સોમવારે પશ્ચિમી સમુદ્રી વિસ્તારમાં તીવ્ર ભૂકંપ અનુભવાયા બાદ જાપાને આજે સુનામીની ચેતવણી જારી કરી હતી અને લોકોને શક્ય તેટલી વહેલી તકે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસી જવા જણાવ્યું હતું. જાપાનની હવામાન એજન્સીએ સ્થાનિક સમય અનુસાર સાંજે 4 વાગ્યા પછી તરત જ ઇશિકાવાના દરિયાકાંઠે અને આસપાસના પ્રીફેક્ચર્સમાં એક ડઝન ભૂકંપની જાણ કરી હતી, જેમાંથી એકની પ્રારંભિક તીવ્રતા 7.6 હતી. તેણે ઇશિકાવા માટે ગંભીર-સ્તરની સુનામી ચેતવણી અને હોન્શુ ટાપુના બાકીના પશ્ચિમ કિનારા માટે નીચલા-સ્તરની સુનામી ચેતવણી જારી કરી હતી. સાથે જ ભૂકંપ બાદ અસરગ્રસ્ત વિસ્તારમાં બુલેટ ટ્રેનનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. હાઈવેના કેટલાક ભાગો બંધ થઈ ગયા હતા. ભૂકંપના કારણે ઘણી જગ્યાએ પાણીની પાઈપલાઈન તૂટી ગઈ હતી અને રસ્તાઓમાં પણ તિરાડ પડી ગઈ હતી.