અમદાવાદ, મોબાઈલ ફોન-પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈને ૧.૪૦ લાખ આંગણવાડી બહેનો, આશા વર્કરો રસ્તા પર ઉતરી છે. એટલું જ નહીં, આંગણવાડીમાં ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણપણે બહિષ્કાર કર્યાે છે.એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો રાજ્યસરકાર ૧૨ માંગણી નહીં સ્વીકારે તો, આંગણવાડી બહેનો-આશા વર્કરો અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કરી શકે છે.જો રાજ્ય સરકાર ૧૨ માંગણીઓ નહીં સ્વીકારે તો અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કરાશે. વર્ષ ૨૦૨૨ માં આંગણવાડી બહેનોને નવા મોબાઈલ ફોન આપવામાં આવશે તેવું રાજ્ય સરકારે વચન આપ્યું હતું પણ હજુ સુધી નવા મોબાઈલ ફોન મળ્યા નથી.જૂના મોબાઈલ ફોન ચાલતા જ નથી જેથી ઓનલાઈન કામગીરી કરવી અઘરી બની છે. નબળી…
Author: gujarat
સુરત, સુરત શહેરના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ન્યુ પારસ ડાઇંગ મિલમાં કેમિકલની ટાંકી સાફ કરતી વખતે ગેસ ગૂંગળામણથી બે શ્રમિકોના મોત થયા હોવાની કરુણ ઘટના સામે આવી છે.ટાંકીમાં ઉતરેલા ચાર શ્રમિકો ગેસના ઝેરી પ્રભાવને કારણે બેભાન થઈ ગયા હતા. જેમાંથી બેના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા, જ્યારે અન્ય બે હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં રહેતા અને મૂળ બિહારના વતની ચાર શ્રમિકો ૨૩ વર્ષીય સોનુંકુમાર કમલેશ પાસવાન, ૨૦ વર્ષીય દિનુંકુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન, મનેનન્દર પાસવાન અને સંદીપ પાસવાન ગઈકાલે રાત્રે પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ન્યુ પારસ ડાઇંગ મિલમાં કેમિકલની ટાંકી સાફ કરવા…
પાલનપુર, શાળામાં અભ્યાસ કરવા જતા બાળકોના માતા-પિતા સામે લાલબત્તી સમાન કિસ્સો દિયોદર પોલીસ મથકે નોંધાયો છે. જેમાં ધોરણ ૯માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને શાળામાં જ અભ્યાસ કરતો ધો.૧૦નો વિદ્યાર્થી લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી જતાં સગીરાના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.દિયોદર પંથકમાં રહેતી અને ધોરણ ૯માં અભ્યાસ કરતી સગીરા ગત તા. ૫/૩/૨૦૨૬ના રોજ ઘરેથી શાળાએ અભ્યાસ અર્થ જવાનું કહી ઘરેથી નીકળી હતી. જેમાં સાંજે ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.પરિવારજનોએ તપાસ કરતાં સગીરા શાળાએ જઈ ન હોવાનું બહાર આવ્યું હતું. શોધખોળ કરતા શાળામાં ધો.૧૦માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડીને લઈ ગયો…
આણંદ, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા ગામનો એક યુવાને સવા વર્ષ અગાઉ પેટલાદ પંથકની ૧૭ વર્ષીય એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. અને તેની ઉપર અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યાે હતો.આ અંગેનો કેસ પેટલાદના ત્રીજા સ્પેશ્યલ જજ અને અધિક સેસન્સ જજ ઝંખના વી.ત્રિવેદીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટ તેને કસુરવાર ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદ અને દંડ ફટકાર્યાે છે.બોરસદ તાલુકાના નાપા એકતાનગરમાં નિલેશ જશવંતભાઈ રાઠોડ નામનો યુવાન પોતાના પરિવાર સાથે રહે છે. તે ઘણી વખત પેટલાદ પંથકમાં તેના સંબંધીના ઘરે જતો હતો. જેના કારણે તે ૧૭ વર્ષની એક સગીર યુવતીના સંપર્કમાં આવ્યો હતો. તેણે તેની સાથે પ્રેમસંબંધ…
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમદાવાદમાં અંગદાતા મહિલાઓને બિરદાવતો કાર્યક્રમ યોજાયોમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા અને ગાયિકા કિંજલ દવે દ્વારા અંગદાતા મહિલાઓનું સન્માન કરાયુંAhmedabad, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા અમદાવાદ ખાતે AMAમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા અને જાણીતી ગાયિકા સુશ્રી કિંજલ દવે ઉપસ્થિત રહ્યા હતા.“She gave life beyond life” થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં એવી પ્રેરણાદાયી મહિલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમણે અંગદાનના નિઃસ્વાર્થ નિર્ણય દ્વારા અનેક પરિવારોને નવજીવન આપ્યું છે.આ અવસરે મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા અને ગાયિકા સુશ્રી કિંજલ દવે દ્વારા અંગદાતા મહિલાઓનું સન્માન…
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજનેતાની છબી બાજુ પર મૂકીને સાચા અર્થમાં ‘ખેડૂતપુત્ર’ હોવાનો પરિચય આપ્યોકૃષિ મંત્રીશ્રીએ ખેડૂતો સાથે આત્મીયતાપૂર્વક ગોઠડી માંડી, ખેતી-વાડીની વર્તમાન સ્થિતિ અને પાક વિશે ચર્ચા કરીઅમરેલી, ગુજરાતના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ એક રાજનેતાની છબી બાજુ પર મૂકીને સાચા અર્થમાં ‘ખેડૂતપુત્ર’ હોવાનો પરિચય આપ્યો છે. પોતાના પ્રભારી જિલ્લા અમરેલીના સનાળા ગામે ખેડૂત મિત્ર રમેશભાઈના ખેતરે પહોંચેલા કૃષિ મંત્રીશ્રીએ ખેતરની ધૂળ અને માટી વચ્ચે રહીને પોતીકાપણાનો અહેસાસ કરાવ્યો હતો.કૃષિ મંત્રીશ્રીએ ખેતરમાં પહોંચીને માત્ર મુલાકાત જ ન લીધી,પરંતુ સ્વયં ટ્રેક્ટરના સ્ટિયરિંગ પર બેસીને ખેતરમાં સવડું એટલે કે,હળ હાંક્યું હતું. એક કુશળ ખેડૂતની જેમ જમીન ખેડતા કૃષિ મંત્રીશ્રીને જોઈને ત્યાં…
દરેક પરિવારે દર મહિને દાન આપીને કરેલો મંદિરનો જીર્ણોદ્ધાર સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ: નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવી દીકરીઓની સુરક્ષા માટે માતા-બહેનોને ‘રાણી લક્ષ્મીબાઈ’ બનવા નાયબ મુખ્યમંત્રીશ્રીનું આહ્વાનપોતાની ઓળખ છુપાવી દીકરીઓને ફસાવનારા ગુનેગારો સામે રાજ્ય સરકાર કડક હાથે કામ લેશે: નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવીવડોદરા, નવાયાર્ડ વિસ્તારમાં રેલવે કોલોનીના ‘ડી’ કેબીન ખાતે આવેલા અતિ પ્રાચીન શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મૂર્તિ આયોજીત પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહી અખંડ જ્યોત અને ભવ્ય કળશ યાત્રામાં સહભાગી થઈ આસ્થાના આ કેન્દ્ર ખાતે શીશ નમાવ્યું હતું. આ મહોત્સવ અંતર્ગત મંદિરમાં ખાટૂ શ્યામ,સાંવરિયા શેઠ…
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ‘ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઇન ગુજરાત’ વિષય પર રાષ્ટ્રીય બેઠકનું આયોજનઆપત્તિ વ્યવસ્થાપન હવે માત્ર રાહત-પુનઃવસન પૂરતું મર્યાદિત નથી,પરંતુ તેમાં નિવારણ, જાગૃતિ અને સર્વગ્રાહી આયોજનનો પણ સમાવેશ: અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિઆપત્તિ સમયે સૌથી અગત્યનું પાસું સામુદાયિક સ્વયંસેવકોની ભૂમિકા:NDMAના સચિવગાંધીનગર, ગુજરાત રાજ્ય હંમેશા આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે,ત્યારે રાજ્યની આ સજ્જતાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે ‘ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઇન ગુજરાત’ વિષય પર એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ્તરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી…
સોલધરા ગામની “લખપતિ દીદી”,જેણે ગ્રામ્ય ભૂમિ પર સ્વ-નિર્ભરતાનો નવો ઇતિહાસ રચ્યો:VGRCદક્ષિણ ગુજરાતમાં બનશે આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણનું ઉદાહરણગ્રામ વિકાસથી વૈશ્વિક ફલક સુધી: દક્ષિણ ગુજરાતની આત્મનિર્ભર મહિલા ઉદ્યોગકાર અસ્મિતાબેન પટેલ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં આપી રહી છે યોગદાન “સ્ત્રી શક્તિ એ સમાજની સાચી શક્તિ” કહેવતને સાચા અર્થમાં સાર્થક કરે છે ગુજરાતના ચિખલી તાલુકાના સોલધરા ગામના અસ્મિતાબેન અશોકભાઈ પટેલ. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે અસ્મિતાબેન અને એમની આત્મનિર્ભરતાની સફર વિષે જાણતા નવાઈ લાગશે કે,એક ખેડૂત પરિવારમાંથી હોવા છતાં આજે તેઓ પોતાનો ઉદ્યોગ ચલાવી અન્ય10મહિલાઓને પોતાની સાથે આત્મનિર્ભર બનાવી છે. જે આપણા દેશના માનનીય વડાપ્રધાનશ્રીના “આત્મનિર્ભર ભારત મિશન” ને સાકાર કરે છે.ઉલ્લેખનીય…
અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે પોર્ટલનું વિધિવત લોન્ચિંગદેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપતા સાંસદ ડો. હેમાંગભાઇ જોશીના એક નવતર પ્રયોગના ભાગરૂપે એમપી ઓફિસ ઈ-પોર્ટલનું આજે વડોદરામાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. અટલ સાંસદ જનસેવા કેન્દ્ર,વડોદરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે આ પોર્ટલનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું.આ પોર્ટલ દ્વારા નાગરિકોને હવે સાંસદ કાર્યાલય સંબંધિત વિવિધ સેવાઓ અને માહિતી પોતાના મોબાઈલના ફિંગરટિપ્સ પર ઉપલબ્ધ થશે. ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહેલા દેશમાં નાગરિકોને નાની નાની બાબતો માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે હેતુસર આ ઈ-પોર્ટલ…
