સમાજના બંધારણના ભંગ બદલ ૩ લોકોને ૧ વર્ષ માટે બહિષ્કૃત કરાયા; સોશિયલ મીડિયા પર ‘અનફોલો’ કરવા અને આર્થિક વ્યવહાર ન રાખવા આદેશ(એજન્સી) અમદાવાદ, ઉત્તર ગુજરાતમાં લોકપ્રિય એવા ‘લોકગાયક’ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માટે મુશ્કેલી ઊભી થઈ છે. ડીસા તાલુકાના જાબડીયા ગામે ઠાકોર સમાજના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં સમાજના ‘બંધારણ’ નો ભંગ કરવા બદલ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.લગ્ન પ્રસંગે ડીજે વગાડવાના વિવાદમાં સમાજે આ બંને ગાયકો સહિત કુલ ૩ લોકોને એક વર્ષ માટે ‘સમાજ બહાર’ મૂકવાનો આદેશ આપ્યો છે.રવિવારે મળેલી આ હાઈ-વોલ્ટેજ બેઠકમાં સમાજના આગેવાનોએ સર્વાનુમતે નક્કી કર્યું છે કે આ ત્રણેય દોષિતો સાથે કોઈ પણ પ્રકારનો…
Author: gujarat
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફજી હોસ્પિટલનું વાર્ષિક બજેટ સુધારા સાથે રજૂ કરવામાં આવ્યું. વર્ષ ૨૦૨૬- ૨૭નું સુધારા સાથેનું રૂ. ૨૧૨ કરોડનું બજેટ મંજુર થયું છે.મેયર પ્રતિભા જૈન એ જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭માં સામાન્ય ખર્ચ અંગે ૧૬૯૧૦.૦૦ લાખ તથા અસામાન્ય ખર્ચ અંગે રૂ.૪૩૭૭.૦૦ લાખમાંથી વી.એસ. હોસ્પિટલની આવક રૂ.૧૮૦.૦૦ લાખ બાદ કરતાં ગુજરાત રાજ્ય સરકાર તરફથી રૂ. ૨૦૦.૦૦ લાખ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રૂ.૨૦૯૦૭.૦૦ લાખની ગ્રાંન્ટ મેળવવાનો અંદાજ મંજૂર કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૬-૨૭નું સુધારા સાથેનું રૂ.૨૧૨ કરોડનું બજેટ મંજુર થયું છે.શેઠ વાડીલાલ સારાભાઇ જનરલ હોસ્પિટલ, શેઠ ચિનાઇ પ્રસૂતિ ગૃહમાં સુપર સ્પેશ્યાલીટીની સેવાઓ શરૂ કરવામાં આવેલ છે. જેનો લાભ શહેરના…
મ્યુનિ. કમિશનરે રૂ.૧૭૦૧૮ કરોડનું ડ્રાફટ બજેટ રજુ કર્યું: બે એલિવેટેડ કોરીડોરની જાહેરાતર૦રપ-ર૬ના બજેટમાં રૂ.૩ હજાર કરોડનો વધારો ઃ કરવેરા મુકત બજેટ– સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ- ૪ (કુલ ૩૧૫ એમ.એલ.ડી.) – પશ્ચિમ ઝોનમાં મોટેરા ખાતે ૫૦ એમ.એલ.ડી. એસ.ટી.પી. – રામોલ-હાથીજણ વોર્ડમાં ૨૫૦ એમ.એલ.ડી. એસ.ટી.પી. – ઉત્તર પશ્ચિમ ઝોનના ઘુમા તળાવ ખાતે ૧૦ એમ.એલ.ડી. મીની એસ.ટી.પી. – દક્ષિણ પશ્ચિમ ઝોનના ઓકાફ તળાવ ખાતે ૦૫ એમ.એલ.ડી. મીની એસ.ટી.પી.એલિવેટેડ કોરીડોર– બોપલ એસ.પી. રીંગ રોડ થી ઘુમા સુધી એલીવેટેડ કોરીડોર રેલ્વે ઓવર બ્રીજ (ફાટક મુક્ત અભિયાન અંતર્ગત) – ગેરતપુર સ્ટેશન પાસે એલ.સી. ૩૦૦ ફોર-લેન – વટવા વિંઝોલ એલ.સી. ૩૦૦ ફોર-લેન – પુનીતનગર એલ.સી. ૩૦પ ટુ-લેન –…
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદની દિનશા પટેલ કોલેજમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થી જય પાટીલના આપઘાત મામલે નડિયાદમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટનામાં કોલેજ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને મજબૂર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે દલિત સમાજના આગેવાનોએ ડીએસપી કચેરીએ લેખિત રજૂઆત કરી છે.સમાજના પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો છે કે સુસાઈડ નોટમાં સ્પષ્ટ કારણો હોવા છતાં પોલીસ દ્વારા જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.નડિયાદ ડીએસપી કચેરીએ પાઠવવામાં આવેલા પત્રમાં જણાવ્યા અનુસાર, વિદ્યાર્થી જય પાટીલના આપઘાત પાછળ કોલેજ સ્ટાફના કેટલાક વ્યક્તિઓ જવાબદાર છે.આ મામલે અત્યાર સુધી પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદનો લેવામાં આવ્યા નથી કે ફરિયાદની નકલ અરજદારોને આપવામાં આવી નથી. રજૂઆતમાં જણાવવામાં આવ્યું…
ગુનેગાર સમસ્યા ઊભી કરે ત્યારે એન.એફ.એસ.યુ. જેવી વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટી તેનું સમાધાન લાવવા સક્ષમઃ પૂજ્ય ભાઈશ્રીગાંધીનગર, વિશ્વપ્રસિદ્ધ કથાકાર અને આધ્યાત્મિક માર્ગદર્શક પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગરની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને સંબોધન પણ તા.૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ કર્યું હતું.“પદ્મશ્રી”થી સન્માનિત, એન.એફ.એસ.યુ.ના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસ દ્વારા પૂજ્ય ભાઈશ્રીનું સ્મૃતિચિહ્ન આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ ફોરેન્સિક ક્ષેત્રે વૈશ્વિક યોગદાન આપનાર “પદ્મશ્રી”થી સન્માનિત, એન.એફ.એસ.યુ.ના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસને શતાયુ થવાની શુભકામના પાઠવી હતી.પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દરેક સમસ્યાનું સમાધાન હોય છે. જ્યારે પણ ગુનેગાર કોઈ સમસ્યા ઊભી કરે છે…
મોડી રાત્રીથી વહેલી સવાર સુધી ફૂલગુલાબી ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત થઈ રહેલા ફેરફારને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કયારેક કકડતી ઠંડી તો કયારેક બપોરે અનુભવાતો અસહ્ય ગરમીનો અહેસાસ આ મિકસ સિઝન હવે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ રહી છે.વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે રાજ્યભરમાં વાયરલ ઈન્ફેકશન, શરદી, ઉધરસ અને તાવના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે હોસ્પિટલો ઉભરાઈ રહી છે. નોંધનીય છે કે, મોડી રાત્રીથી વહેલી સવાર સુધી ફૂલગુલાબી ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા ઘણા દિવસોથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી…
રાજ્યના ૮૦ લાખ પરિવારોને થશે સીધો ફાયદોગાંધીનગર, ગાંધીનગરથી ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા અને સામાન્ય નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ અપાવવા માટે ગુજરાત સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે ગાંધીનગર ખાતે મળેલી મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે આગામી ૧ એપ્રિલથી રાજ્યમાં આવક અને જાતિ સહિતના ૧૮ જેટલા મહત્વના પ્રમાણપત્રો સંપૂર્ણપણે ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નિર્ણયથી વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે. સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા જણાવ્યું હતું કે, જ્યારે પણ શાળાઓમાં એડમિશન ની સીઝન શરૂ થાય છે, ત્યારે વિદ્યાર્થીઓ…
પ્રતિબંધીત ચીજ વસ્તુઓના વેચાણ તેમજ વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળ બનતા ગુના અટકાવવા મળેલ સુચના આપી હતીઅમદાવાદ, અમદાવાદ શહેરમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓના વેચાણ તેમજ વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ના ગુનાઓ બનતા અટકાવવા સારૂ આપેલ સુચના આધારે નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૫ જીતેન્દ્ર અગ્રવાલ તથા મદદનીશ પો.કમિ.”આઇ” ડિવિઝન કૃણાલ દેસાઈએ પ્રતિબંધીત ચીજ વસ્તુઓના વેચાણ તેમજ વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળ બનતા ગુના અટકાવવા મળેલ સુચના આપી હતી.નિકોલ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ તેમજ સર્વેલન્સ સ્કોડના માણસો સાથે નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમા હતા તે વખતે અંગત બાતમીદાર દ્વારા સંયુકત બાતમી હકિકત મળેલ કે, “એક ઈસમ નામે મુકેશ ડાભી રહે, ભાવનગર નાનો તેની પાસે રહેલ…
આ ઘટનાને પગલે જેલ પ્રશાસન અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છેસુરેન્દ્રનગર, કાયદો અને વ્યવસ્થાના ચુસ્ત અમલના દાવાઓ વચ્ચે સુરેન્દ્રનગરની સબ જેલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. જેલની અંદર કેદીઓના બે જૂથો સામસામે આવી જતાં થયેલી હિંસક અથડામણમાં ત્રણ કેદીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે જેલ પ્રશાસન અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.જેલમાં થયેલી આ જૂથ અથડામણમાં યાકુબ પઠાણ, અજીત મકવાણા અને ચેતનસિંહ નામના કેદીઓને શરીરના ભાગે ઇજાઓ પહોંચતા તાત્કાલિક સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત આરોપીઓ રીઢા અને ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાથી, હોસ્પિટલ પરિસરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પી.આઇ. સહિતનો…
મંદિરમાંથી ચોરી કરી ભાગતા એક યુવક અને તેની સગીર બહેનને સ્થાનિક લોકોએ જોઈ જતા બંને બચવા માટે અંબિકા નદીમાં કૂદી ગયાનવસારી, નવસારી જિલ્લાના બીલીમોરાના દેસરા વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. મંદિરમાંથી ચોરી કરી ભાગતા એક યુવક અને તેની સગીર બહેનને સ્થાનિક લોકોએ જોઈ જતા બંને બચવા માટે અંબિકા નદીમાં કૂદી ગયા હતા.આ મામલે તત્કાળ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. . બંને ભાઇ બહેન ચોરીના સામાન સાથે નદીમાં કૂદતા જ બીલીમોરા પોલીસ હરકતમાં આવી હતી.ભાઈ-બહેન નદીમાં કૂદી નજીકના કોતરમાં છુપાઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક ડ્રોન કેમેરા અને હોડીની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.કલાકો…
