Rhythms Foundation: રિધમસ ફાઉન્ડેશન દ્વારા આવનારા 5555 કુંડ અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ-2026 અંગે માહિતી આપવા માટે ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત 9999 કિમી લાંબી ભારતભ્રમણ યાત્રા અને શ્રીમદ્ ભગવદ્ કથાનું નવ દિવસીય વિશ્વ સ્તરીય આયોજન થવાનું છે.
આ પ્રેસ પરિષદનું આયોજન 5 ઑક્ટોબર, રવિવારના રોજ સાંજે 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી જામનગરના સરકીટ હાઉસ, લાલ બંગલા ખાતે કરવામાં આવશે. કાર્યક્રમ દરમ્યાન હાજર પત્રકારોને મહોત્સવની વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
ફાઉન્ડેશન દ્વારા જણાવાયું છે કે પ્રસંગે ઉપસ્થિત સૌ માટે સાંજે 4 થી 5 વાગ્યા સુધી હાઇ ટી અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
રિધમસ ફાઉન્ડેશનએ જણાવ્યું કે, સમાજહિત માટે યોજાનારા આ વિશાળ મહોત્સવ અંગે લોકજાગૃતિ અને જનસહભાગિતાને વધારવા પત્રકાર પરિષદ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

