એક તરફ, તેઓ રાજધાની ખાર્તુમ શહેરમાં તેમના અસ્તિત્વ માટે લડી રહ્યા છે, તો બીજી તરફ, તેઓ દરરોજ અલ-બાજીરમાં કુદરતી પ્રાણીઓના આશ્રયસ્થાનમાં જાય છે. આ માટે તેઓ ગોળીઓના ઝાપટામાં 15 કિમીની મુસાફરી કરે છે. તેઓ ત્યાં સિંહો અને અન્ય પ્રાણીઓની સંભાળ રાખે છે.
નોંધનીય છે કે સેનાના બે જૂથોમાં ગોળીબાર, હવાઈ હુમલા અને ગંભીર અનિશ્ચિતતાને કારણે ખાર્તુમના લોકો ઝડપથી સુરક્ષિત વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે. અત્યારે પણ વીજળી, પાણી અને ગેસની ભારે અછત છે.
જૈવિક ઉદ્યાનમાં, ઉસ્માન 200 પ્રાણીઓની જાળવણી કરી રહ્યો છે, જેમાં 25 સિંહ અને 6 હાયનાનો સમાવેશ થાય છે.
“રોજ અહીં આવવું અને અહીંથી ઘરે પાછા ફરવું એ જીવને જોખમમાં નાખવાથી ઓછું નથી, પરંતુ અમે પ્રાણીઓને બચાવવા માટે દરરોજ અહીં આવીએ છીએ.” અહીં વિજળી કાપવામાં આવી છે અને જંગલી પ્રાણીઓ ભાગી ન જાય તેવી દહેશત છે. જો આવું થાય, તો તે ખૂબ જ ખરાબ હશે,’ ઉસ્માને કહ્યું.