલી છેતરપિંડી કરીકર્મચારીએ વર્ષ ર૦૧૪થી ર૦૧૭ દરમિયાન ત્રણ ખાનગી કંપનીઓમાંથી વીમા પોલીસી લીધી હતીહિંમતનગર,વડાલી તાલુકાના કંબોસણી ગામના એક નિવૃત્ત કર્મચારી સાથે બે અજાણ્યા વ્યકિતઓએ ઈરડાના મેનેજરની ખોટી ઓળખ આપીને ટપાલ મારફતે મોકલી આપેલા ચેકના ઓર્ડરમાં રૂ. ૯૭.૭૧ લાખની રકમ મળવાપાત્ર થાય છે તેમ કહી કંબોસણીના આ વૃદ્ધાને લાલચ આપી ખાતા નંબરો વોટ્સએપ મારફતે મેળવી લીધા હતા. ત્યારબાદ જણાવેલ રકમમાંથી ૧પ ટકા રકમ પ્રથમ જમા કરાવવાનું કહી આ બંને જણાએ અંદાજે રૂ. ર૩.૧૮ લાખ લઈ લીધા બાદ પરત નહીં આપી છેતરપિંડી કરી હતી.જે અંગે વડાલી પોલીસ મથકમાં બે વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ…
અમારા હક્કની રકમ પરત કરો, રજા પગાર આપો : કર્મચારીઆ ઘટનાએ હોસ્પિટલના વહીવટી સહિતના સ્ટાફ અને દર્દીઓને ચકરાવે ચઢાવી દીધા હતાં. તેની સીધી અસર દર્દીઓને થઈ હતીગાંધીનગર,ગાધીનગર સિવિલ હોસ્પિટલમાં આઉટ સોર્સીગ એજન્સી દ્વારા વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓની ભરતી કરીને સિવિલનું સંચાલન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ રજાના પગારની રકમ નહીં મળતા વર્ગ ૪ના કર્મચારીઓએ સિવિલનું સંચાલન ખોરવી નાખ્યુ હોવાથી સ્ટાફ સહિત દર્દીઓ ભારે પરેશાનીમાં મુકાઇ ગયા હતાં.સિવિલમાં આજે સવારથી વર્ગ-૪ના આઉટસોર્સિસ કર્મચારીઓ હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે અને દવા વિતરણ બારી નજીક એકઠા થયા હતા અને નારાબાજી કરી ભારે હોબાળો મચાવ્યો હતો.‘રજા પગાર આપો, અમારા હક્કની રકમ પરત કરો’ જેવા નારા…
ટોળકીએ ગુજરાતમાં ૨૬૪ ગુના આચર્યા હોવાની કબૂલાત કરીટોળકીએ દેશભરના ૨૮ રાજ્યોમાં અંદાજે ૮૦ મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં રૂ.૯૩૦ કરોડથી વધુની સાયબર ઠગાઈની રકમ જમા કરાવીઅમદાવાદ,સાયબર માફિયાઓ દ્વારા જુદી-જુદી મોડસ ઓપરેન્ડી અપનાવી સાયબર ઠગાઈ આચરવામાં આવે છે. ઠગાઈથી મેળવેલા નાણાંને રોકડમાં રૂપાંતરિત કરવા માટે નજીવા કમિશનની લાલચ આપી મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવે છે. આવી જ એક ટોળકી ઝડપાઈ છે, જેણે દેશભરના ૨૮ રાજ્યોમાં અંદાજે ૮૦ મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં રૂ.૯૩૦ કરોડથી વધુની સાયબર ઠગાઈની રકમ જમા કરાવી હતી.આ રકમને બાદમાં દુબઈ મારફતે રોકડમાં ફેરવી લેવાઈ હોવાનું ખૂલ્યું છે. આ ટોળકી દ્વારા ખોલાવવામાં આવેલા બેંક એકાઉન્ટ્સના આધારે અત્યાર સુધીમાં…
ડૉ.પ્રીતિ અદાણીએ કહ્યું, જીવનની સુખદ પળોને સમાજ સાથે વહેંચવી સાચી સેવાઅદાણી મંગલ સેવાને એક વર્ષ પૂર્ણ ઃ આ પહેલ અંતર્ગત પ૦૦ લાભાર્થી દિવ્યાંગ મહિલાઓને રૂ.૧૦ લાખની ફિકસ ડિપોઝિટ કરી આપી પ૦ કરોડનું ફંડ ફાળવ્યું(એજન્સી)અમદાવાદ, સામાજિક પ્રતિબદ્ધતાના સંકલ્પને સેવારૂપ આગળ વધારવાની ભાવના સાથે રચાયેલ અદાણી મંગલ સેવાને એક વર્ષ અને સાથે સાથે દિવા અને જીત અદાણીના વૈવાહિક જીવનના પ્રથમ વર્ષ (મેરેજ એનિવર્સરી)ની ઉજવણી નિમિત્તે અમદાવાદના શાંતિગ્રામ સ્થિત બેલ્વેડેર કલબમાં વિશેષ ઉજવણી કરાઈ હતી. ગૌતમ અદાણીએ ‘એકસ’ (જૂનું ટ્વીટર) પર ટ્વીટ કરીને જીત અને દિવાને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.Adani Group Chairperson Gautam Adani’s son and daughter-in-law, Jeet and Diva Adani, complete one…
અમદાવાદ, શહેરના નરોડા વિસ્તારમાં મુક્તિધામ નજીક આવેલા અમરનાથ એસ્ટેટમાં અગરબત્તીના કારખાનામાં ગત મોડી રાત્રે આગ લાગી હતા અને આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડની ૯ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ત્રણ કલાક પાણીનો સતત મારો કરીને આગને કાબૂમાં લીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે, થોડા સમયમાં જ આખું કારખાનું સળગી ઊઠ્યું હતુ અને આસપાસના રહેવાસીઓમાં પણ ભય ફેલાયો હતો.આ ઘટનામાં કોઈ પણ જાનહાની થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ બનાવની વિગતએવી છે કે, શહેરના નરોડા વિસ્તારામાં મુક્તિધામ પાસે અમરનાથ એસ્ટેટ આવેલું છે, જેમાં અગરબત્તીની કારખાનામાં ગત રાત્રે…
ચેકડેમ મુદ્દે ભજપુરામાં તણાવ સરપંચ-તલાટી સામે ગંભીર આક્ષેપહિંમતનગર, વડાલી તાલુકાના ભજપુરા ગામની સીમમાં છેલ્લા કેટલાક વખતથી ચેકડેમનું નામોનિશાન મીટાવી દીધુ હોવાના આક્ષેપ બાદ ગામમાં આ મુદ્દે વિવાદ શરૂ થયો છે ત્યારે ગામના મહિલા સરપંચના પતિ દ્વારા ચેકડેમ પૈકીની કેટલીક જમીન પર દબાણ કરવાના આરોપોને લઈને ગામના જાગૃત નાગરિકએ તાજેતરમાં મુખ્યમંત્રી ઓનલાઈન પોર્ટલ પર અરજી કર્યા બાદ મામલો વધુ વણસ્યો છે.આ અંગેની વિગત એવી છે કે વડાલીના ભજપુરાની સીમમાં ચેકડેમના વિવાદ દરમ્યાન ગામના જાગૃત નાગરિક દીપક દિનેશભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીના ઓનલાઈન કાર્યક્રમમાં કરેલી અરજીના અનુસંધાને મહિલા સરપંચના પતિ માનસિક દબાણમાં આવી ગયા હતા ત્યારબાદ તેમણે પંચાયત દ્વારા અરજદાર અને જાગૃત નાગરિક તથા…
ભૂપેન્દ્ર દાદાએ બનાસકાંઠાની દીકરીને આપેલું વચન પાળ્યું‘જે કહેવું તે કરવું’નો વડાપ્રધાનશ્રીનો આપેલો કાર્યમંત્ર મુખ્યમંત્રીશ્રીએ સાકાર કર્યો·દીકરી સામ્યાની એક લાગણી… અને મુખ્યમંત્રીશ્રીનું એક વચન: બનાસકાંઠામાં સાકાર થયો સહજ સંવાદ·વિડીયો સંવાદમાં આપેલા વચનથી શાળા મુલાકાત સુધી: સામ્યા અને મુખ્યમંત્રીશ્રીનો લાગણીસભર સહજ સંવાદ·ભણીને કલેક્ટર બનજે” — મુખ્યમંત્રીશ્રીના આશીર્વાદ·આજે મારું અને મારી સ્કૂલનું સપનું પૂરું થયું: સામ્યા પ્રજાપતિમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની વડીલસહજ વાત્સલ્યતા અને માનવીય સંવેદનશીલતાનો પરિચય અવારનવાર આપતા રહ્યા છે. તેમનો આવો જ એક લાગણીસભર પ્રસંગ બનાસકાંઠા જિલ્લાના પી.એમ.શ્રી ઉત્તમપુરા (ડાંગીયા) અનુપમ પ્રાથમિક શાળામાં જોવા મળ્યો.તા. ૨૮/૦૪/૨૦૨૫ના રોજ યોજાયેલા એક વીડિયો સંવાદ દરમિયાન ધોરણ–૧માં અભ્યાસ કરતી દીકરી સામ્યા પ્રજાપતિએ સહજતા સાથે મુખ્યમંત્રીશ્રીને…
અમરેલીમાંIVFટેકનોલોજી દ્વારા રાજ્યની પ્રથમ ગીર વાછરડીનો સફળ જન્મ: પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીઅમરેલી એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરી ખાતે ઉપલબ્ધ વધુ ૩૦ રેસિપિયન્ટ પશુઓમાં પણIVFથી થશે ભ્રૂણ પ્રત્યારોપણરાજ્યના પશુપાલકો માટે‘કામધેનુ‘સાબિત થશેIVFટેકનોલોજી: એક ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ગાયથી મળશે ૧૦૦ ઉત્તમ બચ્ચાં!ગુજરાતના પશુપાલન અને ડેરી ઉદ્યોગના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ આલેખાયું છે. અમરેલી ખાતે સ્થિત ગુજરાત પશુધન વિકાસ બોર્ડ (GLDB)હસ્તકની એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરી ખાતે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)જેવી અત્યંત આધુનિક પદ્ધતિથી રાજ્યમાં પ્રથમવાર ગીર ઓલાદની વાછરડીનો સફળ જન્મ થયો છે. આ સિદ્ધિ માત્ર એક પ્રયોગ નહીં,પરંતુ ગુજરાતના પશુપાલકો માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલનારી એક વૈજ્ઞાનિક ક્રાંતિ છે.ગુજરાતના પશુપાલકોને પશુ સંવર્ધનની આ આધુનિક ટેકનોલોજીનો વ્યાપક…
પ્રધાનમંત્રી મોદીની સંરક્ષણની દિર્ધ દ્રષ્ટિએ છારીઢાંઢ જળપ્લાવિત વિસ્તારને વૈશ્વિક ઓળખ અપાવીશુક્રવારે વન વિભાગ તરફથી વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને છારીઢાંઢને મળેલું વૈશ્વિક રામસર સાઇટનુ પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું.ગુજરાતનાં કચ્છ જિલ્લામાં આવેલા છારીઢાંઢ જળપ્લાવિત વિસ્તારને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની દુરંદેશી સંરક્ષણ દ્રષ્ટિના પરિણામે વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતા જળપ્લાવિત વિસ્તારોમાં (રામસર સાઇટ)સ્થાન મળ્યું છે.છારીઢાંઢ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વને ૩૧ જાન્યુઆરી,૨૦૨૬ના રોજ સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ (આંતરરાષ્ટ્રીય મહત્વનું ધરાવતો જળપ્લાવિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવ્યું અને એ સાથે જ ભારતની જળપ્લાવિત વિસ્તારોનાં સંરક્ષણની યાત્રામાં નવું છોગુ ઉમેરાયું.શુક્રવારે (06,ફેબ્રઆરી) વન વિભાગ તરફથી વન અને પર્યાવરણ મંત્રી શ્રી…
