નવી દિલ્હી: PACL LTD. 19 લાખથી વધુ રોકાણકારોને 920 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. આ રોકાણકારોનો કંપની પર 17,000 કરોડ રૂપિયાનો દાવો છે. બજાર નિયામક સેબીએ સોમવારે આ જાણકારી આપી. કંપનીએ એગ્રીકલ્ચર અને રિયલ એસ્ટેટ બિઝનેસના નામે લોકો પાસેથી પૈસા એકઠા કર્યા હતા. ગેરકાયદે સામૂહિક રોકાણ યોજના હેઠળ 18 વર્ષના સમયગાળામાં રૂ. 60,000 કરોડથી વધુ એકત્ર કરવામાં આવ્યા હતા.
નિવૃત્ત જસ્ટિસ આરએમ લોઢાની આગેવાની હેઠળની સમિતિએ તબક્કાવાર રીતે PACLના રોકાણકારોને રોકાણની રકમ પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ની વેબસાઈટ અનુસાર, “અત્યાર સુધી સમિતિએ 19,61,690 અરજદારોને 919.91 કરોડ સફળતાપૂર્વક પરત કર્યા છે. તેમની બાકી (મૂળ રકમ) રૂ. 17,000 કરોડ સુધીની છે. કમિટીએ ફેબ્રુઆરીમાં રોકાણકારોને PACL તરફથી મળેલા અસલ પ્રમાણપત્રો સબમિટ કરવા કહ્યું હતું જેથી કરીને વેરિફિકેશન બાદ તેમના પૈસા પરત મળી શકે. અસલ પ્રમાણપત્ર સ્વીકારવાની તારીખ 27 ફેબ્રુઆરીથી 20 માર્ચ, 2023 હતી.