રાણીપુરાના ગ્રામજનો દ્વારા રેતખનન બંધ કરાવવા જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા ચકચારભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારમાં લાંબા સમયથી આડેધડ થતા રેતખનનના મુદ્દે અવારનવાર વિવાદ સર્જાય છે.તાલુકા માંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી મોટાપાયે ગેરકાયદેસર રીતા રેતી ઉલેચાતી હોવાની વાતો જગજાહેર છે.ત્યારે ઝઘડિયા નજીકના રાણીપુરા ગામના નર્મદાકાંઠા વિસ્તારના મોરા અને કાછી વગામાંથી ગેરકાયદેસર રીતે રેત ખનન થતું હોવાની વાતે ગ્રામજનોમાં વિરોધ જોવા મળી રહ્યો છે.ત્યારે આ બાબતને લઈને રાણીપુરાના ગ્રામજનો દ્વારા આ વિસ્તારમાં થતું ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા ભરૂચ જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી.ફરિયાદમાં જણાવાયું હતું કે કેટલાક ભૂમાફિયા દ્વારા ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની…
Author: gujarat
Amrit Bharat Express: ઈન્ડિયન રેલ્વેની આધુનિક સુવિધાઓથી સજ્જ અમૃત ભારત એક્સપ્રેસ દેશના અનેક રૂટ પર દોડી રહી છે. જો બધું બરાબર રહ્યું તો ટૂંક સમયમાં અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોની સંખ્યા ૩૦ થી વધીને ૩૯ થઈ જશે. ગુજરાતના અમદાવાદથી મુંબઈ વચ્ચે ટ્રાયલ રન કરવામાં આવી રહ્યો છે. આ એ જ રૂટ છે જેના પર આગામી દિવસોમાં બની રહેલા હાઈસ્પીડ કોરિડોર પર બુલેટ ટ્રેન દોડશે. અત્યારે આ રૂટ પર વંદે ભારતનું સંચાલન થઈ રહ્યું છે. સૂત્રોનું માનીએ તો રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (RDSO) દ્વારા અમદાવાદ અને મુંબઈ વચ્ચે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન વિશેષ વ્યૂહરચના હેઠળ કરવામાં આવી રહ્યું છે.અમદાવાદ બનશે…
(જીજ્ઞેશ રાવલ)હળવદ, હળવદ પંથકમા શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૨૫ વર્ષથી અવિરત કાર્યરત ‘વિદ્યાતીર્થ એજ્યુકેશન ટ્રસ્ટ’ સંચાલિત મહર્ષિ ગુરુકુળ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી તેમજ સંસ્થાના સિલ્વર જ્યુબિલી (Silver Jubilee) વર્ષ નિમિત્તે તારીખ ૨૬/૨૭ જાન્યુઆરી,૨૦૨૬ના રોજ વિજ્ઞાન અને કલા પ્રદર્શન ‘TECHNOSCIENCE 2026’નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ.હળવદ મહર્ષિ ગુરુકુળના રજત જયંતિ વર્ષ નિમિત્તે સંસ્થાના ચેરમેન રજનીભાઇ સંઘાણી, ટ્રસ્ટી અશોકભાઈ ગેહલોત તેમજ રાજુભાઈ ચનીયારાની ઉપસ્થિતીથીમા શોર્ય ચક વિજેતા કર્નલ નીરજ સૂદના વરદ હસ્તે ‘TECHNOSCIENCE 2026’નુ ભવ્ય ઉદ્ઘાટન કરવામા આવ્યુ હતુ.જ્યારે,સમાપન કર્નલ દિગ્વિજયસિંહ કુશવાહની ઉપસ્થિતિમા કરવામા આવ્યુ હતુ.આ પ્રદર્શન તા.૨૬/૨૭ જાન્યુઆરીના રોજ સવારે ૯:૦૦થી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી મહર્ષિ ગુરુકુળ કેમ્પસ,રાણેકપર રોડ,હળવદ ખાતે તમામ જનતા…
Mumbai Ahmedabad Bullet Train: ભારતમાં પહેલી બુલેટ ટ્રેન ચાલવાની તારીખ નક્કી થયા બાદ ગુજરાતમાં હાઈસ્પીડ કોરિડોરના નિર્માણનું કામ ઝડપી ગતિએ પૂર્ણ થઈ રહ્યું છે. અમદાવાદથી મુંબઈ સુધી ચાલનારી બુલેટ ટ્રેન પરિયોજનાના એક મોટા પડાવને પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. NHSRCL એ તાજા અપડેટમાં જણાવ્યું છે કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના માટે અમદાવાદ જિલ્લામાં ભૂગર્ભ મેટ્રો ટનલની ઉપર ૧૦૦ મીટર લાંબા સ્ટીલ બ્રિજનું નિર્માણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. આ રાજ્યમાં પરિયોજના માટે આયોજિત કુલ ૧૭ સ્ટીલ બ્રિજમાંથી ગુજરાતમાં પૂર્ણ થયેલો ૧૩મો સ્ટીલ બ્રિજ છે.બ્રિજને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યોઅમદાવાદ જિલ્લામાં બુલેટ ટ્રેન વાયડક્ટ ૩૦ થી ૫૦ મીટર સુધીના સ્પાન-બાય-સ્પાન સંરચનાઓનો ઉપયોગ કરીને…
આવો જાણીએ, શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો મહિમાઆગામી ૩૦ જાન્યુઆરી થી ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ ત્રણ દિવસીય ૫૧ શકિતપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાશેઆધ્યાત્મિક ઉન્નતિ સાથે સંસ્કૃતિનું જતન અને રક્ષણ થાય એ માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૮માં ૫૧ શકિતપીઠની આધારશિલા રાખી હતીશકિત ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમા કરોડો માઈભક્તોનું શ્રદ્ધા શિખર એટલે યાત્રાધામ શકિતપીઠ અંબાજી. લાખો કરોડો માઇભકતોના આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે દર વર્ષે ૫૧ શકિતપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાય છે. માઇભકતો ૫૧ શકિતપીઠના દર્શન કરી પદયાત્રા અને પરિક્રમાના સંગમથી દિવ્યતા અને ધન્યતાનો અનુભવ મેળવે છે.એક જ જન્મમાં, એક જ સ્થળે, તમામ ૫૧ શકિતપીઠના દર્શન કરવાનો અવસર શકિતપીઠ ગબ્બર-…
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તથા ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રિન્યુએબલ એનર્જી કોન્ક્લેવ યોજાઈગુજરાત એ ધરતી છે,જ્યાં તમારો રોકાયેલો એક-એક રૂપિયો તમારી10 પેઢી સુધીઇન્વેસ્ટમેન્ટ રૂપે સુરક્ષિત રહેશે-નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીગુજરાત રિન્યુએબલ એનર્જીના કુલ ઉત્પાદનમાં64ટકા પ્રોડક્શન કરે છે, દેશભરમાં ગુજરાતનો કોઈ મુકાબલો આ ક્ષેત્રમાં નથી-નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીકુદરતમાં પડેલી અખૂટ શક્તિ જેમકે પાણી,વાયુ,સૂર્ય વગેરે માંથી ઊર્જા ઉત્પન્ન કરવાની પહેલ કરી પર્યાવરણની ચિંતા કરતા સમગ્ર ભારતમાં ગુજરાત અગ્રેસર છે- ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલGandhinagar, ગુજરાત અત્યારે ભારતના ‘રિન્યુએબલ એનર્જી કેપિટલ‘તરીકે ઉભરી રહ્યું છે. રાજ્યની ભૌગોલિક સ્થિતિ,લાંબો દરિયાકિનારો અને સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાત ગ્રીન…
“અજિત પવારની વિદાય એ માત્ર એક નેતાની વિદાય નથી; તે એક સાહસિક યુગનો અંત છે. મહારાષ્ટ્રનું સામાજિક અને રાજકીય જીવન અને લાખો લોકોના અંગત જીવનમાં હવે એક ઊંડો ખાલીપો સર્જાયો છે,” તેમ ઠાકરે જૂથે સામનાના અગ્રલેખમાં જણાવ્યું હતું.બારામતી, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથે ગુરુવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP ચીફ અજિત પવારના અચાનક અવસાન પર ઊંડો આઘાત વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે અજિત પવાર ખરા અર્થમાં મહારાષ્ટ્રના રાજકારણના “દાદા” (મોટા ભાઈ) હતા અને આ યુગનો ખૂબ વહેલો અંત આવ્યો છે. ઠાકરે જૂથે તેમના નિધનને મહારાષ્ટ્રના અન્ય આશાસ્પદ નેતાઓ જેવા કે પ્રમોદ મહાજન, ગોપીનાથ મુંડે, વિલાસરાવ દેશમુખ અને આર.આર. પાટીલના…
ગીરમાં સિંહના સંવર્ધન માટેની બહુસ્તરીય કામગીરીની માહિતી મેળવી વન કર્મીઓને પ્રોત્સાહિત કર્યા-મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાસણગીરમાં ગીર જંગલ સફારીની મુલાકાત લઇ સિંહ દર્શન કર્યાગીર અને સમગ્ર સૌરાષ્ટ્રના સિહોની વસાહત વાળા વિસ્તારમાં વર્ષ 2025ની વસ્તી ગણતરી પ્રમાણે891સિંહ વિહરે છે.મુખ્યમંત્રીશ્રીએ ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા. નિર્ભય મુક્ત રીતે વિહરતા સિંહ સહિતના વન્યજીવો નિહાળી મુખ્યમંત્રીશ્રી આનંદિત થયા હતા.મુખ્યમંત્રીશ્રીએ આજે ગીર સફારીમાં કેરંભા થાણા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં મુખ્યમંત્રીશ્રી એ જુદા જુદા બે વિસ્તારમાં સિંહોને નિહાળ્યા હતા. ગીર અને સમગ્ર સૌરાષ્ટ્રના સિહોની વસાહત વાળા વિસ્તારમાં વર્ષ 2025ની વસ્તી ગણતરી પ્રમાણે891સિંહ વિહરે છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં વન્યજીવ ખાસ કરીને સિંહના સંરક્ષણ…
Child Trafficking Gujarat: ગુજરાત પોલીસે એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી એક નવજાત શિશુને બચાવ્યું છે, જેને તેઓએ રાજ્યના સાબરકાંઠા જિલ્લામાંથી ‘ખરીદ્યું’ હતું અને ‘વેચવા’ માટે હૈદરાબાદ લઈ જઈ રહ્યા હતા. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે જે કારમાં ત્રણેય આરોપીઓ બાળક સાથે મુસાફરી કરી રહ્યા હતા, તેના ચાલકની પણ અટકાયત કરવામાં આવી છે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ (ATS) ને આ માહિતી મળી હતી. ATS એ આ માહિતી અમદાવાદ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (DCB) સાથે શેર કરી હતી. ત્યારબાદ DCB પોલીસે બુધવારે જાળ બિછાવીને ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી અમદાવાદ એરપોર્ટ તરફ જઈ…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન દ્વારકાધીશના દર્શનેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોની સુખ,શાંતિ અને સમૃદ્ધિ માટેની હૃદયપૂર્વક પ્રાર્થના ભગવાન દ્વારકાધિશ ના શ્રી ચરણોમાં કરી હતી.તેમણે ભક્તિભાવથી શાસ્ત્રોકત વિધિપૂર્વક પાદુકાપૂજન પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું અને સૌને જય દ્વારકાધીશ પાઠવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીશ્રીને ઉપરણું,દ્વારકા મંદિરની પ્રતિકૃતિ,ફુલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબતી તથા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.દ્વારકાધીશ મંદિર ખાતે મુખ્યમંત્રીશ્રી સાથે પૂર્વ મંત્રીશ્રી અને ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરા,જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના,પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા,અગ્રણી શ્રી મયુરભાઈ…
