ચોમાસા બાદ સુરતમાં રોગચાળાએ જોર પકડ્યું છે. સુરત શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે. કમળો, ગેસ્ટ્રો, મેલેરિયા, ઝાડા-ઉલ્ટીના કેસ ઝડપથી વધી રહ્યા છે. નાના બાળકોમાં પણ ઉધરસ અને શરદીના કેસ વધી રહ્યા છે. ત્યારે આ રોગચાળાએ વધુ 2 લોકોના જીવ લીધા છે. આ બીમારીના કારણે વધુ બે લોકોના મોત થયા છે.