જૂનાગઢ જિલ્લામાં કાનૂન સેવા સતામંડળ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં એક જ દિવસમાં 5585 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ અંગેની વિગત મુજબ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સેવા સતમંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સેવા સતમંડળની લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા મેજીસ્ટ્રેટ રોહન કે ચુડાવાલાના માર્ગદર્શન હેઠળ આયોજીત રાષ્ટ્રીય લોક અદાલતમાં લોક અદાલતના કુલ 5585 વિશેષ કેસ મળી આવ્યા હતા અને તેનું સૌહાર્દપૂર્વક સમાધાન કરવામાં આવ્યું હતું, લગ્નને લગતા 106 કેસોનું ફેમિલી કોર્ટ દ્વારા પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે મોટર અકસ્માત, બેંક લોન, ચેક રિટર્ન, પીજીવીસીએલ વગેરેના કેસોનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું.