બરોડા ડેરીમાં ભારે વિવાદ બાદ ચૂંટણી મોકૂફ રહેતા ભાજપ પ્રદેશ પ્રમુખ સક્રિય થયા છે. ડેરીમાં મડાગાંઠ ઉકેલવા માટે સી.આર.પાટીલે આજે બપોરે 4 વાગે બેઠક બોલાવી છે. બેઠકમાં બરોડા ડેરીના 10 ડિરેક્ટરોને બોલાવવામાં આવ્યા છે. આ સાથે વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચના સાંસદો અને વડોદરા અને છોટાઉદેપુરના 8 ધારાસભ્યોને પણ હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
પાટીલ તપાસ કરશે કે શા માટે નિર્દેશકો આદેશ સામે એક થયા અને જેઓ પક્ષના આદેશની વિરુદ્ધ જાય છે તેમની સામે શિસ્તભંગના પગલાં પણ લેવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે સી.આર.પાટીલ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં જિલ્લાના આગેવાનો અને પદાધિકારીઓના સૂચનો અને ભૂમિકા મહત્વની રહેશે. આ સાથે બરોડા ડેરીના નવા ચેરમેન તરીકે સતીષ નિશાળિયાનું નામ ફાઈનલ થાય તેવી પ્રબળ શક્યતા છે.