ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આગામી ન્યૂઝીલેન્ડ વનડે સીરીઝમાં રમતા જોવા મળશે. કોહલી હવે માત્ર એક જ ફોર્મેટમાં રમે છે. તેણે ટી20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. વિરાટ કોહલીની ટેસ્ટમાંથી નિવૃત્તિ અંગે ઘણી ચર્ચા થઈ હતી અને ઘણા લોકોનું માનવું હતું કે કોહલીની ફિટનેસને જોતા તેણે રમતના સૌથી લાંબા ફોર્મેટમાં ચાલુ રાખવું જોઈતું હતું. તાજેતરમાં જ પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે કોહલીની ટેસ્ટ નિવૃત્તિને લઈને પોતાનો મત વ્યક્ત કર્યો હતો અને હવે રોબિન ઉથપ્પાએ પણ તેને ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણય પર વિચાર કરવાની સલાહ આપી છે.
ન્યુઝીલેન્ડ અંડર-19
ઈંગ્લેન્ડ અંડર-19
ઈંગ્લેન્ડ અંડર-19ને 168 બોલમાં 4.57 પ્રતિ ઓવરની સરેરાશથી 128 રનની જરૂર છે.
ઉથપ્પાનું માનવું છે કે કોહલીની આંખોમાં આજે પણ એ જ જૂની ભૂખ અને જુસ્સો દેખાય છે, જેણે તેને ટેસ્ટ ક્રિકેટનો બાદશાહ બનાવ્યો હતો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ખરાબ પ્રદર્શન બાદ વિરાટ કોહલીએ મે 2025માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિરાટ કોહલીએ ટેસ્ટમાં 123 મેચમાં 9230 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 46.85 હતી અને તેણે 30 સદી ફટકારી હતી. પરંતુ હવે વિરાટ કોહલી માત્ર ODI ફોર્મેટમાં જ રમતા જોવા મળે છે. ગત વર્ષે તેણે 13 વનડેમાં ત્રણ સદીની મદદથી 651 રન બનાવ્યા હતા.
વનડે શ્રેણીમાં સૌથી વધુ વિકેટ કોણે લીધી, ભારતીય બોલરોનો દબદબો રહ્યો
કોહલીની નેટ પ્રેક્ટિસની તસવીર શેર કરતા ઉથપ્પાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું: “તેની આંખોમાં એક વાર્તા છે… ટેસ્ટ નિવૃત્તિને પાછો ખેંચવાનો ચોક્કસ સમય આવી ગયો છે. તેને ટેસ્ટ ક્રિકેટમાં પાછો જોવો ગમશે.” રોબિન ઉથપ્પાની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. વિરાટ કોહલીએ તાજેતરમાં વિજય હજારે ટ્રોફીમાં પણ ભાગ લીધો હતો, જ્યાં તેણે એક મેચમાં સદી ફટકારી હતી, જ્યારે બીજી મેચમાં તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.
