ગામ હોય કે શહેર, પાણી જરૂરી છે. ત્યારે તંત્ર પણ પાણી બચાવવાની સલાહ આપે છે પરંતુ જો તંત્ર જ બેદરકાર હોય તો કોને કહેવું, આવી જ એક ઘટના માલપુરના લાલવાડા ગામમાં સામે આવી છે.
સરકારના જળસંપત્તિ વિભાગની પાણી પુરવઠા યોજના અને નર્મદા કલ્પસર દ્વારા નર્મદાના પાણીને પાઇપલાઇન દ્વારા જોડીને તળાવો ભરવાની યોજના પણ માલપુર તાલુકામાં અમલમાં મુકવામાં આવી હતી. ત્યારે માલપુર તાલુકા અણીયોર નજીક આવેલ લાલવાડા ગામ નજીકથી પસાર થતી પાઈપલાઈનમાં અચાનક તિરાડ પડી હતી. ફુવારાઓ દસેક ફૂટ ઊંચા થયા. સતત બે દિવસથી પાઈપલાઈનમાંથી પાણી તેજ ગતિએ વહી રહ્યું છે. રસ્તા પર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. કરોડોના ખર્ચે અમલમાં આવેલી યોજનાના કામમાં બેદરકારી છતી થઈ છે. તંત્રની નબળી કામગીરીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એક તરફ પૂરતો વરસાદ નથી તો બીજી તરફ સરકારી પાણીનો દુરુપયોગ થઈ રહ્યો છે અને સ્થાનિક લોકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ તૂટેલી પાઈપલાઈન તાકીદે રીપેર કરવામાં આવે તે જરૂરી છે.
સરકારના જળસંપત્તિ વિભાગની પાણી પુરવઠા યોજના અને નર્મદા કલ્પસર દ્વારા નર્મદાના પાણીને પાઇપલાઇન દ્વારા જોડીને તળાવો ભરવાની યોજના પણ માલપુર તાલુકામાં અમલમાં મુકવામાં આવી હતી. ત્યારે માલપુર તાલુકા અણીયોર નજીક આવેલ લાલવાડા ગામ નજીકથી પસાર થતી પાઈપલાઈનમાં અચાનક તિરાડ પડી હતી. ફુવારાઓ દસેક ફૂટ ઊંચા થયા. સતત બે દિવસથી પાઈપલાઈનમાંથી પાણી તેજ ગતિએ વહી રહ્યું છે. રસ્તા પર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. કરોડોના ખર્ચે અમલમાં આવેલી યોજનાના કામમાં બેદરકારી છતી થઈ છે. તંત્રની નબળી કામગીરીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એક તરફ પૂરતો વરસાદ નથી, તો બીજી તરફ સરકારી પાણીનો દુરુપયોગ થઈ રહ્યો છે, સ્થાનિક લોકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ તૂટેલી પાઈપલાઈન તાકીદે રીપેર કરવામાં આવે તે જરૂરી છે.