Author: gujarat

અમરેલીમાંIVFટેકનોલોજી દ્વારા રાજ્યની પ્રથમ ગીર વાછરડીનો સફળ જન્મ: પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીઅમરેલી એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરી ખાતે ઉપલબ્ધ વધુ ૩૦ રેસિપિયન્ટ પશુઓમાં પણIVFથી થશે ભ્રૂણ પ્રત્યારોપણરાજ્યના પશુપાલકો માટે‘કામધેનુ‘સાબિત થશેIVFટેકનોલોજી: એક ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ગાયથી મળશે ૧૦૦ ઉત્તમ બચ્ચાં!ગુજરાતના પશુપાલન અને ડેરી ઉદ્યોગના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ આલેખાયું છે. અમરેલી ખાતે સ્થિત ગુજરાત પશુધન વિકાસ બોર્ડ (GLDB)હસ્તકની એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરી ખાતે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)જેવી અત્યંત આધુનિક પદ્ધતિથી રાજ્યમાં પ્રથમવાર ગીર ઓલાદની વાછરડીનો સફળ જન્મ થયો છે. આ સિદ્ધિ માત્ર એક પ્રયોગ નહીં,પરંતુ ગુજરાતના પશુપાલકો માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલનારી એક વૈજ્ઞાનિક ક્રાંતિ છે.ગુજરાતના પશુપાલકોને પશુ સંવર્ધનની આ આધુનિક ટેકનોલોજીનો વ્યાપક…

Read More

પ્રધાનમંત્રી મોદીની સંરક્ષણની દિર્ધ દ્રષ્ટિએ છારીઢાંઢ જળપ્લાવિત વિસ્તારને વૈશ્વિક ઓળખ અપાવીશુક્રવારે વન વિભાગ તરફથી વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને છારીઢાંઢને મળેલું વૈશ્વિક રામસર સાઇટનુ પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું.ગુજરાતનાં કચ્છ જિલ્લામાં આવેલા છારીઢાંઢ જળપ્લાવિત વિસ્તારને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની દુરંદેશી સંરક્ષણ દ્રષ્ટિના પરિણામે વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતા જળપ્લાવિત વિસ્તારોમાં (રામસર સાઇટ)સ્થાન મળ્યું છે.છારીઢાંઢ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વને ૩૧ જાન્યુઆરી,૨૦૨૬ના રોજ સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ (આંતરરાષ્ટ્રીય મહત્વનું ધરાવતો જળપ્લાવિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવ્યું અને એ સાથે જ ભારતની જળપ્લાવિત વિસ્તારોનાં સંરક્ષણની યાત્રામાં નવું છોગુ ઉમેરાયું.શુક્રવારે (06,ફેબ્રઆરી) વન વિભાગ તરફથી વન અને પર્યાવરણ મંત્રી શ્રી…

Read More

ભારત–યુરોપિયન યુનિયન એફટીએ: વૈશ્વિક વેપારમાં નવા યુગની શરૂઆતઉચ્ચ-વૃદ્ધિ નિકાસ ક્ષેત્રોને નવી ગતિ આપતો ઐતિહાસિક કરારVGRCદક્ષિણ ગુજરાત: ભારત–EUએફટીએ દ્વારા સર્જાતી તકો પર ચર્ચા માટે વ્યૂહાત્મક મંચભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલો મુક્ત વેપાર કરાર (FTA)ભારતની વૈશ્વિક આર્થિક ભાગીદારીમાં એક ઐતિહાસિક માઈલસ્ટોન સાબિત થવાનો છે. આ કરાર ભારતના વિશ્વસનીય,પારદર્શક અને બહુપક્ષીય વેપાર અભિગમને મજબૂત બનાવે છે તથા નિકાસ,રોકાણ અને ઔદ્યોગિક વૃદ્ધિ માટે નવા અવસરો ઊભા કરે છે. આ એફટીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.હાલમાં યુરોપિયન યુનિયન તરફ ભારતની નિકાસ આશરે રૂ.1.44લાખ કરોડ (USD 16.6બિલિયન) છે. એક વિકસતી અર્થવ્યવસ્થા તરીકે,ભારતે97%ટેરિફ લાઇન અને99.5%વેપાર મૂલ્યમાં યુરોપિયન…

Read More

અમદાવાદ, સ્ત્રીઓની સર્જનાત્મકતા અને સાહસની ઉજવણી માટે સમર્પિત પરંપરાગત દિવસ, ‘સેન્ટ બ્રિજિડ્સ ડે’ નિમિત્તે, આયર્લેન્ડ એમ્બેસી અને કૉન્સ્યુલેટ જનરલ ઓફ આયર્લેન્ડ, મુંબઈ દ્રારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ના સહયોગથી સર્વસમાવિષ્ટ નેતૃત્વની શક્તિ પર કેન્દ્રિત એક પ્રેરણાદાયી સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું.AMA to celebrate Women’s Leadership and the Legacy of Mrs. Mary Robinson, Former President of Irelandઆ કાર્યક્રમમાં ડોક્યુમેન્ટરી ‘શ્રીમતી રોબિન્સન’નું વિશેષ સ્ક્રિનિંગ યોજાયું હતું, જે આયર્લેન્ડના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ અને માનવ અધિકાર માટેના ભૂતપૂર્વ યુએન હાઈ કમિશનર મેરી રોબિન્સનના જીવન અને અગ્રણી કાર્યોને દર્શાવે છે. આ ફિલ્મ ક્લાયમેટ જસ્ટિસ, લિંગ સમાનતા અને મૂળભૂત માનવ અધિકારો અંગેના વૈશ્વિક સંવાદોને આકાર આપવામાં તેમની…

Read More

દરિયા કિનારા હેરાફેરીનું એપી સેન્ટરઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવતા ડ્રગ્સને ગુજરાતની દરિયાઈ સીમામાંથી ઘૂસાડાય છેનવી દિલ્હી, ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ માફિયાઓ માટે હબ બની ગયું છે. ૨૦૨૦થી ૨૦૨૫ એમ ૬ વર્ષમાં ગુજરાતમાંથી ૧.૩૦ લાખ કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં ૭૧,૪૮૭ કિલો ગાંજા,૫૬,૪૭૭ કિલો અફીણ, ૨૦૪ કિલો કોકેઇન અને ૨૦૪૭ કિલો સિન્થેટિક ડ્રગ્સનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કંડલા, મુન્દ્રા, પીપાવાવ ગાંધીધામ, પોરબંદર વગેરે બંદરો ડ્રગ્સ માફિયાઓનાં હોટ ફેવરીટ બની ગયા છે. ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના પોર્ટ અને દરિયાકિનારાને ડ્રગ્સની હેરાફેરીનું સેન્ટર બનાવી દીધું છે.ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવતા ડ્રગ્સને ગુજરાતની દરિયાઈ સીમામાંથી ઘૂસાડાય છે અને પછી દેશમાં અન્ય કોઈ ઠેકાણે આ…

Read More

પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યોધર્મજ ગામના વૃદ્ધ તારાપુર હાઈવે ઉપરથી બાઈક લઈને પસાર થતાં હતાં ત્યારે આગળ જતાં વાહનની પાછળ અથડાતા મોત નિપજ્યુંઆણંદ,આણંદ જિલ્લાના વાસદ તારાપુર હાઇવે રોડ ઉપર આવેલા માણેજ ગામ નજીક ગિરનાર હોટલ સામેથી પસાર થતાં ધર્મજ ગામના વૃદ્ધ બાઈકચાલક સાંજના અરસામાં આગળ જતાં વાહન પાછળ અથડાતા મોત નિપજ્યાની ફરિયાદ પેટલાદ રૂરલ પોલીસમથકમાં નોંધાઈ છે.આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ધર્મજ ગામે ૭૦ વર્ષીય બીપીનભાઈ ઠાકોરભાઈ પટેલ એકલા રહેતા હતા. જ્યારે બીપીનભાઈ પટેલના પત્ની જયશ્રીબેન અને બે દીકરીઓ રીંકુબેન ડિમ્પલબેન સાથે કેન્યા નેરોબી સાથે વિદેશમાં રહે છે.બીપીનભાઈ પટેલ રવિવારે સાંજના અરસામાં પોતાનું બાઈક નંબર જીજે-૨૩-એલ-૮૬૭૨ લઈને વાસદ-તારાપુર હાઇવે ઉપર ગિરનાર…

Read More

Gujarat Liquor Prohibition Controversy: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં દારૂબંધી સમાપ્ત કરવાની માંગ કરી છે. પૂર્વ સીએમએ અમદાવાદના સાણંદમાં એક હાઈ-પ્રોફાઈલ દારૂ-હુક્કા પાર્ટી પર પોલીસ કાર્યવાહી બાદ શુક્રવારે સરકારને નિશાના પર લીધી હતી. તેમણે કહ્યું કે ગાંધી અને સરદારના નામે ગુજરાતમાં હવે દારૂબંધીની નાટક-નૌટંકી બંધ થવી જોઈએ. તેમણે કહ્યું કે પોલીસે સાણંદમાં લગ્નના ૨૫ વર્ષ પૂરા થવાના અવસર પર આયોજિત એક પાર્ટીમાં કાર્યવાહી કરી. આમાં સારા ઘરના લોકો હતા. બાદમાં તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા અને તેમની પરેડ કરવામાં આવી.દારૂ-હુક્કા પાર્ટી પર પાડી હતી રેડપૂર્વ સીએમ પહેલા પણ દારૂબંધીને ગુજરાતમાં પોકળ ગણાવી ચૂક્યા છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસનું તેમને…

Read More

ખડાણા ગામે હત્યાના આરોપી અટકાયત બાદ ખુલાસોઆરોપીએ ગુસ્સામાં આવી પિતરાઈ ભાઈના ગળાના ભાગે ચપ્પાના ઘા મારીને ગુપ્તાંગ કાપી નાખ્યું હતુંપેટલાદ, પેટલાદ તાલુકાના ખડાણા ગામના રામદેવપીર મંદિર વાળા ફળિયામાં સોમવારે વહેલી સવારના સુમારે ખાટલામાં નિદ્રાધીન માતા સમક્ષ બીભત્સ ચેનચાળા કરનાર માસીના દિકરાને નિદ્રાધીન માતાના પુત્રએ ચપ્પાના ઘા મારી તેમજ ગુપ્તાંગ કાપી નાખી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. સોમવારે પેટલાદ તાલુકાના ખડાણા ગામે બનેલી હત્યાની ઘટનામાં પોલીસે હત્યારાને ઝડપી પાડતા ચોંકાવનારો ખુલાસો થયો છે. ખડાણા ગામે રામદેવપીર મંદિર વાળા ફળિયામાં રામાભાઇ મહીજીભાઈ પરમાર માતા સાથે રહે છે.ખંભાત તાલુકાના કાણીસા ગામે રહેતા તેઓના માસા-માસી અવસાન પામતા તેમનો દીકરો…

Read More

નોકરી અપાવવાના બહાને જાસપુર ગામની સીમમાં લઈ જઈ ભત્રીજી પર દુષ્કર્મ ગુજાર્યુંકલોલના પાંચમા એડિશનલ સેશન્સ કોર્ટનો ચુકાદો સગીરાને પાંચ લાખ વળતર ચૂકવવા પણ હુકમ કરાયોકલોલ, સગીર ભત્રીજીને નોકરી અપાવવાના બહાને તેણીને રિક્ષામાં જાસપુર ખાતે અવાવરું જગ્યાએ લઈ જઈ તેની ઉપર બળાત્કાર ગુજરવાના ગુનામાં કલોલના પાંચમા એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા સરકારી વકીલની દલીલોને ગ્રાહી રાખીને આરોપી કાકાને આજીવન કેદીની સજા અને ૫૦ હજાર રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.આ કેસની મળતી વિગતો પ્રમાણે મૂળ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના મેઘલપુર ગામનો અને હાલ અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા રમેશ જયંતીભાઇ હરીજન દ્વારા ગત માર્ચ ૨૦૨૩માં તેની સગીર વયની ભત્રીજીને નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી…

Read More