કાર અકસ્માતમાં ત્રણ શિક્ષકો ભડથું -રાજકોટ નજીક દડવા પુલ નીચે કાર ખાબકી(એજન્સી)રાજકોટ, ૩૦મી જાન્યુઆરીને શુક્રવારે વહેલી સવારે રાજકોટ ગ્રામ્યના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જસદણના દડવા નજીક ફોર વ્હીલર કાર પુલ નીચે ખાબકવાની ઘટના સામે આવી હતી, જે અકસ્માતમાં કારમાં આગ લાગતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ જીવતા ભડથું થયા હતા, જે મૃતકોની ઓળખ બે મહિલા તથા એક પુરુષ શિક્ષક તરીકે છે. ત્યારે બનાવ સંદર્ભે આટકોટ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.મળતી વિગતો અનુસાર, આશા ચૌધરી, નીતા પટેલ તેમજ પ્રયાગ બારીયા નામના શિક્ષકો આજે શુક્રવારના રોજ કારમાં સવાર થઈ આટકોટથી ગોંડલ તરફ જઈ રહ્યા હતા તે સમયે કાર પુલ નીચે…
Author: gujarat
(એજન્સી)રાજકોટ, રાજકોટમાં ફરીથી ખૂલતા બજારે ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં રૂ.૧૦-૧૦નો વધારો ઝીંકાયો છે. છેલ્લાં ૩૦ દિવસમાં સીંગતેલમાં રૂ. ૧૮૦નો વધારો જોવા મળ્યો છે.આ કારણે સિંગતેલનો ડબ્બો ૨૯૦૦ રૂપિયાને પાર પહોંચ્યો છે. તો કપાસિયા તેલનો ડબ્બો ૨૩૮૫ રૂપિયા થયો છે. સિંગતેલના સતત વધી રહેલા ભાવ ગૃહિણીઓને ટેન્શન કરાવી રહ્યાં છે. જાન્યુઆરી મહિનો આવે એટલે સિંગતેલના ભાવમાં વધારો થવાની શરૂઆત થઈ જાય છે. પરંતુ ક્્યારેય વિચાર્યું છે કે, જાન્યુઆરી મહિનામાં જ કેમ સિંગતેલના ભાવમાં ભડકો થાય છે. કપાસિયા કરતા સિંગતેલના ભાવમાં જ કેમ ભડકો થાય છે, આ પાછળ ચોક્કસ ગણિત છે.સીંગતેલના ભાવમાં ફરી એકવાર મોટો વધારો…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના રાયખડ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભક્ત બનીને આવેલી એક અજાણી મહિલા પાર્વતી માતાજીના સ્થાનકમાંથી ચાંદીનો મુગટ ચોરી કરી ફરાર થઈ ગઈ છે. આ સમગ્ર મામલે મંદિરના ટ્રસ્ટીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી અનુસાર, ૧૫મી ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ સાંજના સમયે મંદિરના પૂજારી રોજિંદી સાફ-સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન પૂજારીની નજર પાર્વતી માતાજીના સ્થાનક પર પડી, જેનો કાચનો દરવાજો ખુલ્લો હતો. પૂજારીએ અંદર તપાસ કરતા માતાજીના માથા પર બિરાજમાન ચાંદીનો મુગટ ગાયબ હતો. આસપાસ તપાસ કરવા છતાં મુગટ ન મળતા તાત્કાલિક મંદિરના ટ્રસ્ટીને જાણ કરવામાં…
પોલીસે આશ્રમને સીલ માર્યું-આશ્રમમાં જ એક કમ્પાઉન્ડરને સારવાર માટે બોલાવાયો હતો.(એજન્સી)જોધપુર, રાજસ્થાનની પ્રસિદ્ધ કથાવાચક સાધ્વી પ્રેમ બાઇસાના જોધપુરમાં થયેલા શંકાસ્પદ મોત મામલે હવે તેમના પિતા બ્રહ્મનાથે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે પ્રેમ બાઈસા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતી એટલા માટે આશ્રમમાં જ એક કમ્પાઉન્ડરને સારવાર માટે બોલાવાયો હતો.કમ્પાઉન્ડરે પ્રેમ બાઈસાનું ચેકઅપ કર્યા બાદ ઈન્જેક્શન આપ્યું હતું. તેની ૫ જ મિનિટ બાદ પ્રેમ બાઈસાની તબીયત લથડી અને તે મૃત્યુ પામી. ઉલ્લેખનીય છે કે આ એ જ સાધ્વી છે જેમનો ૨૦૨૫ જુલાઈ મહિનામાં એક અન્ય વ્યક્તિ સાથેનો વિવાદિત વીડિયો વાઈરલ થયો હતો.રાજસ્થાનના પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતાં કડક તપાસ…
ભાવનગર, ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના આત્મહત્યા મામલે આખરે પીએસઆઈ બી કે ગોસ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કરણી સેના દ્વારા આપવામાં આવેલું ૭૨ કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થાય તે પહેલા જ તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. મૃતક હેડ કોન્સ્ટેબલના પિતા પોતે નિવૃત્ત પોલીસકર્મી છે, તેમની ફરિયાદના આધારે પીએસઆઈ સામે બીએનએસની કલમ ૧૦૮ હેઠળ મરવા મજબૂર કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ ઘટનાની વિગતો મુજબ, ગત ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ફરજ દરમિયાન ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી.ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં…
(પ્રતિનિધિ) નડીઆદ, નડીઆદ મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી લેણાં ધરાવતી કુલ ૪ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા છે અને લાખો રૂપિયાની વસૂલાત હાથ ધરવામાં આવી છે.નડીઆદ મહાનગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી મિલકત વેરો બાકી રાખનાર મિલકત ધારકો સામે પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે સીલિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.આ કામગીરી અંતર્ગત આજરોજ તંત્રની ટીમ દ્વારા ટી. ગોકળની ખડકી સામે આવેલા નેશનલ પ્લાઝા કોમ્પલેક્ષમાં ૧ દુકાન તેમજ સત્યમ એપાર્ટમેન્ટમાં ૧ દુકાન સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત મિશન રોડ પર મિશન પોલીસ સ્ટેશનની સામે આવેલા હરિકૃષ્ણ કોમ્પલેક્ષમાં…
ગિનિસ વર્લ્ડ રેકોડ્ર્સ દ્વારા મહંત સ્વામીને અર્પણ કરાશે બહુમાનપત્રવડોદરા, તા.ર ફેબ્રુઆરી ર૦ર૬ સોમવારના દિવસે સાંજે પઃ૦૦થી ૮ઃ૦૦ વાગ્યા દરમિયાન બીએપીએસના વર્તમાન અધ્યક્ષ મહંત સ્વામી મહારાજનો ૯રમો જન્મજયંતિ મહોત્સવ વડોદરામાં એપીએમસી માર્કેટ નજીક, નેશનલ હાઈવે-૪૮ ખાતે ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવશે. આ મહોત્સવમાં ઈંગ્લેન્ડથી ગિનિસ વર્લ્ડ રેકોડ્ર્સના અધિકારીઓ દ્વારા સ્વામીનું બહુમાન કરવામાં આવશે.પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાÂત્મક અનુગામી તરીકે તેઓ બીએપીએસ સંસ્થાના વૈશ્વિક સેવાકાર્યોનું સુકાન સંભાળી રહ્યા છે. તેઓની નિશ્રામાં વિશ્વભરના ૧૮૦૦થી વધુ મંદિરોમાં સનાતન વૈદિક ધર્મના સંસ્કારોનું જતન થઈ રહ્યું છે. વિશ્વના પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિર એવા રોબિન્સવિલ, ન્યુજર્સીમાં સ્વામીનારાયણ અક્ષરધામથી લઈને મિડલ ઈસ્ટમાં સૌપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર એવા અબુધાબી સ્થિત…
જામનગરમાં પોલીસ ભરતીની દોડમાં બે ઉમેદવાર છેતરપિંડી કરતા ઝડપાયાજામનગર, જામનગર પોલીસ હેડકવાર્ટર ગ્રાઉન્ડમાં પોલીસ ભરતી પ્રક્રિયા અંતર્ગત હાલ શારીરિક પરીક્ષા ચાલી રહી છે જેમાં ગ્રુપ ત્રણમાં પોતાનો વારો આવતા મૂળ ગોંડલના બેટીવડ ગામના અને હાલ ગોંડલ એસઆરપી ગ્રુપમાં નોકરી કરતા અર્જુનસિંહ જાડેજા અને તેના જ ગામના શિવભદ્રસિંહ જાડેજાએ દોડ માટે તૈયારી કરી હતી.આ ર૦૦ ગ્રુપની દોડ પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવતા ર૦૦ પૈકી અર્જુનસિંહને દોડ માટે આપવામાં આવેલી રનિંગ ચીપ રીડ ન થતી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ પરીક્ષાના ગ્રાઉન્ડ ઈન્ચાર્જ સેનાપતિ કોમલ વ્યાસે લગત એજન્સીને સાથે રાખીને ગાંધીનગર સેન્ટ્રલ કંટ્રોલ રૂમના ડેટા ચકાસવા આદેશ કર્યો હતો.…
ઝઘડિયાના પત્રકારે ગેરકાયદેસર રેત ખનન બાબતે રેતી માફિયા વિરુધ્ધ ફરિયાદ કરતા તેની અદાવત રાખી હુમલો કર્યો(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી બેરોકટોક ખનિજ ખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું જગજાહેર છે.તાલુકા માંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી મોટાપાયે રેતી ઉલેચવાનું ચાલી રહ્યું છે, નદીમાં નાવડી મુકીને મશિન અને પાઈપ દ્વારા રેતી કાઢવું ગેરકાયદેસર હોવા છતાં તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે.તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયા બેફામ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે,ત્યારે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રહીશ પત્રકાર જયશીલભાઈ પટેલ પર એક રેતી માફિયાએ હુમલો કર્યો હોવાની ઘટના બની…
સુરત, શહેરના લિંબાયત વિસ્તારમાં પત્નીએ પતિની ઝેર આપીને હત્યા કરી નાંખતા ચકચાર જાગી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતો અને મુંબઈમાં નોકરી કરતો હૈદરઅલી મહિનામાં એકાદવાર જ્યારે પણ પોતાના ઘરે સુરત આવતો ત્યારે સેકસવર્ધક દવાઓનું સેવન કરીને પત્ની ઈશરત જહાં પર અત્યંત ક્રૂરતા આચરતો અને તેને ત્યાં સુધી મારતો અને પીડા આપતો જ્યાં સુધી તેને શરીરમાંથી લોહી ન નીકળે.સતત શારીરિત અને માનસિક ત્રાસને કારણે પત્નીના મનમાં પતિ પ્રત્યે ભારે રોષ ભરાયો હતો જેથી આ વખતે જ્યારે પતિ મુંબઈથી ઘરે આવ્યો ત્યારે પત્નીએ હંમેશા માટે રસ્તામાંથી હટાવી દેવાનું મન બનાવી લીધું હતું. હત્યા કરવાના ઈરાદે પત્નીએ ગત ૧લી જાન્યુઆરીએ હૈદરઅલીને રાત્રે પીવા…
