Child Trafficking Gujarat: ગુજરાત પોલીસે એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી એક નવજાત શિશુને બચાવ્યું છે, જેને તેઓએ રાજ્યના સાબરકાંઠા જિલ્લામાંથી ‘ખરીદ્યું’ હતું અને ‘વેચવા’ માટે હૈદરાબાદ લઈ જઈ રહ્યા હતા. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે જે કારમાં ત્રણેય આરોપીઓ બાળક સાથે મુસાફરી કરી રહ્યા હતા, તેના ચાલકની પણ અટકાયત કરવામાં આવી છે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ (ATS) ને આ માહિતી મળી હતી. ATS એ આ માહિતી અમદાવાદ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (DCB) સાથે શેર કરી હતી. ત્યારબાદ DCB પોલીસે બુધવારે જાળ બિછાવીને ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી અમદાવાદ એરપોર્ટ તરફ જઈ…
Author: gujarat
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન દ્વારકાધીશના દર્શનેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોની સુખ,શાંતિ અને સમૃદ્ધિ માટેની હૃદયપૂર્વક પ્રાર્થના ભગવાન દ્વારકાધિશ ના શ્રી ચરણોમાં કરી હતી.તેમણે ભક્તિભાવથી શાસ્ત્રોકત વિધિપૂર્વક પાદુકાપૂજન પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું અને સૌને જય દ્વારકાધીશ પાઠવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીશ્રીને ઉપરણું,દ્વારકા મંદિરની પ્રતિકૃતિ,ફુલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબતી તથા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.દ્વારકાધીશ મંદિર ખાતે મુખ્યમંત્રીશ્રી સાથે પૂર્વ મંત્રીશ્રી અને ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરા,જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના,પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા,અગ્રણી શ્રી મયુરભાઈ…
NHAI Barrier Free Toll Plaza: રાષ્ટ્રીય ધોરીમાર્ગના ટોલ બૂથ/પ્લાઝા પરથી પસાર થતી વખતે અત્યારે વાહન ચાલકોએ રોકાવું પડે છે. ઘણી વખત લાંબી લાઈનોની ફરિયાદો પણ સામે આવી હતી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ માટે ટોલ પ્લાઝાને અપગ્રેડ અને આધુનિક બનાવવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતમાં દેશની પ્રથમ મલ્ટી-લેન બેરિયર-ફ્રી ટોલ કલેક્શન સિસ્ટમ (Multi-lane Barrier-free Toll Collection System) શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ આગામી ૧૫ દિવસમાં કામ કરવાનું શરૂ કરી દેશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ૨ ફેબ્રુઆરીથી આ નવી સુવિધાનું ટેસ્ટિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. NHAI એ આ ટોલ પ્લાઝા સુરતના કામરેજમાં ચોર્યાસી પર…
અમદાવાદ: મોટાભાગના લોકો જ્યારે લોહીની ઉણપ (એનિમિયા) વિશે વાત કરે છે, ત્યારે તેમનું ધ્યાન માત્ર ‘હિમોગ્લોબિન’ પર જ હોય છે. પરંતુ તબીબી નિષ્ણાતોના મતે, એક એવું તત્વ છે જેના વિશે સામાન્ય જનતામાં જાગૃતિનો અભાવ છે, અને તે છે — ‘ફેરિટિન’ (Ferritin).તમારા શરીરમાં આયર્ન (લોહતત્વ) ના સ્તરને સમજવા માટે ફેરિટિન એ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તાજેતરમાં આરોગ્ય નિષ્ણાતો દ્વારા સોશિયલ મીડિયા અને લેખો દ્વારા આ બાબતે મહત્વની ચેતવણી આપવામાં આવી છે.ફેરિટિન એ તમારા શરીરના આયર્ન રિઝર્વ (લોહતત્વનો સંગ્રહ) છે. તેને એક રીતે તમારા શરીરની ‘આયર્ન બેંક’ કહી શકાય. જ્યારે પણ શરીરને જરૂર પડે છે, ત્યારે આ સંગ્રહમાંથી આયર્ન મેળવવામાં આવે છે.ઘણીવાર…
૧૧૨ સેવાની ટેકનોલોજી અને તેની કામગીરીની દર મહિને સમીક્ષા કરાશે: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવØરાજ્ય પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ સાથે‘૧૧૨‘ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધીØડેટા એનાલિટિક્સના ઉપયોગ દ્વારા ઇમરજન્સીમાં મદદ પહોંચાડવાનો સમય ઘટાડીને ૧૦ મિનિટથી પણ ઓછો કરવા સૂચનØજાન્યુઆરી ૨૦૨૬માં ઇમરજન્સી કેસનો સરેરાશ રિસ્પોન્સ ટાઇમ ૧૧ મિનિટ ૫૬ સેકન્ડરાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અત્યાધુનિક ‘૧૧૨‘ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ઇમરજન્સી સેવાઓની કામગીરી બારીકાઈથી સમજવાનો અને તેને વધુ ઝડપી બનાવવાનો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવેલી‘૧૧૨‘ઈમરજન્સી નંબર પોલીસ,ફાયર બ્રિગેડ,મેડિકલ,ડિઝાસ્ટર મેનેજમેન્ટ,ચાઈલ્ડ હેલ્પલાઈન અને…
અમદાવાદ, હત્યાના ગુનામાં દોષિત ઠરેલી જેઠાણીને હાઇકોર્ટે નિર્દાેષ છોડવાનો હુકમ કર્યાે છે. સુરતની સેશન્સ કોર્ટે દેરાણીની હત્યા કરી ઉપર એસિડ છાંટવાના ગુનામાં જેઠાણીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જેની સામે આરોપી જેઠાણીએ હાઇકોર્ટમાં અપીલ કરતા હાઇકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને રદ કરીને જેઠાણીને નિર્દાેષ છોડી છે.વર્ષ ૨૦૧૬માં સુરતની સેશન્સ કોર્ટમાં આ ઘટનાનો કેસ દાખલ થયો હતો. જેમાં જેઠાણી ઉપર દેરાણીની હત્યા કરવાના ગુનાની ટ્રાયલ ચાલી હતી. વર્ષ ૨૦૧૯માં સુરતની સેશન્સ કોર્ટે ચુકાદો આપતા જેઠાણીને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી.આ કેસની વિગત એવી છે કે દેરાણી અને જેઠાણી વચ્ચે ઘરેણાં બાબતે બોલાચાલી થતી હતી. એક દિવસ જ્યારે દેરાણી ઊંઘતી હતી.…
અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે સરકારી જંગલ જમીનનો ભાગ બનેલી જમીનના વેચાણ કરારથી કોઈ અધિકાર કે માલિકી હક થઇ જતો નથી. આવા કરારના આધારે દાવો કરાયેલો કબજો રાજ્ય સામે ટકી શકતો નથી. જસ્ટિસ જે. સી. દોશીએ વર્ષ ૨૦૦૪માં સિવિલ પ્રોસિજર કોડની કલમ ૧૦૦ હેઠળ દાખલ કરાયેલી અપીલને રદ કરતાં નીચલી અદાલતોના તારણોને સમર્થન આપ્યું હતું.૩૦મી માર્ચ ૧૯૬૫ના રોજ રજિસ્ટર્ડ વેચાણ કરારના આધારે ગીર જંગલના જસાધાર રેન્જમાં આવેલી જમીન પર કબજો હોવાનો દાવો અરજદારે કર્યાે હતો. આ જમીન મૂળ વસાહતીને વન વસાહત હેઠળ લીઝહોલ્ડ જમીન તરીકે આપવામાં આવી હતી. અરજદાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે,…
રાજકોટ, રાજકોટની જાણીતી ઉત્કર્ષ સ્કૂલમાં ગઈકાલે સાંજે ધોરણ ૧૧માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી બિલ્ડિંગના ત્રીજા માળેથી નીચે પટકાયો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ, મંગળવારે સાંજે ૪ ૪૫ વાગ્યાના અરસામાં જ્યારે શાળામાં ટ્યુશન ક્લાસિસ ચાલી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.સદનસીબે નીચે પડતી વખતે વિદ્યાર્થીએ દીવાલ પર લગાવેલા એસીના આઉટડોર યુનિટને મજબૂતીથી પકડી લેતા તેનો જીવ બચ્યો હતો. આ ગંભીર મામલે શાળા સંચાલકોએ પોલીસને જાણ ન કરતા અને સીસીટીવી ફૂટેજ જાહેર કરવાનો ઇન્કાર કરતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.પ્રાપ્ત વિગતો અનુસાર વિદ્યાર્થી ત્રીજા માળે મિત્રો સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે અચાનક બારીમાંથી નીચે પટકાયો હતો. એસી…
અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા ફેબ્›આરી ૨૦૨૨માં ડ્રગ્સની હેરાફેરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ડીઆરઆઈએ ૭૯ ડ્રગ્સ કેપ્સ્યૂલ ગળીને લાવનારી યુગાન્ડાની મહિલાને ઝડપી લીધી હતી. આ કેસ સ્પે. એનડીપીએસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે મહિલા આરોપીને ૨૦ વર્ષ કેદની સજા અને દંડ ફટકાર્યાે છે.આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીએ માદક પદાર્થાેને પોતાના પેટમાં છૂપાવીને માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નથી કર્યું, પરંતુ પોતાના જીવનને પણ જોખમમાં મૂક્યું હતું. ગંભીર પ્રકારનો કેસ છે, આખોય કેસ પુરવાર થાય છે, ડ્રગ્સના રવાડે ચઢી યુવાધન બરબાદ થઇ રહ્યું છે ત્યારે ન્યાયના હિતમાં આરોપીને સજા કરવી…
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન કોતરપુર વેસ્ટર્ન ટૂંક મેઈન્સમાં શટડાઉન લેવામાં આવનાર હોવાથી તા. ૩૦ જાન્યુઆરી. ૨૦૨૬ના રોજ મધ્ય ઝોનના તમામ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં સાંજનો પાણી પુરવઠો બંધ કરવામાં આવશે અને તા. ૩૧ જાન્યુઆરીના ૨૦૨૬ના રોજ સવારે પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી પુરવઠો આપવામાં આવશે.આમ, મધ્ય ઝોનમાં આવેલા શાહપુર, માધુપુરા, દરિયાપુર, શાહીબાગ, દૂધેશ્વર, જમાલપુર, રાયખડ, અસારવા, વગેરે વિસ્તારોમાં તા.૩૦ જાન્યુઆરીના રોજ સાંજનો પાણીનો પુરવઠો બંધ રહેશે અને તા. ૩૧ જાન્યુઆરીના રોજ આ વિસ્તારોમાં પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ પાણીનો સપ્લાય આપવામાં આવશે.AMC સંચાલિત મધ્ય ઝોનમાં આવેલ દૂધેશ્વર વોટર વર્કસ -૧ માં નવા બનાવવમાં આવેલા ૨૦ MLD અન્ડરગ્રાઉન્ડ સમ્પની ૭૦૦ મી.મી. વ્યાસની…
