કોઈપણ શહેર કે ગામમાં જવા માટે જાહેર પરિવહનમાં એસટી બસ એ પ્રથમ પસંદગી છે. ગુજરાતમાં પણ એસટી બસો લોકો માટે ઘણી અસરકારક સાબિત થાય છે. લોકો સુરક્ષિત રીતે અને સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે જાહેર પરિવહન તરીકે ST બસોનો ઉપયોગ કરે છે. અંબાજીમાં આજે 2 નવી બસો ફાળવવામાં આવતા મુસાફરોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આજે 2 નવી બસો અંબાજીથી સુરત આવી રહી છે, અંબાજી બસ ડેપો મેનેજર અને અંબાજીના સ્થાનિક ભાજપ અગ્રણીઓએ બસોને લીલી ઝંડી આપી કામગીરી માટે શરૂ કરી હતી.
પાલનપુર વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી સાહેબ દ્વારા આજે અંબાજી ડેપો ખાતે વિભાગને નવા 2 વાહનોની ફાળવણી કરવામાં આવી હતી. અંબાજી ભાજપ સત્તા મંડળના પ્રમુખ બકુલેશ શુક્લ, મહામંત્રી નરેશ દેસાઈ, મહામંત્રી અભિષેક જૈન, યુવા મોરચાના પ્રમુખ દિનેશ પૂજારી વગેરેની ઉપસ્થિતિમાં આ નવું વાહન અંબાજી-સુરતને ફાળવવામાં આવ્યું હતું અને જનતાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.