દાંતા તાલુકામાં આજે સર્જાયેલા એક કરૂણ અકસ્માતમાં ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને બાઇક સવારોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. દાંતા તાલુકાના માંડલી ગામ પાસે ત્રણ રસ્તા પર આ અકસ્માત સર્જાયો હતો. આ ટ્રેક્ટર માંડલીથી ખેરોજ તરફ જઈ રહ્યું હતું, ત્યારે બાઇક ચાલક ડબલ સવારીમાં ખેરોજ તરફ આવી રહ્યો હતો, ત્યારે આ ત્રણેય માર્ગ પર ટ્રેક્ટર અને બાઇકની ટક્કરથી અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને બાઇક સવારોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. બનાવ અંગેની માહિતી દાંતા પોલીસ મથકે આપવામાં આવી છે.
આ હનુમાનજી મંદિર પાસે ત્રણ રસ્તા હોવાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે. ત્રણ રસ્તા હોવાના કારણે સામેથી આવતા વાહનો પૂરપાટ ઝડપે આવે છે, જેના કારણે અકસ્માતો સર્જાય છે, તેનાથી બચવા આ ત્રણ રસ્તા પાસે સ્પીડ બ્રેકર બનાવવા જોઈએ. જો તે લગાવવામાં આવે તો સામેથી આવતા વાહનની ગતિ ધીમી પડી જાય અને અકસ્માતો નિવારી શકાય તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
લોકોની એવી પણ માંગ છે કે આ હનુમાનજી મંદિર પાસે સતત અકસ્માતો થઈ રહ્યા છે, કારણ કે ત્રણ રસ્તા તૂટી ગયા છે અને સામેથી આવતા વાહનો પૂરપાટ ઝડપે આવી રહ્યા છે, જેના કારણે અકસ્માતો થાય છે.આ વાત પણ લોકોમાં ચર્ચાઈ રહી છે. લોકોનું કહેવું છે કે જો તેને રાખવામાં આવે તો સામેથી આવતા વાહનની ગતિ ધીમી પડી જાય છે અને અકસ્માતો નિવારી શકાય છે.