આજે અંબાજી ગ્રામ પંચાયતની અંબાજી મંદિર સંચાલિત હાઈસ્કૂલ ખાતે તાલુકા પંચાયત દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં ગ્રામ પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે આ ગ્રામસભામાં તાલુકા પંચાયતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અંબાજીના સ્થાનિક લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે ગ્રામસભા પ્રખ્યાત હતી.અંબાજી ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રામસભામાં લેખિત અને મૌખિક રીતે અનેકવાર કહેવા છતાં કોઈ ઉકેલ ન આવતાં લોકોએ ગ્રામસભામાં હોબાળો મચાવ્યો હતો. ગામમાં પાણીની ગટર યોજનામાં થતી બેદરકારી અંગે અંબાજીના ગ્રામજનોએ ગ્રામ પંચાયત સમક્ષ અનેકવાર રજૂઆત કરી છે. તેમ છતાં અંબાજીમાં પાણી ગટર યોજનાની અસંતોષકારક કામગીરીને કારણે યોજનાનો લાભ ન મળતા અંબાજીના તમામ રહેણાંક વિસ્તારના લોકોએ ગ્રામ પંચાયત સામે રોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ અંબાજી ગામમાં ફરી એક વખત ગંદકી અને ગટર સહિતના રસ્તાઓ અંગે રજૂઆત કરી હતી. હિન્દુ હિત રક્ષા સમિતિએ આજે ગ્રામસભામાં આવેદનપત્ર આપ્યું હતું. જેમાં અંબાજીની મુખ્ય સમસ્યાઓનો ઉકેલ સમજાવવામાં આવ્યો છે. અંબાજીના રહેવાસીઓ વર્ષોથી અંબાજીના રહેણાંક વિસ્તારોમાં ગંદકી અને ખુલ્લી ગટર અંગે વારંવાર ફરિયાદો કરી રહ્યા છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા નિરાકરણ માટે કોઈ પ્રયાસો કરવામાં ન આવતાં અંબાજીના રહેણાંક વિસ્તારોની હાલત બદતર થઈ ગઈ છે. . આ સાથે લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી, જેને લઇ આજે હિન્દુ રક્ષા સમિતિએ ગંદી ખુલ્લી ગટર અને રસ્તાઓ તેમજ રખડતા ઢોરોને દૂર કરવા માટે ગ્રામ પંચાયતની ગ્રામસભાને આવેદનપત્ર પાઠવ્યું હતું.