(પ્રતિનિધિ) અમદાવાદ, રાજ્ય સરકાર અને મનપા દ્વારા ઝુંપડાવાસીઓ અને પરવિહોણા ગરીબ લોકોને પાકાં મકાનો આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકા મકાનો આપવામાં આવે છે.પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના અને EWS યોજના હેઠળ મકાનો ફાળવાયા પછી કેટલાંક સ્થાપિત હિત પરાવતા અને લેભાગુ તત્વો દ્વારા આ મકાનો અન્ય લોકોને ભાડે આપી દેવામાં આવતા હોવાની તેમજ કેટલાંક કિસ્સામાં ગેરકાયદે વસવાટ કરતા હોવાની ફરિયાદો અવારનવાર ઉઠવા પામે છે. મ્યુનિ. દ્વારા સાતેય ઝોનમાં અત્યાર સુધીમાં ૫૬૨૯ મકાનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે અને ૩૭૨ મકાનોના માલિકોને શો કોઝ નોટિસો આપવામાં આવી છેઅને ૩૫ મકાનો સીલ કરાયા છે તેમજ ૬૩ મકાનોના લાભાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ…
Author: gujarat
156 કરોડો વિદ્યાર્થીઓ અને શાળાઓ પાછળ વપરાશે, -રમતગમતની કોચિંગ પાછળ 10 કરોડનો અને મ્યુઝિક માટે જાપાનની સંસ્થા સાથે MOU થશે(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મ્યુનિસિપલ સ્કૂલબોર્ડની સામાન્ય સભામાં શાસનાધિકારી એલ.ડી.દેસાઈ દ્વારા વર્ષ 2026- 27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 2025-26 ના રૂ.1143 કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ. 57 કરોડનો વધારો કરી 2026-27 માટે 1200 કરોડનું શિક્ષણ સાથે કેળવણીનું શતાબ્દી ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આગામી નાણાકીય વર્ષ ના ડ્રાફ્ટ બજેટમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને રમતગમત માટે તૈયાર કરવા માટે ખર્ચ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ ના શાસનાધિકારી લબ્ધીર દેસાઈએ ડ્રાફ્ટ બજેટ અંગે વિગતો આપતા…
ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન યોજાયું-સમાજ હવે પટાવાળા કે સિક્યુરિટી ગાર્ડની નોકરીમાંથી બહાર આવી IAS-IPS બને તે જરૂરી: ગેનીબેન(એજન્સી)ગાંધીનગર, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના ઉત્થાન અને યુવાશક્તિને જાગૃત કરવાના ઉમદા હેતુ સાથે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ‘અભ્યુદય મહાસંમેલન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનની સૌથી ખાસ વાત એ રહી કે, ઠાકોર સેનાના આહવાન પર સમાજના હજારો લોકો અડધી રાત્રે ૩ વાગ્યાથી જ મેદાનમાં એકત્રિત થવા લાગ્યા હતા.આ મહાસંમેલનમાં પક્ષ-વિપક્ષના ભેદ ભૂલીને સમાજના રાજકીય માંધાતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, કેબિનેટ મંત્રી રમણસિંહ સોલંકી, ધવલસિંહ ઝાલા, બળદેવજી ઠાકોર અને શોભનાબેન બારૈયા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.…
સાણંદના મોડાસર મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો(એજન્સી)સાણંદ, સાણંદ તાલુકાના મોડાસર ગામે આવેલા પૌરાણિક મંદિરમાં થયેલી ચોરીનો ભેદ અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા એક શખસની ધરપકડ કરી તેની પાસેથી રૂ.૪.૨૨ લાખની કિંમતના ચાંદીના ૧૭ સિક્કા અને અન્ય કિંમતી વસ્તુઓ રિકવર કરી છે. પવિત્ર યાત્રાધામમાં ચોરીની ઘટનાથી ભક્તોમાં ફેલાયેલા રોષ વચ્ચે પોલીસે આરોપીને દબોચી લેતા રાહતની લાગણી ફેલાઈ છે.પોલીસ વિગતો અનુસાર, ગત ૨૦ જાન્યુઆરી, ૨૦૨૬ની રાત્રે મોડાસર ગામમાં આવેલા મેલડી માતાના મંદિરના તાળા તોડી અજાણ્યા તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. તસ્કરો મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલા નાના-મોટા ૧૭ ચાંદીના સિક્કા અને અન્ય કિંમતી વસ્તુ…
બંને તેજસ્વી યુવાનોને રૂા. ૧૫,૦૦૧/- નું રોકડ પુરસ્કાર,મોમેન્ટો તેમજ પ્રશંસાપત્રથી સન્માનિત કરાયાઅમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે‘વિકાસદીપ’યોજના અંતર્ગત બંદીવાનોના તેજસ્વી સંતાનોનું બહુમાનરાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના હસ્તે અપાયા રોકડ પુરસ્કારજેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા,બંદીવાનોના બાળકો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવઅમદાવાદ, જેલના ચાર દીવાલો પાછળ સજા કાપી રહેલા બંદીવાનોના સંતાનો સમાજમાં ગૌરવભેર આગળ વધે અને સરકારી સેવાઓમાં જોડાય તેવા ઉમદા આશય સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં અમલી કરાયેલી ‘વિકાસદીપ‘યોજના અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો…
૭૭માં પ્રજાસત્તાક પર્વની રાજ્યની નગરપાલિકાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટરાજ્યની નગરપાલિકાઓને11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ માટેવિના મૂલ્યે સરકારી જમીન ફાળવવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વ નો નિર્ણયરાજ્યની ૧૫૨ નગરપાલિકાઓ પરનું આર્થિક ભારણ ઘટતાં નાગરિક સેવાલક્ષી વિકાસ પ્રોજેક્ટ્સમાં વેગ આવશે*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો શહેરોમાં જાહેર જન હિતકારી પ્રોજેક્ટ્સ માટે નગરપાલિકાઓને વિના મૂલ્યે જમીન ફાળવવા નો મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે**શહેરી વિસ્તારોમાં વહીવટ વધુ પારદર્શક બને અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહે તે માટે નગરપાલિકાઓને વિકાસકામો માટે હવે11પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિકસાવવા માટે વિના મૂલ્યે સરળતાએ જમીન ફાળવવામાં આવશે**મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિતલક્ષી નિર્ણય ને પરિણામે રાજ્યની ૧૫૨ જેટલી…
યુવતીએ હિંમત દાખવી બૂમ પાડતા આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો, ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી મેટીસ હોસ્પિટલમાં માનવતા કિસ્સો સામે આવ્યો છે. અહીં આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલી એક અર્ધબેભાન યુવતીની હોસ્પિટલના જ કર્મચારીએ છેડતી કરી હોવાની ઘટના બની છે.પીડિતા પોતાના પતિ સાથેના વિવાદને કારણે માનસિક તણાવમાં હતી અને તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી તેને સારવાર માટે આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. વહેલી પરોઢે જ્યારે યુવતી ગાઢ નિદ્રા અને દવાની અસરમાં હતી, ત્યારે હોસ્પિટલના કર્મચારીએ તેની લાચારીનો લાભ ઉઠાવી શારીરિક અડપલાં કર્યાં હતા. આ ઘટના સમયે યુવતીએ હિંમત દાખવી બૂમ પાડતા આરોપી ત્યાંથી…
નેપાળની જેલ તોડીને ભાગેલો ખતરનાક આરોપી અમદાવાદમાંથી ઝડપાયો-અન્ય દેશોમાં ગુના આચર્યા હોવાની શંકા(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેર પોલીસની એસઓજી શાખાને એક મોટી સફળતા હાથ લાગી છે. એસઓજી દ્વારા એક આંતરરાષ્ટ્રીય સ્તરના રીઢા ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે, જે નેપાળની જેલ તોડીને ફરાર થયો હતો અને લાંબા સમયથી ભારતમાં છુપાઈને રહેતો હતો. આ આરોપી આંતરરાષ્ટ્રીય સ્તરે એક કરતાં વધુ દેશોમાં ગુનાખોરીમાં સંડોવાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે.મળતી માહિતી અનુસાર, અમદાવાદ એસઓજીને બાતમી મળી હતી કે નેપાળનો એક શખસ શહેરના ઠક્કરબાપાનગર વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવીને રહી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા આ શખસ મળી આવ્યો હતો. તેની કડકાઈથી પૂછપરછ કરતાં સામે…
અમદાવાદ, GLS યુનિવર્સિટી, ફેકલ્ટી ઑફ કોમર્સ દ્વારા, કોલેજિયેટ વુમન ડેવલપમેન્ટ કમિટી હેઠળ “શું રસીકરણ કેન્સરને રોકી શકે છે?” વિષય પર એક નિષ્ણાત સત્રનું સફળ આયોજન કરવામાં આવ્યું.આ સત્રનું વ્યાખ્યાન ડૉ. અદિતિ ભટ્ટ દ્વારા આપવામાં આવ્યું હતું. તેઓ સર્જિકલ ઑન્કોલોજીમાં સિનિયર કન્સલ્ટન્ટ છે અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ, ગાયનેકોલોજિકલ તથા પેરિટોનિયલ સરફેસ ઑન્કોલોજીમાં વિશેષતા ધરાવે છે. તેઓ ઓવેરિયન કેન્સર અને HIPEC સ્પેશિયાલિસ્ટ પણ છે.ડૉ. ભટ્ટે કેન્સર નિવારણમાં રસીકરણની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ તબીબી માહિતી રજૂ કરી, જેમાં ખાસ કરીને સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર પર ભાર મૂકવામાં આવ્યો, જે આજના સમયમાં મહિલાઓમાં સૌથી વધુ જોવા મળતા કેન્સર છે.સત્ર દરમિયાન ડૉ. ભટ્ટે સર્વાઇકલ કેન્સર અટકાવવા માટે…
