T20 વર્લ્ડ કપમાં 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે શ્રીલંકા ક્રિકેટની વિનંતી પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેની સરકાર સાથે વાત કરશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની ટીમને T20 વર્લ્ડ કપ રમવાની મંજૂરી આપી છે પરંતુ ભારત સામે રમવાની ના પાડી દીધી છે. ભારત પાકિસ્તાન મેચ ICC અને બ્રોડકાસ્ટર્સ માટે સૌથી વધુ કમાણી છે.
શ્રીલંકાએ પીસીબીને એક ઈમેલ મોકલીને કહ્યું છે કે ભારત સામે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણયથી ટૂર્નામેન્ટની સહ યજમાન શ્રીલંકા ક્રિકેટને ભારે આર્થિક નુકસાન થશે. આ સિવાય શ્રીલંકન ક્રિકેટ અને ટૂર્નામેન્ટની છબીને પણ ઠેસ પહોંચશે. પાકિસ્તાન તેની તમામ મેચ કોલંબો અને પલ્લેકેલમાં રમી રહ્યું છે.
એક સૂત્રએ કહ્યું, “પાકિસ્તાન અને શ્રીલંકાના સરકાર અને ક્રિકેટ સ્તરે હંમેશા સારા સંબંધો રહ્યા છે, તેથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડના ઈમેલને અવગણી શકાય નહીં.”

