રણબીર કપૂરની ફિલ્મ રામાયણની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું, પરંતુ તેને લોકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે અને હવે આ દરમિયાન રણબીરે કન્ફર્મ કર્યું છે કે તે નિતેશ તિવારીની રામાયણમાં ડબલ રોલ પ્લે કરશે.
રણબીર કયો ડબલ રોલ ભજવી રહ્યો છે?
રણબીર માત્ર રામ જ નહીં પરંતુ પરશુરામનો પણ રોલ કરશે. લોસ એન્જલસમાં ટીઝર લોન્ચ દરમિયાન, રણબીરે રામ અને પરશુરામના પાત્રો ભજવવા માટે તેની બોડી લેંગ્વેજ અને અવાજનો ઉપયોગ કેવી રીતે કર્યો તે વિશે વાત કરી. તેણે કહ્યું, વિષ્ણેના ઘણા અવતાર હતા. ભગવાન રામ પણ તેમના અવતાર હતા અને ભગવાન પરશુરામ પણ.
રણબીરે વધુમાં કહ્યું હતું કે, ‘મને બંને પાત્રો ભજવવાની તક મળી જે ખૂબ જ અદ્ભુત હતું. મને લાગે છે કે એક અભિનેતા તરીકે, બોડી લેંગ્વેજ સિવાય, મને લાગે છે કે જો તમે પાત્રની આધ્યાત્મિકતા અને ભાવનાત્મકતાને સમજો છો, તો બધું ત્યાંથી શરૂ થાય છે.
રામાયણનો પહેલો ભાગ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. બીજું ચેપ્ટર આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે.

