યુક્રેને રવિવારે રશિયાના વિવિધ ભાગોમાં સેંકડો ડ્રોન હુમલા કર્યા, જેમાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા. યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેન પર થયેલો સૌથી મોટો હવાઈ હુમલો છે. તે જ સમયે, રશિયાએ પણ જવાબી કાર્યવાહી કરી, જેમાં ભારતીય અબજોપતિ લક્ષ્મી મિત્તલ સાથે જોડાયેલી ફેક્ટરીને નુકસાન થયું. હુમલા બાદ ફેક્ટરીનું કામ બંધ કરી દેવામાં આવ્યું હોવાના અહેવાલ છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેણે રાતોરાત 822 યુક્રેનિયન ડ્રોનનો નાશ કર્યો. મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિનના જણાવ્યા અનુસાર, લગભગ 600 ડ્રોન રાજધાની મોસ્કો તરફ આગળ વધી રહ્યા હતા, જેમાંથી લગભગ એક તૃતીયાંશને મોસ્કો પ્રદેશ પર ઠાર કરવામાં આવ્યા હતા. બંને દેશો વચ્ચે આ યુદ્ધને ચાર વર્ષ થઈ ગયા છે.
રશિયાના જવાબી હુમલામાં યુક્રેનમાં પાંચ લોકો માર્યા ગયા
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે ક્રીવી રીહ શહેરમાં રશિયન મિસાઈલ હુમલામાં બે લોકોના મોત થયા છે અને 14 લોકો ઘાયલ થયા છે. દક્ષિણ ઝાપોરિઝિયાના અન્ય સુમી શહેરમાં, એક પુરુષ અને એક મહિલાનું મૃત્યુ થયું. ઝેલેન્સકીએ કહ્યું કે રશિયા બેલેસ્ટિક મિસાઈલો મોકલીને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લક્ષ્ય બનાવી રહ્યું છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેણે રાતોરાત 822 યુક્રેનિયન ડ્રોનનો નાશ કર્યો. મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિનના જણાવ્યા અનુસાર, લગભગ 600 ડ્રોન રાજધાની મોસ્કો તરફ આગળ વધી રહ્યા હતા, જેમાંથી લગભગ એક તૃતીયાંશને મોસ્કો પ્રદેશ પર ઠાર કરવામાં આવ્યા હતા.

