યજમાન ભારત સામેની વર્લ્ડ કપની મેચને મુશ્કેલ પડકાર ગણાવતા નામિબિયાના કોચ ક્રેગ વિલિયમ્સે કહ્યું કે તેમની ટીમ 12 ફેબ્રુઆરીએ યોજાનારી આ મેચમાં પોતાની રણનીતિને વળગી રહીને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.તેમણે કહ્યું કે આ મેચ તેમની ટીમ અને સમગ્ર દેશ માટે યાદગાર અનુભવ બની રહેશે.
નેધરલેન્ડ્સે મંગળવારે T20 વર્લ્ડ કપના ગ્રુપ Aની મેચમાં નામીબિયાને સાત વિકેટે હરાવ્યું હતું. હવે નામિબિયાએ 12 ફેબ્રુઆરીએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ખિતાબની પ્રબળ દાવેદાર ભારતીય ટીમ સાથે રમવાનું છે.
મેચ બાદ વિલિયમ્સે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘ભારત સામેની મેચ આસાન નહીં હોય પરંતુ જો અમે અમારી રણનીતિ પર વળગી રહીએ અને એક સમયે એક બોલ પર ધ્યાન કેન્દ્રિત કરીને રમીએ તો સારા પરિણામની આશા રાખી શકીએ છીએ. અમે એક પ્રોફેશનલ ટીમ છીએ અને વિરોધી ટીમ ગમે તે હોય, અમારે અમારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
તેણે કહ્યું, ‘દરેક જણ ભારત સામેની મેચ વિશે વાત કરી રહ્યા છે. અમારા માટે આ એક યાદગાર મેચ હશે અને ઘરના દરેક લોકો તેના વિશે વાત કરી રહ્યા છે. અમે આ પહેલા પણ ભારત સામે રમ્યા છીએ અને તે મેચ પણ અમારા માટે ઘણી મુશ્કેલ હતી. ફ્લડલાઇટમાં પડકાર વધુ મુશ્કેલ હશે.

