અમરેલી, અમરેલી જિલ્લાના ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં ધીંગાણું ખેલાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. દેવીપૂજક સમાજના લગ્નપ્રસંગમાં મારામારી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, જમણવારમાં રોટલી પીરસવા જેવી બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મળતી માહિતી મુજબ, ધારીના ખીસરી ગામે જાનૈયા અને માંડવીયા વચ્ચે ધીંગાણું ખેલાયું હોવાના ભયાનક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.જેમાં અમરેલીના ચક્કરગઢ ગામેથી આવેલી જાન બાદ કોઈ કારણોસર બંને પક્ષે ઉગ્ર બોલાચાલી બાદી મામલો બીચક્યો હતો. જેમાં જાનૈયા અને માંડવીયા બંને પક્ષે લાકડી અને પાઇપ વડે એકબીજા પર હુમલો કર્યાે હતો. ઉગ્ર બનેલા ટોળાએ આખુ ગામ જાણે માથે લીધું હોય તેવા દ્રશ્યો જોવા…
Author: gujarat
ગાંધીનગર, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના ઉત્થાન અને યુવાશક્તિને જાગૃત કરવાના ઉમદા હેતુ સાથે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ‘અભ્યુદય મહાસંમેલન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ સંમેલનની સૌથી ખાસ વાત એ રહી કે, ઠાકોર સેનાના આહવાન પર સમાજના હજારો લોકો અડધી રાત્રે ૩ વાગ્યાથી જ મેદાનમાં એકત્રિત થવા લાગ્યા હતા.આ મહાસંમેલનમાં પક્ષ-વિપક્ષના ભેદ ભૂલીને સમાજના રાજકીય માંધાતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા.અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, કેબિનેટ મંત્રી રમણસિંહ સોલંકી, ધવલસિંહ ઝાલા, બળદેવજી ઠાકોર અને શોભનાબેન બારૈયા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. તમામ નેતાઓએ એકસૂરે સ્વીકાર્યું હતું કે સમાજની પ્રગતિનો એકમાત્ર માર્ગ શિક્ષણ અને વ્યસનમુક્તિ છે.ઠાકોર સમાજના સંમેલનમાં સંબોધન કરતાં અલ્પેશ ઠાકોરે…
“સ્વતંત્રતા કા મંત્ર: વંદે માતરમ” ના વિષયને અનુલક્ષીને ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ સાથેના ગુજરાતના ટેબ્લોએ ૭૭–મા પ્રજાસત્તાક પર્વમાં કર્તવ્ય પથ પર આકર્ષણ જમાવ્યું77-મા પ્રજાસત્તાક પર્વમાં આ વર્ષે પ્રથમ વખત ‘સાયલન્ટ વોરિયર્સ‘ તરીકે જાણીતા પ્રાણીઓએ પણ પરેડમાં ભાગ લીધોનવી દિલ્હી : તા. 26 જાન્યુઆરી, 2026: પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ” ! ‘વંદે માતરમ’ ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બન્યો.આ સાથે ગુજરાતના નવસારીમાં…
દુબઈ હેલ્થકેર સિટીની તર્જ પર કલોલ પાસે રૂ.૧૩ હજાર કરોડના રોકાણ સાથે ‘ઇન્ટરનેશનલ મેડિસિટી‘ સ્થાપાશે,જે ગાંધીનગરને વિશ્વના હેલ્થ મેપ પર અગ્રેસર બનાવશે– અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતી રવિપોલીસ, હોમ ગાર્ડ,ગ્રામ રક્ષક દળ, NCC કેડેટ્સ દ્વારા પરેડ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશ ભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યાસરકાર કલોલ પાસે રૂ.૧૩,૦૦૦ કરોડના રોકાણ સાથે ‘ઇન્ટરનેશનલ મેડિસિટી’સ્થાપવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ ‘દુબઈ હેલ્થકેર સિટી’ની તર્જ પર હશે, જે ગુજરાતની રાજધાની ગાંધીનગરને વિશ્વના હેલ્થ મેપ પર અગ્રેસર બનાવશે તેમ,આજે ગાંધીનગર ખાતે ૭૭ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે મહેસૂલ વિભાગ અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું.ભારતના ‘૭૭ મા પ્રજાસત્તાક પર્વ’ નિમિત્તે આજે…
૭૭મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વાવ – થરાદ જિલ્લા માટે ગૌરવશાળી ક્ષણ-રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરીમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ: ધ્વજ વંદન સમારોહની ભવ્યતા અને ઉત્સાહમાં ઉમેરોથરાદના મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદની વચ્ચે તિરંગાને પુષ્પવર્ષા થકી વિશેષ સન્માન આપતું વાયુદળવિકાસ,વિશ્વાસ અને વિરાસતનું પ્રતીક વાવ – થરાદ જિલ્લામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. થરાદના મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી. આ ખાસ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહીને ધ્વજવંદન સમારોહની ભવ્યતામાં વધારો કર્યો હતો.આ વેળાએ…
રાજ્ય સરકારે ‘નમો લક્ષ્મી યોજના’ અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬માંમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં અભ્યાસ કરતી અંદાજે ૧૨ લાખથી વધુ વિદ્યાર્થીનીઓને રૂ.૧,૨૫૦ કરોડની સહાય અપાશે‘સૌ ભણે ગણે અને આગળ વધે’ તેવા ઉમદા હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ,કન્યા કેળવણી અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો આજે દેશભરમાં પ્રેરક અનુકરણીય બની રહ્યા છે. જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી રીવાબા જાડેજાની આગેવાનીમાં અનેક નવી યોજનાઓ દ્વારા શિક્ષણનો વ્યાપ સતત વધી રહ્યો છે. આવી એક શિક્ષણલક્ષી યોજના છે ‘નમો લક્ષ્મી યોજના‘.આ યોજના હેઠળ…
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણીમકરબા પોલીસ ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિના માહોલમાં આન-બાન-શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યોપોલીસ જવાનોના શૌર્યપૂર્ણ કરતબો અને વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક કૃતિઓએ જમાવ્યું આકર્ષણ; વિવિધ વિભાગોના ટેબ્લો દ્વારા સરકારી યોજનાઓની ઝાંખી રજૂ કરાઈઅમદાવાદ, રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર, મકરબા ખાતે દેશભક્તિના જોમ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને સલામી આપી હતી તથા શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ પોલીસ દળો દ્વારા રાષ્ટ્રીય સલામી સાથે પ્રભાવશાળી માર્ચ પાસ્ટ…
નવસારીમાંથી ગુજરાત ATS ની ટીમે એક યુવકની ધરપકડ કરી: ટાર્ગેટ કિલિંગનું કાવતરું નિષ્ફળનવસારી, ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ “આતંક અને ડર ફેલાવવાના” હેતુથી ટાર્ગેટ કિલિંગ કરવાનું કાવતરું ઘડવાની શંકાના આધારે નવસારીમાંથી એક યુવકની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે, જે નવસારી જિલ્લાના ચારપુલ વિસ્તારનો રહેવાસી છે. તેની 25 જાન્યુઆરીના રોજ અટકાયત કરવામાં આવી હતી.ATS Gujarat arrested terrorist named Faizan Shaikh, present resident of Charpul, Navsari, original resident of Dundawala, Narpat Nagar, Rampur UP in a terror conspiracy case.અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ફૈઝાન શેખ, જે મૂળ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના ડુંડાવાલા (નરપત…
જાન્યુઆરી-2026ના રાજ્યસ્વાગત ઓનલાઈનમાં 110 રજૂઆતો – જિલ્લા સ્વાગતમાં 1492 અને તાલુકા સ્વાગતમાં 2565 સહિત 4,057 રજૂઆતો અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવીમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ખેડૂતો અને સામાન્ય નાગરિક પરિવારોની સમસ્યા નિવારણની આગવી સંવેદનશીલતામુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જાન્યુઆરી-2026ના રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો રૂબરૂ સાંભળીને જાહેર રસ્તા પરના ગેર કાયદેસર બાંધકામ અને દબાણ, ડ્રેનેજ અને કાંસમાં થયેલ ગેર કાયદેસર દબાણ તેમજ એક ગામથી બીજા ગામને જોડતા રસ્તા પર કરવામાં આવેલા દબાણ જેવી રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો અંગે નાગરિકલક્ષી નિર્ણય લઈને સમસ્યાના ત્વરિત ઉકેલ માટે જિલ્લા તંત્ર વાહકોને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના ઉપક્રમમાં જાન્યુઆરી-2026ના…
પ્રજાસત્તાક દિવસ ૨૦૨૬ના પ્રસંગે ગુજરાતરાજ્ય પોલીસ દળના કુલ-૧૬ પોલીસ અધિકારીઓ તથા જવાનોને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના પોલીસ ચંદ્રકો જાહેર.ગાંધીનગર – ગુજરાત રાજ્ય પોલીસમાંફરજ બજાવતાં પોલીસ અધિકારી તથા જવાનોને ૨૬મી જાન્યુઆરી- ૨૦૨૬(પ્રજાસત્તાકદિવસ-૨૦૨૬)ના પ્રસંગે વિશિષ્ટ સેવા/પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો આજ રોજમહામહિમ રાષ્ટ્રપતિશ્રીનાઓએ જાહેર કરેલ છે.વિશિષ્ટ સેવા અંગેના પોલીસ મેડલ (PSM)પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ (MSM) રાજયના પોલીસ વડા શ્રી ડૉ.કે.એલ.એન રાવનાએ મહામહિમ રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર પોલીસ અધિકારી/જવાનોને અભિનંદન પાઠવ્યા છે.
