કાંકરગેના માનપુરા બ્રિજ પાસે રિક્ષા અને ટ્રેલર વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે. જેમાં સવારે ટ્રેલર ચાલકે આગળ જઈ રહેલી રીક્ષાને ટક્કર મારતા રીક્ષામાં સવાર ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે શિહોરી રીફર કરવામાં આવ્યા છે. બનાવ બાદ શિહોરી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં સતત અકસ્માતો જોવા મળી રહ્યા છે, જેમાં એક પછી એક લોકો જીવ ગુમાવી રહ્યા છે. જેમાં આજે કાંકરગેના માનપુરા બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જ્યારે એક ટ્રેલર ચાલકે આગળ જઈ રહેલી રિક્ષાને ટક્કર મારી હતી. રિક્ષામાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંનેને સારવાર માટે સિહોરી રેફરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે ઘટના બાદ સિહોરી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.