નવી દિલ્હી . વડા પ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, 2023 ના રોજ, લગભગ 4:30 વાગ્યે, નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ભારતની એશિયન પેરા ગેમ્સની ટુકડી સાથે વાતચીત કરશે અને સંબોધન કરશે. આ કાર્યક્રમ એશિયન પેરા ગેમ્સ 2022માં આ ખેલાડીઓને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે અભિનંદન આપવા અને ભવિષ્યની સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરવાનો વડાપ્રધાન દ્વારા અનોખો પ્રયાસ છે. એશિયન પેરા ગેમ્સ 2022માં ભારતે 29 ગોલ્ડ મેડલ સહિત કુલ 111 મેડલ જીત્યા છે. એશિયન પેરા ગેમ્સ 2022માં જીતેલા મેડલની કુલ સંખ્યા વાસ્તવમાં અગાઉના શ્રેષ્ઠ પ્રદર્શન (2018માં) કરતાં 54 ટકા વધુ છે; અને જીતેલા 29 ગોલ્ડ મેડલની સંખ્યા વર્ષ 2018માં જીતેલા ગોલ્ડ મેડલની સંખ્યા કરતા લગભગ બમણી છે.