(જીએનએસ) તા. 11
ગાંધીનગર,
ભારત અને ગુજરાતના આતિથ્ય સત્કારના ગુણો અનુકરણીય છે:
સ્લોવેનિયાના રાજદૂત શ્રી મતેજા વોદેબ ઘોષ
ગુજરાત ખરેખર ભવિષ્યનું પ્રવેશદ્વાર છે. તેમાં અમારી ભાગીદારીથી હું ખુશ છું:
પોલેન્ડના ડો. જુડિતા લેટિમોવિચ
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના બીજા દિવસે કાઉન્સિલ ઓફ યુરોપિયન યુનિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન ઇન્ડિયા દ્વારા ‘અનલોકિંગ ગુજરાત એન્ડ યુરોપિયન યુનિયન’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં ભારતમાં સ્લોવેનિયાના રાજદૂત શ્રી મતેજા વોદેબ ઘોષે ભારત અને સ્લોવેનિયાને એકબીજાના વર્ષો જૂના ભાગીદાર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે સ્લોવેનિયા માટે ભારત મહત્ત્વનો દેશ છે. યુરોપિયન યુનિયન માટે ભારત એક મોટું બજાર છે. ભારત અને સ્લોવેનિયા વચ્ચે રોબોટિક્સ, ગ્રીન હાઈડ્રોજન અને રિન્યુએબલ એનર્જી, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ સપ્લાય ચેઈન, ઓટોમોબાઈલ ઘટકો, રસાયણો અને ફાર્માસ્યુટિકલ્સ સહિતના ક્ષેત્રોમાં સહકાર છે. ગુજરાતની આતિથ્ય સત્કારથી તેઓ પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે ભારત અને ગુજરાતના આતિથ્ય સત્કારના ગુણો અનુકરણીય છે.
સેમિનારમાં ઉપસ્થિત ન્યુક્લિયન રિસર્ચ પ્રા.લિ અને કાઉન્સિલ ઓફ ઇયુ ચેમ્બર ઓફ કોમર્સ ઇન ઇન્ડિયાના ચેરમેન શ્રી રોબિન બેનર્જીએ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં થયેલા વિકાસની પ્રશંસા કરી હતી. તેમણે વિશ્વના વિકાસ નકશામાં યુરોપિયન યુનિયનનું સ્થાન અને ભારતના વિકાસમાં ગુજરાતના યોગદાનનું સ્થાન સમાન ગણાવ્યું હતું.
‘અનલોકિંગ ગુજરાત એન્ડ યુરોપિયન યુનિયન સેમિનાર ……॰ …