5000 ઢોર પકડવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, પરંતુ બે માસ બાદ પણ તંત્ર માત્ર 1686 ઢોર પકડી શક્યું છે.
બનાસકાંઠા સહિત રાજ્યભરમાં ફેલાયેલ પ્રાણીઓના કારણે અનેક માનવીઓના જીવ જોખમમાં છે. રસ્તા પર બેઠેલા આવા પશુઓને કારણે અનેક માર્ગ અકસ્માતો સર્જાય છે. પરિણામે અનેક લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે. આ ગંભીર સમસ્યાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા કોર્ટે રાજ્યભરના દરેક જિલ્લામાંથી આવા રખડતા પશુઓને પકડવા કડક સૂચના આપી હતી. જેના કારણે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. એક મહિનામાં 5 હજાર ગાયો પકડવા જિલ્લા કલેકટરે મુખ્ય અધિકારીઓને સૂચના આપી હતી, પરંતુ એક માસ જેટલો સમય વીતી જવા છતાં બે હજાર ગાયો પણ પકડવામાં તંત્રને સફળતા મળી નથી. સમગ્ર મામલાની વિગતે ચર્ચા કરતાં બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર 1 નવેમ્બરથી સુપ્રીમ કોર્ટના આદેશને પગલે એક્શનમાં હતું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે એક મહિના પહેલા જિલ્લાના તમામ મુખ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને એક મહિનામાં (પાંચ હજાર) ઢોર પકડવાનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ બે માસ જેટલો સમય વીતી જવા છતાં પાલિકા માંડ માંડ ઢોર પકડી શકી છે. જેના કારણે જિલ્લા વહીવટી તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.