પોલીસે આરોપી સામે ગુનો નોંધી જાહેરમાં સરઘસ કાઢી માફી મંગાવીકોડીનાર, ગીર સોમનાથ જિલ્લામાં સોશિયલ મીડિયા મારફતે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાની અને બે સમાજ વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાવવાની પ્રવૃત્તિ સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે.ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી ઉશ્કેરણીજનક અને વાંધાજનક પોસ્ટ વાયરલ કરનારા આરોપીને ઝડપી લીધો હતો. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ સોશિયલ મીડિયા પર સતત નજર રાખવામાં આવી રહી છે.આ દરમિયાન કોડીનાર પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે ઈન્સ્ટાગ્રામ પર ફિરોજ ખરાઈ નામના ફેક આઈડી પરથી બે કોમ વચ્ચે તણાવ ઉભો થાય તેવી પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ મામલે ગંભીરતા જોતા પોલીસ દ્વારા ટેકનિકલ…
Author: gujarat
ગાંધી નિર્વાણ દિને ગુજરાત વિદ્યાપીઠમાં સમૂહ કાંતણ અને સર્વધર્મ પ્રાર્થના સાથે શહીદોને અંજલિ અપાઈપરિસરમાં સઘન સફાઈ અભિયાન યોજાયું: શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિભાગોને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યામહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ખાતે ૩૦મી જાન્યુઆરી – ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પૂજ્ય બાપુના સ્વચ્છતાના આદર્શોને ચરિતાર્થ કરી, ગાંધી ચીંધ્યા માર્ગે ‘સ્વચ્છાંજલિ’ અર્પી, શહીદ દિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વિદ્યાપીઠના દરેક સંકુલ, ભવન અને વિભાગના સેવકો તથા વિદ્યાર્થીઓએ સક્રિયપણે જોડાઈને પોતાના કાર્યક્ષેત્ર અને આસપાસના માર્ગોની સઘન સફાઈ કરી હતી. આ સફાઈ અભિયાનનું એક વિશેષ સમિતિ દ્વારા ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં કચરા વ્યવસ્થાપન, પીવાના પાણીની સુવિધા, ધૂળમુક્ત વાતાવરણ અને…
અમદાવાદ, અમદાવાદના શાહીબાગ અંડરપાસ બુલેટ ટ્રેનની કામગીરીના પગલે શુક્રવાર (૩૦મી જાન્યુઆરી)થી ફરી છ દિવસ માટે રાત્રે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવશે.અગાઉ ૨૩થી ૨૮મી જાન્યુઆરી સુધી પણ બુલેટ ટ્રેનના કામ માટે બંધ કરાયો હતો. પરંતુ નિર્ધારિત સમયથી સોળેક કલાક પહેલાં જ તે રૂટ શરૂ કરી કામ સમયસર કરાતું હોવાની ગુલબાંગો પોકારી હતી. તેને હજુ બે દિવસ પણ વિત્યા ન હોય ફરી નવું કામ યાદ આવ્યું છે. નોંધનીય છે કે એક મહિનામાં ત્રીજી વખત અંડરપાસ બંધ કરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડશે.પ્રાપ્ત માહિતી અનુસાર, પિલર પર સેગમેન્ટ લગાવવાની કામગીરી પુરી થતાં તેના લેવલિંગ અને ટેકનિકલ કામના પગલે ૩૦મી જાન્યુઆરીથી ચોથી ફ્રેબુઆરી સુધી અંડરપાસ…
અમદાવાદ, નળ સરોવર પાસે પ્લોટની સ્કીમમાં રોકાણ કરવાથી ફાયદો થશે તેવી લોભામણી લાલચ આપીને શરૂ કરવામાં આવેલી સ્કીમમાં લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. નરોડા ગેલેક્ષી રોડ પાસે આવેલા સુહર્દ કોમ્પલેક્સમાં ઓફિસ ખોલીને વર્ષ ૨૦૧૧થી ૨૦૧૮ સુધીના સમયગાળામાં ચાર ગઠિયાએ એક બે નહીં પરંતુ ૧૫થી વધુ લોકો પાસેથી કુલ રૂ.૫૦.૨૧ લાખનું રોકાણ કરાવીને તમામ રકમ ચાઉં કરી લીધા છે.જો કે આ ચારેય ગઠિયાની સામે પોલીસ ફરિયાદ નોંધાતા તમામ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.પાલનપુરમાં પરિવાર સાથે રહેતા જયંતિભાઈ પ્રજાપતિ (ઉ.૫૫) પાલનપુરમાં હીરા ઉદ્યોગનું કારખાનું ધરાવીને વેપાર ધંધો કરે છે. વર્ષ ૨૦૧૧ જયંતિભાઈ નરોડા ખાતે રહેતા તેના મિત્રને…
અમદાવાદ, સુરતના એક ચાટ્ર્ડ એકાઉન્ટ પાસેથી ભરણપોષણ માટે માતા-પિતાએ અરજી કરતાં તેને સત્તાધીશો તરફથી એક નોટિસ મળી હતી. જેના પગલે પુત્રે હાઇકોર્ટમાં નોટિસને પડકારતી અરજી કરી છે. જે અરજીમાં હાઇકોર્ટે તંત્રએ કાઢેલી નોટિસ પર હાલ સ્ટે આપ્યો છે અને વધુ સુનાવણી ફેબ્›આરીમાં રાખી છે.સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વૃદ્ધ માતા-પિતાએ સિનિયર સિટીઝન એક્ટ, ૨૦૦૭ હેઠળ જિલ્લા કલેક્ટર કચેરીમાં મોટા પુત્ર પાસેથી ભરણપોષણ માગતી અરજી કરી હતી. આ અરજી મેઇન્ટેનન્સ ટ્રિબ્યુનલ દ્વારા સુરતના સામાજિક કલ્યાણ અધિકારી પાસે મોકલવામાં આવી હતી. ત્યારબાદ ૨૯મી ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ અધિકારીએ પુત્રને નોટિસ પાઠવીને જવાબ માગ્યો હતો.આ નોટિસને પડકારતાં મોટા પુત્રે હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેની તરફથી દલીલ…
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસનું કાર્ય ઝડપી ગતિએ પ્રગતિ પર છે. સાબરમતી બીજી (ધરમનગર સાઇડ) તરફની નવી સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ લગભગ પૂર્ણ થઈ ગયું છે જ્યારે અન્ય પુનર્વિકાસ કાર્યો પ્રગતિ પર છે.યાત્રીઓની સુવિધા તથા ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવાના ઉદ્દેશ્યથી 15 એપ્રિલ, 2026 સુધી આગમન તથા પ્રસ્થાન માટે નવા પ્રવેશ અને નિકાસ દ્વાર તેમજ પિક-અપ અને ડ્રોપની વ્યવસ્થા કરવામાં આવી છે. વિગતો નીચે મુજબ છે:1. પ્રસ્થાન કરનાર યાત્રીઓ માટે પ્રવેશ અને નિકાસ વ્યવસ્થા• પ્રવેશ દ્વાર: યાત્રીઓના વાહનોનો પ્રવેશ એમએમટીએસ બિલ્ડિંગ (બુલેટ ટ્રેન સ્ટેશન) નજીકથી કરવામાં આવી રહ્યો છે. (ડાયગ્રામમાં દર્શાવેલી ગ્રીન લાઇન મુજબ) • યાત્રી નવનિર્મિત સ્ટેશન બિલ્ડિંગમાં પ્રવેશ…
(પ્રતિનિધિ) ભરૂચ, વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રતિભા,તર્કશક્તિ અને સમજણની કસોટી કરવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ધોરણ ૯ માં અભ્યાસ કરતા ૨,૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાતા પરીક્ષા યોજાતા કુમકુમ તિલક કરી સાંકળ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો.તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઓળખી તેમને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શન આપવાના મુખ્ય હેતુસર રાજ્ય સરકાર દ્વારા યોજાતી પ્રખરતા શોધ પરીક્ષાનું ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના કુલ ૧૦ પરીક્ષા કેન્દ્રો પર કરવામાં આવ્યું હતુ.જ્યાં વિદ્યાર્થીઓ માટે ૮૬ બ્લોકમાં વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા સહિત પરીક્ષાનું સુચારુ અને પારદર્શક આયોજન થાય તે માટે વહીવટી તંત્ર…
(પ્રતિનિધિ) બાયડ, વાલીબોલ ટુર્નામેન્ટનો શુભારંભ મુખ્ય મહેમાન IPS રાજેન્દ્ર.વી.અસારી (ભારત સરકાર) હસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનનું શાલ ઓઢાડી બુકે થી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગ રૂપે સરકારમાં વિવિધ સેવાઓ પૂરી પાડી વયનિવૃત્ત થયેલા કાગડામહુડા અને સરકીલીમડીના નિવૃત્ત કર્મચારીઓના નામ અને પરિચયની તક્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું.જ્યારે કાર્યક્રમમાં ભિલોડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ગામના સરપંચ શ્રીમતિ કુંદનબેન ડામોર જિલ્લા પંચાયત સદસ્ય ડૉ. વનરાજ ડામોર, અરવિંદભાઇ એમ ભરાડા (નિવૃત અધિક કલેક્ટર), મંગુભાઇ ભગોરા, ધીરુભાઇ ડામોર, સેમ્યુલભાઇ ડામોર તથા ગામના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓપન ગ્રામીણ વાલીબોલ ટુર્નામેન્ટમાં કુલ ૨૫ ટીમોએ ભાગ લીધો હતોજેમાં નડિયાદ…
IPS Sushil Agrawal: ગુજરાતમાં ૨૦૧૭ બેચના IPS અધિકારી સુશીલ અગ્રવાલ ફરી એકવાર ચર્ચામાં છે. તેનું કારણ છે તેમની જબરદસ્ત કાર્યશૈલી. ચોવીસ કલાક અત્યંત એક્ટિવ રહેતા સુશીલ અગ્રવાલ હાલમાં વડોદરા ગ્રામ્ય SP તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. તાજેતરમાં તેમણે વડોદરામાં ૧૬ વર્ષના અંતરાલ બાદ રમાયેલી ભારત-ન્યુઝીલેન્ડ વન-ડે મેચનું અત્યંત શાનદાર રીતે આયોજન અને સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ કરાવી હતી. અત્યારે વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં વુમન પ્રીમિયર લીગ (WPL) ની મેચોનું આયોજન તેમની જ સુરક્ષા વ્યવસ્થા હેઠળ થઈ રહ્યું છે. સુશીલ અગ્રવાલ પાસે વડોદરા ગ્રામ્ય SP તરીકે એક મોટો વિસ્તાર છે, જ્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તેમના ખભા પર છે.તપાસમાં લગાવી દે છે…
૩૦ જાન્યુઆરીથી અંબાજીમાં ત્રિ-દિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાશેપાલખી,ત્રિશુલ અને જ્યોત યાત્રાઓ સાથે અંબાજીમાં ભક્તિરસની વહેણ: યાત્રાળુઓ માટે વિશેષ વ્યવસ્થાગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૩૦.૦૧.૨૦૨૬ થી તા. ૦૧.૦૨.૨૦૨૬ (મહા સુદ બારસ,તેરસ અને ચૌદસ) દરમિયાન ભવ્ય‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬‘નું આયોજન કરાશે.ઉલ્લેખનીય છે કે,ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ષ ૨૦૦૮માં ગબ્બર પર્વત પર ૫૧ શક્તિપીઠ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું,જેનું લોકાર્પણ ફેબ્રુઆરી ૨૦૧૪માં થયું હતું. અંદાજે રૂ. ૬૧.૫૭ કરોડના ખર્ચે નિર્મિત આ પરિક્રમા માર્ગમાં…
