ક્રિકેટ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ રાંચીમાં રમાશે. ઈજાના કારણે નિયમિત કેપ્ટન શુભમન ગિલ આ સીરીઝમાં નથી રમી રહ્યો અને તેની જગ્યાએ કેએલ રાહુલ કેપ્ટનશિપની જવાબદારી સંભાળી રહ્યો છે. ગિલ લાંબા સમયથી રોહિત સાથે વનડેમાં ઓપનિંગ કરી રહ્યો હતો. હવે ટીમ મેનેજમેન્ટ અને નવા કેપ્ટન રાહુલ સામે સવાલ એ ઊભો છે કે રોહિત સાથે કોણ ઓપનિંગ કરશે. ભારતીય ટીમમાં યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડના રૂપમાં આના માટે બે દાવેદાર છે.
યશસ્વી જયસ્વાલે માત્ર એક જ ODI મેચ રમી છે
યશસ્વી જયસ્વાલે ફેબ્રુઆરી 2025માં ભારતીય ટીમ માટે ODI ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધી તેણે માત્ર એક જ મેચ રમી છે, જેમાં તેણે કુલ 15 રન બનાવ્યા છે. શુભમન ગિલના કારણે તેને પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી રહી ન હતી. હવે તે તેની ગેરહાજરીમાં સારું પ્રદર્શન કરવા માંગશે. છેલ્લા કેટલાક વર્ષોથી, તે ભારતીય ટેસ્ટ ટીમની મહત્વની કડી છે અને તેણે ટેસ્ટમાં 2511 રન બનાવ્યા છે, જેમાં 7 સદી અને 13 અડધી સદી સામેલ છે.
ઋતુરાજ ગાયકવાડે ODI ક્રિકેટમાં 115 રન બનાવ્યા હતા
બીજી તરફ, રૂતુરાજ ગાયકવાડ લાંબા સમય બાદ ODI ટીમમાં પરત ફર્યો છે અને તેણે તેની છેલ્લી ODI મેચ વર્ષ 2024માં રમી હતી. ગાયકવાડે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 6 ODI મેચમાં કુલ 115 રન બનાવ્યા છે, જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે. 28 વર્ષના આ ખેલાડીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં રનના પહાડ બનાવ્યા છે. આ સિવાય તેણે ઈન્ડિયા A ટીમ માટે પણ સારું પ્રદર્શન કર્યું હતું.
ગાયકવાડે ODIમાં જયસ્વાલ કરતા વધુ રન બનાવ્યા હતા
ઋતુરાજ ગાયકવાડે યશસ્વી જયસ્વાલ કરતાં વનડેમાં વધુ મેચ રમી છે અને વધુ રન પણ બનાવ્યા છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ એક ખેલાડીને ઓપનિંગમાં અને એકને મિડલ ઓર્ડરમાં સ્થાન આપી શકે છે. અથવા કોઈ ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખી શકાય છે. હવે સમય જ કહેશે કે પ્લેઇંગ ઇલેવનમાં કયા ખેલાડીને તક મળશે અને કોને નહીં?

