,
-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-
ભારતે આઝાદીના સાડા સાત દાયકા પૂર્ણ કર્યા છે અને આજે તે વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર તરીકે તેના ઉન્નત મસ્તક પર ઊભું છે.
હવે દેશમાં સર્વસમાવેશક, સર્વ સહાયક અને સર્વ સ્પર્શી વિકાસની સંસ્કૃતિ વિકસી છે.
યોજનાઓ 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે સંતૃપ્તિનો નવતર વિચાર હવે દેશમાં કાર્ય સંસ્કૃતિ બની ગયો છે.
વડાપ્રધાન નેશન ફર્સ્ટના વિચાર પર અડગ રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશની માટીમાં પાકેલા રત્નોની સ્મૃતિને જીવંત રાખવા માટે “મારી માટી મારો દેશ” અભિયાન હાથ ધર્યું છે.
,
(GNS), નં.14