આ ઐતિહાસિક કાર્યના સાક્ષી બનવા માટે આપણે સૌ ભાગ્યશાળી છીએ: શંકરભાઈ ચૌધરી
ભવ્ય ઘાટ થવાથી સુંદરતામાં વધારો થશે : બળવંતસિંહ રાજપૂત ગુજરાત સરકાર દ્વારા ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સરસ્વતી નદીમાં જળસંચય અભિયાન અને ખાતમુર્હુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી અરવદેશ્વરે મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સિદ્ધપુર એ દેવોની ભૂમિ છે. જેનો ઉલ્લેખ આપણા વેદોમાં પણ છે. આ પવિત્ર પ્રવાહ પર સારા કાર્યો કરવામાં દૈવી શક્તિ મદદ કરે છે. જેના અનુસંધાને સરસ્વતી નદીમાં જળસંચયનું શુભ કાર્ય સવજીભાઈ ધોળકિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આજે આપણે સૌ આ ઐતિહાસિક કાર્યના સાક્ષી બનવા માટે સૌભાગ્યશાળી છીએ. આપણા આ વિસ્તારનો ભવ્ય અને દિવ્ય ઇતિહાસ છે.