Author: gujarat

મહેસાણા, મહેસાણા શહેરમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ઇનરવ્હીલ કલબ ઓફ મહેસાણા અને રોટરી કલબ ઓફ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે ફક્ત મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા સંચાલિત રક્તદાન કેમ્પ યોજાયો હતો.આ અનોખા કેમ્પમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કુલ ૪૧૧ બોટલ રક્તદાન કર્યું હતું. આ અભૂતપૂર્વ આયોજનને એશિયા બુક ઓફ રેકોડ્‌ર્સમાં સ્થાન મળ્યું છે. ખાસ નોંધનીય બાબત એ છે કે આ પ્રકારનું આયોજન આખા ભારત તેમજ એશિયા સ્તરે પ્રથમવાર નોંધાયું છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ સ્વયંપ્રેરિત થઈ રક્તદાન કરીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મહિલાઓ દ્વારા સંચાલિત આ કેમ્પમાં આયોજન, વ્યવસ્થા અને સંચાલન તમામ ક્ષેત્રે મહિલાઓની સક્રિય ભૂમિકા રહી હતી.આ પ્રસંગે ઉપસ્થિત…

Read More

ગાંધીનગર, સમગ્ર વિશ્વ વૂમન્સના સન્માનમાં ઇન્ટરનેશનલ વૂમન્સ ડેની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આ અવસરે ગાંધીનગરમાં આશાવકર્સ તેમના પેન્ડિંગ પ્રશ્નોને લઇને વિરોધ પ્રદર્શન કરતી જોવા મળી હતી. આ દરમિયાન પોલીસે મહિલાઓની અટકાયત કરી હતી.ગાંધીનગરમાં આશા વર્કર બહેનોએ સત્યાગ્રહ છાવણીમાં ધરણા પ્રદર્શન કર્યું હતું. તેમના પડતર માંગણીમાં ઈન્સેટીવ પ્રથા, ઓનલાઈન કામગીરી બંધ કરવા માગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નોકરીના કલાક નક્કી કરવા, પગાર સમયસર કરવાની માગણી સાથે કાળી પટ્ટી બાંધીને મહિલાઓએ તેમના અધિકારોને લઇને અવાજ ઉઠાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન આશા વર્કસની અટકાયત કરવામાં આવી હતી.સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આશાવર્કશ બહેનોએ ધરણા અને વિરોધ પ્રદર્શન રેલી માટે મંજૂરી…

Read More

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજય સરકારના સહયોગથી કાર્યરત કરવામાં આવેલી એસવીપી હોસ્પિટલ શરૂઆતથી જ વિવાદમાં આવી ગઈ છે. એસવીપી હોસ્પિટલને ચલાવવા માટે સત્તાધારી પાર્ટીએ વી.એસ હોસ્પિટલને નામશેષ કરી છે.પરંતુ દુઃખદ બાબત એ છે કે એસવીપી હોસ્પિટલ પણ ચાલતી નથી. અહીં ઈન્ડોર દર્દીઓની સંખ્યા બિલકુલ નહીંવત રહે છે. જયારે આઈસીયુ વોર્ડમાં દાખલ થતા દર્દીઓનો મૃત્યુ દર ખૂબ જ ચિંતાજનક છે. છેલ્લા સપ્તાહ દરમિયાન આ બાબતે એક યુવતીનો વિડીયો પણ વાયરલ થયો હતો.અમદાવાદ મેડીકલ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત એસવીપી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેતા પણ ડરી રહયા હોય તેવો માહોલ જોવા મળી રહયો છે જેનું મુખ્ય કારણ ગત સપ્તાહ દરમિયાન ગીરાબેન…

Read More

પાટણ, કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી. આ વાતને ફરી એક વખત સાબિત કરી બતાવી છે વિપુલ કરમણભાઈ ચૌધરીએ. વિપુલ ચૌધરી સાંતલપુરના હમીરપુરા ગામના રહેવાસી છે. જેઓએ વર્ષ ૨૦૨૪માં યુપીએસસીમાં ૩૪૮ મો રેન્ક મેળવીને આઈપીએસ બન્યા હતા.આઈપીએસ બન્યા બાદ પણ વિપુલ ચૌધરીએ મહેનત ન છોડી અને આખરે વર્ષ ૨૦૨૫ની યુપીએસસી પરીક્ષામાં ૧૧૫મો રેન્ક મેળવીને IASનું પદ મેળવ્યું. સતત ૧૮ કલાકનું વાંચન અને ૫ પ્રયત્નો છતાં હિંમત હાર્યા વગર તેમણે આ મુકામ હાંસલ કર્યુ. વિપુલ ચૌધરીનું કહેવું છે કે જો તમે લક્ષ્યને નક્કી કરીને મહેનતને જ મંત્ર બનાવશો તો સફળતા ચોક્કસ તમારું સરનામું શોધતી આવશે.પાટણ જિલ્લાના સરહદી સાંતલપુરના હમીરપુરા ગામના વિપુલ…

Read More

વડોદરા, વડોદરા જિલ્લામાં વહેતી પવિત્ર મહીસાગર નદીમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા ઝેરી પ્રવાહી/દવા નાખીને જળચર પ્રાણીઓને મારી તેમનો વ્યાપાર કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. નદી કિનારે મોટી સંખ્યામાં માછલી-ઝીંગા મૃત હાલતમાં જોવા મળ્યા છે.સામાજિક કાર્યકરના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે કેટલાક લોકો નદીમાં ઝેરી દવા નાખીને ઝીંગા અને માછલીઓ મારતા હોવાનો સંદેહ છે. દાવા મુજબ રાત્રે લગભગ ૯ થી ૧૦ વાગ્યાના સમય દરમિયાન ઝેરી દવા નદીમાં નાખવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે ૧૨ થી ૨ વાગ્યાની વચ્ચે તે લોકો નદીમાંથી મૃત અથવા બેભાન થયેલા ઝીંગા અને માછલીઓ એકત્ર કરી લઈ જાય છે. આ જ ઝીંગા-માછલીઓ બાદમાં બજારમાં વેચવામાં આવતી…

Read More

સરકારના સામાન્ય વહીવટ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા સિક્યોરિટીના બહાનાં હેઠળ સરદાર ભવન સચિવાલયમાં પ્રવેશના નિયમો એટલાં જડ અને કડક બનાવી દેવાયા છે કે સૌને એવું લાગે કે નવાં આ સચિવાલય સામાન્ય નાગરિક માટે નથી!તેનું કારણ એ છે કે સામાન્ય માણસનું વાહન ગણાય એવી જાહેર રીક્ષાને સચિવાલયમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.પરીણામે પોતાના વાહનની સુવિધા ન ધરાવતો કોઈ વ્યક્તિ સચિવાલયમાં આવી જ ન શકે! અને જો આવે તો મુખ્ય પ્રવેશદ્વારથી હજારો મીટર દુર આવેલા સચિવાલયના વિવિધ વિભાગોમાં જવા માટે તેણે પગે ચાલીને જવું પડે.જેની માટે અગાઉ બહુ બણગાં ફૂંકાયેલા એ પગપાળા આવતા મુલાકાતીઓની સુવિધા માટે રાખવામાં આવેલું ઈલેક્ટ્રોનિક વાહન સચિવાલયના મુખ્ય…

Read More

મહિલા શક્તિનો અભૂતપૂર્વ સંગમ:અમદાવાદમંડળમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવીપશ્ચિમ રેલ્વેના અમદાવાદ વિભાગે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ2026નિમિત્તે સાબરમતીના કોમ્યુનિટી હોલ ખાતે એક ભવ્ય અને ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.આ વર્ષની વૈશ્વિક થીમ‘ગિવ ટુ ગેઇન‘ને અનુરૂપ,આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદારતા,પરસ્પર સમર્થન અને મહિલા નેતૃત્વની શક્તિને પ્રોત્સાહન આપવાનો હતો.વેસ્ટર્ન રેલવે મહિલા કલ્યાણ સંગઠન(WRWWO),અમદાવાદના પ્રમુખ શ્રીમતી શેફાલી ગુપ્તાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ફક્ત ઉજવણી નથી,પરંતુ મહિલાઓનું સન્માન કરવાનો,તેમના સંઘર્ષો,સિદ્ધિઓ અને અધિકારોને યાદ કરવાનો એક મહત્વપૂર્ણ પ્રસંગ છે.તેમણે ભાર મૂક્યો હતો કે મહિલાઓ ફક્ત એક શબ્દ નથી,પરંતુ શક્તિ,પ્રેમ,બલિદાન અને ધીરજનું મૂર્ત સ્વરૂપ છે.માતા તરીકે,તે મૂલ્યો આપે છે,બહેન તરીકે,તે…

Read More

ધાર્મિક ઉત્સવો સમાજમાં એકતા,સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલયદુવંશી આહીર સમાજ ભગવાન શ્રીકૃષ્ણના પવિત્ર વંશ સાથે જોડાયેલો છે અને સદીઓથી પશુપાલન,ખેતી તેમજ શૌર્ય,પરાક્રમ અને રાષ્ટ્રપ્રેમની પરંપરા જાળવી રાખી છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે આવેલ શ્રી વીર યદુવંશી દગાયચા દાદા (ડાંગર) મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ મંદિર ખાતે પૂજા-અર્ચના કરી આ ધાર્મિક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના આયોજકો તથા આહીર સમાજના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વીર યદુવંશી દગાયચા દાદાના શૌર્ય અને જીવનગાથા દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.કાર્યક્રમને…

Read More

ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆતઅમદાવાદ, ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. મોટાભાગના વિસ્તારોનું તાપમાન સતત વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે ત્રણ દિવસ યલો એલર્ટની આગાહી કરી છે. આ સાથે ચોથા દિવસે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાવવાની આગાહી દર્શાવવામાં આવી છે.હવામાન વિભાગના વેધર રિપોર્ટ પ્રમાણે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોથાથી સાતમાં દિવસ એટલે કે ૪થી ૭ માર્ચ દરમિયાન ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા રહેવાની શક્્યતા છે.આ સાથે મહત્તમ તાપમાન માટે આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે, આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે પાંચ સે.નો વધારો થશે. ત્યારબાદ ગુજરાતમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્્યતા નથી. ન્યૂનતમ તાપમાન…

Read More

વલસાડ, હાફૂસ કેરીનો ગઢ ગણાતા વલસાડ જિલ્લામાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સિઝનની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે આંબા પર સારું ફ્લાવરિંગ થતા ખેડૂતોની ખુશીનો પાર ન હતો.પરંતુ જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ વાદળછાયું વાતાવરણ અને ગરમીને કારણે કેરીના પાક પર અસર થઈ છે. વલસાડ જિલ્લામાં આ વખતે પણ કેરીના પાકમાં મોટું નુકસાન થવાની શક્્યતાઓ જોવાઈ રહી છે. હાફૂસ કેરીનું ઓછું ઉત્પાદન થવાને કારણે બજારમાં કેરીની કિંમતો વધારે હોવાની પણ ભીતિ સેવાઈ રહી છે.આ વર્ષે દિવાળી બાદ વલસાડ જિલ્લામાં આંબાવાડીઓમાં આંબા ઉપર ભરપૂર મોર ખીલ્યો હતો. આથી આ વર્ષે ખેડૂતોને કેરીના પાકનું બમ્પર ઉત્પાદન થશે તેવી…

Read More