‘બિપરજોય’ વાવાઝોડાને કારણે સમગ્ર ગુજરાતમાં તોફાની અને વરસાદી માહોલ સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી હળવો વરસાદ પડી રહ્યો છે. ગત રાત્રીના વાતાવરણમાં અચાનક પલટો આવતા પવનની ગતિ વધી હતી. 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને વધતા વરસાદના કારણે લોકોને મુશ્કેલી પડી હતી. વરસાદના આ તોફાનને કારણે કેટલીક દુકાનોના છાપરા ઉડી ગયા હતા. આ સાથે બે વીજ થાંભલા, ટેલિફોનના થાંભલા પણ તૂટી ગયા હતા.
સર્વોદય સોસાયટી રોડ પર બસ સ્ટેન્ડ પાસે લીમડાનું ઝાડ ધરાશાયી થતાં રસ્તો બ્લોક થઇ ગયો હતો. થરાદ ડીસા હાઇવે, રેફરલ ચાર રસ્તા, ટેલિફોન એક્સચેન્જ પાસે અને બસ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. આ વાવાઝોડાથી શિવનગર વિસ્તારમાં એક મકાન પણ ધરાશાયી થયું છે. કેનાલ પાસેના ગઢવીવાસમાં લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે. આ વાવાઝોડાને કારણે મામલતદાર કચેરીની છત પરથી છ સોલાર પેનલો પણ પડી ગઈ છે.
થરાદના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે અને રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે. કેટલીક જગ્યાએ તો રસ્તા પર ઈલેક્ટ્રીક વાયર અને કેબલના વાયરો તૂટેલા જોવા મળે છે. ગત રાત્રે પણ અનેક લોકોએ શાળાઓમાં આશરો લીધો હતો. શિવનગર પ્રાથમિક શાળામાં 80 જેટલા નાથબાવા પરિવારો રહે છે.
થરાદના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે અને રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે. કેટલીક જગ્યાએ તો રસ્તા પર ઈલેક્ટ્રીક વાયર અને કેબલના વાયરો તૂટેલા જોવા મળે છે. ગત રાત્રે પણ અનેક લોકોએ શાળાઓમાં આશરો લીધો હતો. શિવનગર પ્રાથમિક શાળામાં 80 જેટલા નાથબાવા પરિવારો રહે છે.