અમદાવાદના નરોડામાં પથ્થર પડવાથી ત્રણ મજૂરોના મોત થયા છે. ફોર્ચ્યુન એમ્પાયર કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક ભૂસ્ખલન થતાં એક મહિલા સહિત ત્રણ કામદારોનાં મોત થયાં હતાં. વરસાદના કારણે અકસ્માત થયો હોવાની આશંકા છે.
અમદાવાદના નરોડામાં પથ્થર પડવાથી ત્રણ મજૂરોના મોત થયા છે. ફોર્ચ્યુન એમ્પાયર કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક ભૂસ્ખલન થતાં એક મહિલા સહિત ત્રણ કામદારોનાં મોત થયાં હતાં. વરસાદના કારણે અકસ્માત થયો હોવાની આશંકા છે.
અમદાવાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નરોડામાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર ભૂસ્ખલન થતા એક મહિલા સહિત ત્રણ મજૂરોના મોત થયા છે. આ દુર્ઘટના નરોડામાં ફોર્ચ્યુન એમ્પાયર કન્સ્ટ્રક્શન સાઇટ પર બની હતી. બાંધકામ દરમિયાન ભૂસ્ખલનને કારણે કામદારો દટાયા હતા. જેમાં ત્રણ મજૂરોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. મૃત્યુ પામેલા ત્રણ મજૂરો રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી હતા. પ્રાથમિક અનુમાન છે કે ગઈરાત્રે વરસાદના કારણે રીંગરોડ પર બાંધકામ સાઈટ પર માટી ધસી પડી હતી.
ઘટનાની જાણ અન્ય કામદારોને થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અન્ય કામદારોએ કામ બંધ કરીને માટી નીચે દટાયેલા કામદારોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્રણ મજૂરોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા.
આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, નરોડા રિંગ રોડ પર એક બાંધકામ સાઈટ પર પથ્થર પડ્યો હતો અને કામદારો દટાયા હતા. ગઈકાલે શહેરમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે પથ્થર પડવાની આ મોટી ઘટના બની છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના નરોડાના ફોર્ચ્યુન એમ્પર કન્સ્ટ્રક્શન સાઈટ પર બની હતી. જેમાં એક મહિલા કર્મચારી સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા છે.આ ઘટના અંગે સ્થાનિક લોકોએ નરોડા પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.