(GNS),તા.24
ગાંધીનગર,
મેયર શ્રી હિતેશભાઈ મકવાણાએ સંત શ્રી રોહિદાસ સેવા સમાજ (ગુજરાત) ગાંધીનગર દ્વારા સેક્ટર-6 ખાતે સંત શિરોમણી શ્રી રોહિદાસજીની 647મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત મહોત્સવમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે મેયરે મહાન સમાજ સુધારક, અત્યંત જ્ઞાની સંત શ્રી રોહિદાસના દર્શન કર્યા હતા અને સંસ્થાની સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃતિઓ બદલ અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી રૂચિરાભાઈ ભટ્ટ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, પૂર્વ આઈપીએસ શ્રી એન. કે. અમીન, કાઉન્સિલર, ઉદ્યોગપતિ અને પરોપકારી જે. જે. મેવાડા, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.