હાલમાં ગુજરાતમાં રવિ સિઝનનો પ્રારંભ થયો છે. પરંતુ હજુ પણ પાટણના સાંતલપુર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જેને લઈને આજે ખેડૂતોએ પાણી આપોના નારા સાથે નર્મદાની ખાલી કેનાલમાં ઘુસીને કેનાલમાં બેસી રામધૂન કરી વિરોધ કર્યો હતો.
પાટણનો સાંતલપુર તાલુકો અગાઉ માત્ર ચોમાસા આધારિત કૃષિ વિસ્તાર હતો, પરંતુ તંત્રના પ્રયાસોથી ખેડૂતોને પાકનું સારું ઉત્પાદન મળી રહે અને તેઓ આર્થિક રીતે સદ્ધર બને તે હેતુથી નર્મદા કેનાલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોટાભાગના વિસ્તારોમાં નર્મદા કેનાલ ખેડૂતો માટે વરદાનરૂપ બની છે પરંતુ રાધનપુર નર્મદા વિભાગના અધિકારીઓના અણઘડ વહીવટને કારણે એ જ નર્મદા કેનાલ હવે ખેડૂતો માટે અભિશાપ સમાન બની છે. કારણ કે રાધનપુર સાંતલપુર વિસ્તારમાં નર્મદા કેનાલ છે પરંતુ આ કેનાલ ખાલી છે અને તેમાં એક ટીપું પણ પાણી નથી. આ કેનાલમાં પાણી છોડવામાં આવે તો અવારનવાર કેનાલમાં ગાબડું પડે છે, જેનો સીધો ભોગ ખેડૂતો બનતા હોય છે. આ પાણી અવારનવાર કેનાલની આસપાસના ખેતરોમાં વહી જાય છે, જેના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થાય છે. કેટલાક વિસ્તારોમાં કેનાલો છે, પરંતુ કેનાલ બની ત્યારથી તેમાં પાણી છોડવામાં આવ્યું નથી. જેના કારણે ખેડૂતોએ પાણીની માંગ સાથે વિરોધ કરવાની ફરજ પડી છે. આજે પણ સાંતલપુર તાલુકાના 5 ગામોના ખેડૂતોએ કેનાલમાં પાણી આપવાની માંગ સાથે તંત્ર સામે ઉગ્ર દેખાવો કર્યા હતા.
પાટણનો સાંતલપુર તાલુકો અગાઉ માત્ર ચોમાસા આધારિત કૃષિ વિસ્તાર હતો, પરંતુ તંત્રના પ્રયાસોથી ખેડૂતોને પાકનું સારું ઉત્પાદન મળી રહે અને તેઓ આર્થિક રીતે સદ્ધર બને તે હેતુથી નર્મદા કેનાલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોટાભાગના વિસ્તારોમાં નર્મદા કેનાલ ખેડૂતો માટે વરદાનરૂપ બની છે પરંતુ રાધનપુર નર્મદા વિભાગના અધિકારીઓના અણઘડ વહીવટને કારણે એ જ નર્મદા કેનાલ હવે ખેડૂતો માટે અભિશાપ સમાન બની છે. કારણ કે રાધનપુર સાંતલપુર વિસ્તારમાં નર્મદા કેનાલ છે પરંતુ આ કેનાલ ખાલી છે અને તેમાં એક ટીપું પણ પાણી નથી. આ કેનાલમાં પાણી છોડવામાં આવે તો અવારનવાર કેનાલમાં ગાબડું પડે છે, જેનો સીધો ભોગ ખેડૂતો બનતા હોય છે. આ પાણી અવારનવાર કેનાલની આસપાસના ખેતરોમાં વહી જાય છે, જેના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થાય છે. કેટલાક વિસ્તારોમાં કેનાલો છે, પરંતુ કેનાલ બની ત્યારથી તેમાં પાણી છોડવામાં આવ્યું નથી. જેના કારણે ખેડૂતોએ પાણીની માંગ સાથે વિરોધ કરવાની ફરજ પડી છે. આજે પણ સાંતલપુર તાલુકાના 5 ગામોના ખેડૂતોએ કેનાલમાં પાણી આપવાની માંગ સાથે તંત્ર સામે ઉગ્ર દેખાવો કર્યા હતા.