ગઈકાલે એટલે કે 6 ફેબ્રુઆરી 2026ના રોજ અંડર-19 વર્લ્ડ કપની શાનદાર મેચ રમાઈ હતી, જ્યાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમો આમને-સામને હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે પહાડ જેવો 411 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શન છતાં ઇંગ્લેન્ડની ટીમ આ લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ રહી, જેના પરિણામે ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું અને છઠ્ઠી વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. આ ઐતિહાસિક જીત બાદ તમામની નજર ICC દ્વારા આપવામાં આવેલી ઈનામી રકમ પર હતી, પરંતુ ટીમ ઈન્ડિયાને માત્ર ટ્રોફી આપવામાં આવી હતી. ICCએ ઈનામી રકમ ન આપવા પાછળ મોટું કારણ આપ્યું છે.
ICCએ ઈનામની રકમ કેમ ન આપી?
ICC ભારતીય અંડર-19 ટીમની ટાઈટલ જીત્યા બાદ ઈનામી રકમ ન આપવાનું મુખ્ય કારણ એ છે કે આઈસીસી આ ટુર્નામેન્ટને યુવા ખેલાડીઓના કૌશલ્ય વિકાસ અને માર્ગદર્શન માટેના ‘વિકાસ કાર્યક્રમ’ તરીકે જુએ છે. ICC અનુસાર, ICCની આવકનો એક ભાગ પહેલાથી જ તમામ સહભાગી દેશોને તેમના ક્રિકેટ વિકાસ માટે ફંડ તરીકે આપવામાં આવે છે. આ ટૂર્નામેન્ટને પણ તેનો એક ભાગ માનવામાં આવે છે, તેથી ICC અલગથી ઈનામની રકમ આપવાને ડબલ પ્રાઈઝ મની માને છે અને તેથી જ ટીમ ઈન્ડિયાને માત્ર ટ્રોફી આપવામાં આવી હતી.
ખેલાડીઓની નજર BCCI પર છે
ICC તરફથી ઈનામની રકમ ન મળ્યા બાદ હવે તમામ ખેલાડીઓની નજર BCCI પર છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે BCCI ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે ઈનામી રકમને લઈને મોટી જાહેરાત કરી શકે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં જ્યારે ભારતીય અંડર-19 ટીમે યશ ધૂલની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારે BCCIએ દરેક ખેલાડીને 40 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને 25 લાખ રૂપિયાનું ઈનામ આપ્યું હતું.

