થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં રવિવારે મોડી રાત્રે એક પબમાં ભીષણ આગ લાગી હતી. થાઈલેન્ડના વડા પ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે દુર્ઘટના સ્થળે પત્રકારોને જણાવ્યું હતું કે 27 લોકોના મોત થયા છે અને અન્ય કેટલાકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
બચાવકર્મીઓએ જણાવ્યું હતું કે આગ મધ્યરાત્રિના સુમારે લાગી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં બેંગકોકના ઉત્તરીય ભાગમાં પબના મુખ્ય દરવાજામાંથી આગની જ્વાળાઓ નીકળી રહી છે અને લોકો પોતાનો જીવ બચાવવા દોડી રહ્યા છે, જ્યારે કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉછળ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હજુ પણ મોટી સંખ્યામાં લોકો લાપતા છે.
આગ કેવી રીતે શરૂ થઈ
બીબીસીના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને કહ્યું છે કે આગ લાગતા પહેલા તેમણે સંગીતકાર સાથે વાત કરી હતી. તેણે કહ્યું, ‘તેણે કહ્યું કે ગઈ કાલે આઉટ સ્વીચ પાસે આગ લાગી હતી અને તે પછી ઘટનાઓ ઝડપથી બની. ત્યાં વિસ્ફોટ થયા અને દરેક ધુમાડા અને જ્વાળાઓથી ભાગી રહ્યા હતા.
તેણે આગળ કહ્યું, ‘ઘણા લોકો બહાર નીકળી શક્યા ન હોવાને કારણે બચી શક્યા નથી. તેનું કારણ એ હતું કે તેઓ બિલ્ડિંગની પાછળ ગયા હતા અને ધુમાડા અને જ્વાળાઓથી બચવા માટે ટોઇલેટમાં સંતાવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ત્યાં જ અમને મોટાભાગના મૃતદેહો મળ્યા હતા.

