તિલક વર્મા ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની T20 શ્રેણીની પ્રથમ ત્રણ મેચમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ ગુરુવારે રાત્રે આની પુષ્ટિ કરી. જોકે, બોર્ડે તેમની બદલીની જાહેરાત કરી નથી. વિજય હઝારે ટ્રોફી દરમિયાન તિલક વર્માને અચાનક દુ:ખાવો થયો, તેમણે જંઘામૂળમાં દુખાવાની ફરિયાદ કરી અને તેમને સ્કેન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હૈદરાબાદના બેટ્સમેનને જંઘામૂળના વિસ્તારમાં દુખાવાની ફરિયાદ બાદ સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરીના કારણે તે ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમમાં તેની જગ્યા કોણ લઈ શકે છે, ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર અને વર્તમાન એક્સપર્ટ આકાશ ચોપરાએ જણાવ્યું છે.
આકાશ ચોપડાએ તેના પર એક વીડિયો પોસ્ટ કર્યો અને તેણે IPL પર ધમાલ મચાવી દીધી. તે આ રોલ માટે પરફેક્ટ છે અને મારો મત શ્રેયસ અય્યરને જાય છે.”
શ્રેયસ અય્યર ઉપરાંત આકાશ ચોપરાએ પણ ટીમમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી શકે તેવા રેયાન પરાગના નામ પર વિચાર કરવા જણાવ્યું હતું. આ દરમિયાન આકાશ ચોપરાએ પણ શુભમન ગિલને પસંદ ન કરવાનું કારણ આપ્યું છે.

