કોલકાતા: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આ સપ્તાહની શરૂઆતમાં કોલકાતામાં તેમના પશ્ચિમ બંગાળના સમકક્ષ મમતા બેનર્જીને મળે તેવી શક્યતા છે. સૂત્રોએ આ માહિતી આપી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે નીતીશ સોમવાર અથવા મંગળવારે રાજ્ય સચિવાલય ‘નબન્ના’ ખાતેના તેમના કાર્યાલયમાં મમતા બેનર્જીને મળવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નો મુકાબલો કરવાની રણનીતિ પર બંધ બારણે ચર્ચા કરી શકે છે.
મમતા બેનર્જીએ ગયા મહિને સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે આવી જ બેઠકો કરી હતી.