પાણીની આવકમાં ઘટાડાને કારણે બનાસકાંઠાના દાંતીવાડા ડેમના બે દરવાજા બંધ કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના દાંતીવાડા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા. હાલમાં 4 દરવાજા મારફતે નદીમાં પાણી છોડવામાં આવે છે. ડેમમાં પાણીની વર્તમાન આવક અને જાવક 7 હજાર 200 ક્યુસેક છે. ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમ 85.65 ટકા ભરાઈ જતાં બનાસકાંઠાના ખેડૂતોને પીવાના પાણી અને સિંચાઈમાં મોટી રાહત થશે. રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે.