Author: gujarat

અમદાવાદ, પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,હાલમાં સમગ્ર દેશ સહિત રાજ્યમાંSIRની અગત્યની કામગીરી ચાલુ છે. જે અન્વયે રાજ્યના મહેસૂલી તંત્ર દ્વારા નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું આયોજન કરવુ મુશ્કેલ હોઈ આ તમામ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા આજે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવે છે.આ અંગે વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી વાઘાણીએ કહ્યું હતું કે,ગુજરાત સહકારી મડળી અધિનિયમ-૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તા અન્વયે અધિનિયમની કલમ-૭૪(ગ) હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ સહકારી મંડળીઓ કે જેની ચૂંટણીઓની પ્રક્રિયા ચાલુ છે અથવા ચૂંટણીઓની પ્રક્રિયા હાથ ધરવાની થાય છે,તેઓને આ જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી…

Read More

અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા આ હાઇવે પર દૈનિક એક લાખથી વધારે વાહનોની અવરજવર -મુખ્ય માર્ગનું આઠ માર્ગીયકરણ કરવાની સાથે રસ્તાની બંને બાજુ ૭ મીટર પહોળો સર્વિસ રોડ તૈયાર કરાશેકુલ ૫૧ કિ.મી.ના માર્ગમાં ૧ એલિવેટેડ કોરીડોર, ૮ ફ્લાયઓવર તેમજ ૮ અંડરપાસ તૈયાર કરાશેઅમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રાજ્યની જનતા માટે રોડ-રસ્તા સહિતની શ્રેષ્ઠ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેના ભાગરૂપે અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા મહત્વના એવા અમદાવાદ-મહેસાણા વચ્ચેના ૫૧ કિમીના હાઇવેને રૂ. ૨,૬૩૦ કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થવાથી ઉત્તર…

Read More

નવી શિક્ષણ નીતિ મુજબ તૈયાર કરાયેલા”આધારશિલા” અભ્યાસક્રમને રાજ્યની તમામ આંગણવાડીઓમાં જૂન ૨૦૨૬થી અમલી બનાવાશેØઆંગણવાડીમાં બાળકોને ૪ કલાકના દૈનિક સમયપત્રક મુજબ રમત–ગમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાશેØબાળકો માટે ઉંમર મુજબની‘પ્રવૃત્તિ પુસ્તિકા’અને કાર્યકરો માટે‘એક્ટિવિટી બેંક’તૈયાર કરાઈØસ્ટેટ ઈ.સી.સી.ઈ. (ECCE)કાઉન્સિલની બેઠકમાં અભ્યાસક્રમ સાથે બાળકોના વિકાસના માપદંડ ધરાવતી પુસ્તિકા“મારી વિકાસ યાત્રા”ને પણ મળી મંજૂરીGandhinagar, રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેટ ઈ.સી.સી.ઈ. (ECCE)કાઉન્સિલની બેઠકમાં રાજ્યની આંગણવાડીઓના ૩ થી ૬ વર્ષના બાળકો માટે નવો પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમ “આધારશિલા” મંજૂર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ને સુસંગત આ અભ્યાસક્રમ જૂન ૨૦૨૬-૨૭ ના શૈક્ષણિક વર્ષથી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે.મહિલા અને બાળ વિકાસ મંત્રી…

Read More

Gandhinagar, ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીશ્રી અજિત પવારના આકસ્મિક અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.તા.28જાન્યુઆરીના રોજ મુંબઈ સ્થિત લોકભવનમાં આયોજિત શોકસભા દરમિયાન માનનીય રાજ્યપાલશ્રીએ બે મિનિટનું મૌન પાળી દિવંગત શ્રી અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે લોકભવનના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે,મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીશ્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા આકસ્મિક અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. શ્રી પવાર જન-જન સાથે જોડાયેલા,જમીની સ્તરે લોકસંપર્ક ધરાવતા એક સમર્પિત,કર્મઠ અને સંવેદનશીલ જનનેતા હતા. મહારાષ્ટ્રની જનસેવામાં તેમનું યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે.રાજ્યપાલશ્રીએ મહારાષ્ટ્રના બારામતી ખાતે થયેલી આ દુઃખદ વિમાન દુર્ઘટનામાં પોતાના…

Read More

વ્યાપક આધુનિકીકરણ તથા યાત્રીસુવિધાઓનો વિકાસપશ્ચિમ રેલવેના અમદાવાદ ક્ષેત્રના અસારવા રેલવે સ્ટેશનનો કાયાકલ્પ અમૃત ભારત સ્ટેશન યોજનાના અંતર્ગત ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યો છે. આ મહત્ત્વાકાંક્ષી પરીયોજનાના અંતર્ગત સ્ટેશન ભવન,પ્લેટફોર્મ તેમજ યાત્રી સુવિધાઓનું વ્યાપક આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે,જેના પરિણામે યાત્રીઓને સુરક્ષિત,સુવિધાજનક તથા આધુનિક યાત્રાનો અનુભવ પ્રાપ્ત થશે.પુનર્વિકાસ કાર્યોના અંતર્ગત સ્ટેશન ભવનનું નવીનીકરણ,પ્લેટફોર્મ શેડનું નિર્માણ,પ્લેટફોર્મ રીસર્ફેસિંગ તેમજ પાર્કિંગનું કામ પૂર્ણ કરવામાં આવી ચૂક્યું છે. ઉપરાંત વિવિધ કાર્યો પ્રગતિ પર છે:•પ્લેટફોર્મ નંબર1પર લગભગ34,000વર્ગ ફૂટ તથા પ્લેટફોર્મ નંબર2અને3પર અંદાજે50,000વર્ગ ફૂટ વિસ્તારમાં કવર શેડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે,જેના કારણે મુસાફરોને ધુપ,વરસાદ તેમજ પ્રતિકૂળ હવામાનથી રક્ષણ મળશે.• 40ફૂટ પહોળા તથા82ફૂટ લાંબા ફૂટ ઓવર બ્રિજ…

Read More

અમદાવાદ, સોનાની દાણચોરી માટે કુખ્યાત અમદાવાદ એરપોર્ટ હવે ડ્રગ્સ અને હાઇબ્રીડ ગાંજાની હેરાફેરી માટે પણ ડ્રગ્સ માફિયાઓની પહેલી પસંદ બની ગયું છે. ત્યારે જ અમદાવાદ એરપોર્ટ પરથી બેંગકોકથી વાયા મલેશિયા થઈને આવી રહેલા ચાર પેડલરોને ઝડપી લઈ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ ના અધિકારીઓએ તેમની બેગમાંથી ૧૨.૫૦ કરોડનો ૧૨.૪૦૨ કિલો હાઇબ્રીડ ગાંજો ઝડપી લીધો છે.હવે આ ગાંજો મોકલનાર કોણ છે અને કોના માટે ભારતમાં લાવવામાં આવ્યો હતો તેની તપાસ ચાલી રહી છે. પકડાયેલા ચાર પેડલરો પૈકી એક વડોદરાનો અને બાકીના ત્રણ જલંધર, પંજાબના હોવાનું જાણી શકાયું છે.ફરી એક વખત સોનાની દાણચોરી વધતાં અને રાષ્ટ્રીય પર્વને લઈ એરપોર્ટ પર એલર્ટ જારી કરાતાં…

Read More

અમદાવાદ, શહેરના ફતેવાડીમાં રહેતી ૧૭ વર્ષીય સગીરાએ પિતા અને જીજાજી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગીરાની સગાઇ બાદ તે મંગેતર સાથે વાત કરતી હતી. જેને લઇને તેના પિતાએ માર માર્યાે હતો અને મંગેતર સામે ખોટી ફરિયાદ નોંધાવવા દબાણ કર્યુ હતું.સગીરાએ ફરિયાદ ન નોંધાવી પોલીસને હકીકત જણાવતા ઘરે જઇને પિતા અને જીજાજીએ માર માર્યાે હતો. સારવાર બાદ તેના પિતાએ ફરી બેલ્ટથી ફટકારીને કાઢી મૂકી હતી. સગીરા મિત્રની ભાભીના ત્યાં રહેવા મજબૂર બની હતી.અંતે કંટાળેલી સગીરાએ તેના પિતા અને જીજાજી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફતેવાડીમાં રહેતી ૧૭ વર્ષની સગીરાની દિલ્હીમાં રહેતા યુવક સાથે સગાઈ…

Read More

Gujarat ATS Terrorism Crackdown: ગુજરાતના નવસારી જિલ્લામાં એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ એક મોટી આતંકી સાઝિશને નિષ્ફળ બનાવી છે. ATS એ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના રહેવાસી ૨૨ વર્ષીય ફેઝાન શેખની ધરપકડ કરી છે. ફેઝાન પર દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. તે નવસારી શહેરમાં દરજીનું કામ કરતો હતો અને અક્સા મસ્જિદ પાસે રહેતો હતો. મંગળવારે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે ફેઝાનATS ના ડેપ્યુટી એસપી હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે ફેઝાન દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. તે પાકિસ્તાન સ્થિત હેન્ડલર મોહમ્મદ અબુ બકરના સંપર્કમાં હતો. ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તે કટ્ટરપંથી…

Read More

અમદાવાદ, દેશમાં ઘૂસણખોરી કરીને રાજ્યના વિવિધ શહેરોમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ હજુ પણ પોલીસની લાલઆંખ છે. તેવામાં અસલાલી પોલીસે કુલ છ બાંગ્લાદેશીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ છ લોકો અગાઉ ચંડોળા તળાવ ખાતે રહેતા હતા, પરંતુ ત્યાં તંત્રએ બુલડોઝર ચલાવ્યા બાદ ત્યાંથી નીકળીને અઢી માસથી નાજ ગામે રહેતા હોવાનું સામે આવ્યું છે.અમદાવાદ ગ્રામ્યમાં હજુય કેટલાક ગેરકાયદે ઘૂસણખોરી કરીને બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા છે. તેવામાં અસલાલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમે આ મામલે વિવિધ શંકાસ્પદ જગ્યાએ તપાસ કરી હતી.તપાસ દરમિયાન બારેજા નાજ ગામ ખાતે વાડી વિસ્તારમાંથી સંદિગ્ધ લોકો મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા આ તમામ…

Read More