14 સ્ટ્રીમના 43959 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવી, 122 વિદ્યાર્થીઓને 141 ગોલ્ડ મેડલ એનાયત કરાયા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી :-
વ્યક્તિએ જીવનભર વિદ્યાર્થી રહેવું જોઈએ: સતત શીખવાથી જ્ઞાન વધે છે.
ધર્મ એટલે કર્તવ્યનું પાલન: જ્ઞાન મેળવ્યા પછી હવે એવી લાઈફ ડિઝાઈન કરો, જેથી આવનારી પેઢી તમારી પાસેથી પ્રેરણા લે.
કોલેજમાં મેળવેલા જ્ઞાનનો ઉપયોગ તમારા માટે નહિ પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે કરો.
માત્ર પૈસા કમાવવાની કોઈ અપેક્ષા નથી, પરંતુ સમાજના ભલા માટે મેળવેલા જ્ઞાનનો અર્થપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી છેઃ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 58મો પદવીદાન સમારોહ આજે રાજકોટમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો.